SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૫૭ “સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” જગતના પદાર્થોમાં વૃત્તિ જાય નહીં તે સંયમ છે. સંયમ અર્થે વાંચવા વિચારવાનું છે. જગતને મેહ છોડવા માટે દ્રવ્યાનુ ગ છે. પર અને પિતાને વિવેક થાય તે પછી પરમાં વૃત્તિ ન જાય. બીજા સર્વ ભાવથી વૃત્તિ છૂટે તે આત્મામાં લય પામે. સ્વસ્થ થવું તે સમાધિ છે. “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” એ થાય તે સમાધિ થાય. મોક્ષનું કારણ પણ એ જ છે. શા અથે વાંચું છું? એ લક્ષ રાખો. કદી ભૂલવા જેવું નથી. બીજી વસ્તુઓ તુચ્છ લાગે અને આત્મામાં વૃત્તિ જાય તે સંયમ છે. આત્મા આત્મારૂપે પરિણમવા જ્ઞાનીએ જે વાત કરી તે ભૂલવા જેવી નથી. જ્ઞાનીને ઉપકાર ભૂલ્યો તો આત્મા જ ભૂલે. જ્ઞાની અને તેના આશ્રયને લક્ષ ન રહ્યો તે લક્ષ રાશીમાં ભટકવું પડે. સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, તે જ મોક્ષનું કારણ છે. આત્માને ભૂલે ત્યારે મોહના વિકલ્પ ઊભા થાય છે અને ત્યારે જ આત્માને ભૂલે છે. આ વચને લખ્યાં છે તેના હૃદયે શુકલધ્યાન રમી રહ્યું છે. [વ. ૮૬] ર૭૮ શ્રી રાક આહેર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પૂજ્યશ્રી-દ્રવ્યાનુગ એટલે બધાંય દ્રવ્યો છે તેને જાણી આત્માને મુખ્ય કરે. આત્મા મુખ્ય વસ્તુ છે, તેને ઓળખવા માટે ધર્માસ્તિકાય આદિ પંચાસ્તિકાય કહ્યાં છે. “ ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન; પણ તે બને કિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” લક્ષણથી આત્મા જુદે જણાય છે. આત્માને ઓળખવા માટે જે ગ્રંથ લખાયેલા છે તે દ્રવ્યાનુયોગ છે. આત્મસિદ્ધિ, છ પદને પત્ર એ વગેરે બધાં દ્રવ્યાનુયોગ છે. મેહથી જે છૂટહ્યા છે તે મુમુક્ષુ છે અને તેઓને માટે જ એ દ્રવ્યાનુગ છે. ભગવાનની વાણીમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે. ગણધરો એ પહેલું દષ્ટિવાદ લખ્યું, પણ આ કાળના અને એ સમજવામાં ન આવવાથી આચારાંગથી ફરી રચવું શરૂ કર્યું. દષ્ટિવાદ સમજાવવાના કારણે દ્વાદશાંગી રચી. બધું કરીને મૂળ જ્ઞાન કરવાનું છે, અને એ સદ્ગુરુના વેગે થાય છે. ચાર પ્રકારના અનુગ છે– ૧. ધર્મકથાનુગ વૈરાગ્ય થવા માટે છે, તેમાં મહાપુરુષોનાં ચરિત્રે આવે છે. ૨. ગણિતાનુગ વૃત્તિ થિર થવા માટે છે, તેમાં કર્મના ભેદ વગેરે આવે છે. ૩. ચરણાનુગ કર્મ ક્ષય કરવા માટે છે, તેમાં આચરણની વાત આવે છે. ૪. દ્રવ્યાનુગ પિતાનું સ્વરૂપ જાણવા માટે છે, તેમાં છ દ્રવ્યની વાત આવે છે. મહાપુરુષના યંગે કંઈક મહાભાગ્યે દ્રવ્યાનુયોગ હાથ આવે છે. દ્રવ્યાનુગ હાથમાં આવે પણ તે પરિણામ કેમ પામે? તે કહે છે – - દશનાહ ઘટે ત્યારે દ્રવ્યાનુગ સમજાય છે. દર્શનમહ મંદ થાય ત્યારે હિતકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy