SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત ગહન છે માટે બહુ સૂક્ષ્મ રીતે વૃત્તિઓને તપાસીને ધર્મ કરે. સાચું તે સાચું જ છે. સૂક્ષ્મ દષ્ટિ વગર એ આત્માની વાત સમજાય એવી નથી. મહાવીરના બોધને પાત્ર કોણ? (ક્રમાંક ૧૫) એમાં કહ્યું છે કે “સદૈવ સૂક્ષ્મબોધને અભિલાષી.” આપણાથી ન થતું હોય તે મારાથી થતું નથી પણ સાચું છે એમ રાખવું; પણ હું કરું છું તે જ સાચું છે એમ ન કરવું. મારાથી થતું નથી, બનતું નથી એમ માને તે વાંધો નથી, પણ પોતે કરે છે તે જ ભગવાને કહ્યું છે, એમ કરવું નહીં. ભગવાને કહેલા માર્ગમાં ચાલવાની વૃત્તિ હેય પણ કર્મને બળને લીધે ન બને, તે પણ ચાલવું છે તો ભગવાનના માર્ગમાં જ, એમ કરીને તેમાં જ, તે દિશામાં જ સ્થિર થા. જ્યારે જીવ પિતાના ભાનમાં આવે ત્યારે ખબર પડે કે આ શું કરું છું? આત્માને કર્મ બંધાવી રહ્યો છું! એમ કરી પાછા હઠે. વ્રતમાં અતિચાર લાગે ત્યારે છેદેપસ્થાપનીય (પ્રતિકમણ) કરે છે તેમ. જગતમાં આપણું કેઈ બગાડતું નથી. પોતાના ભાવથી બગડે છે. [વ. ૧૧૩] અંતરંગમાં જે નિગ્રંથદશા છે, તે બાહ્યમાં રાખી શકાતી નથી. સહનશીલતા રાખી મહાખેદની સાથે તે દશાને ગૌણ કરવી પડી છે. કૃપાળુદેવે પ્રતિજ્ઞા લીધી હતી કે વધારે વખત અસમાધિમાં ન રહેવું. જ્યારે મારાથી વધારે વાર અસમાધિમાં વર્તાશે ત્યારે જરૂર દેહ છોડીશ. દેહ છોડ પણ વિવેક ન છોડ, એવી દઢ પ્રતિજ્ઞા છે, તે મહાવ્રત કરતાં પણ વધારે અઘરી પ્રતિજ્ઞા છે. દેહ ત્યાગ કરે સારો પણ અસમાધિમાં ન રહેવું. જ્યાં સુધી ક્ષાયિક સમતિ ન થાય ત્યાં સુધી એવું થાય. એવી પ્રતિજ્ઞા નિર્વાહવી આ કાળમાં સાધુને પણ કઠણ પડે, તે એમણે પાળી હતી. [વ. ૧૨૫]. ૨૨ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ શ્વેતાંબર પર્યુષણ અને દિગંબર પર્યુષણ બેયને લાભ લઈ લે. ધર્મધ્યાન કરવું. પર્વ તિથિએ જીવનું હિત થાય તે માટે રાખી છે. અમુક પવતિથિ વિશેષ ધર્મધ્યાનને માટે આચાર્યોએ કરી છે. ખેંચતાણ ન કરવું. ગુણગ્રાહી હોય તેને ગમે ત્યાંથી લાભ થાય. એગ્ય હોય તે ગમે ત્યાંથી ગ્રહણ કરવું. ગમે ત્યાંથી આત્માનું હિત કરી લેવું. કૃપાળુદેવને સંયમની ભાવના છે; પણ કમ બીજા પ્રકારનાં છે. બધી ખટપટ ન હાય અને રાતદિવસ ધર્મધ્યાન થાય તો સારું, એમ એમને રહે છે. પર્યુષણમાં નિવૃત્તિ કરી છે છતાં સર્વસંગપરિત્યાગની ભાવના છે. સર્વસંગ એટલે “અખંડપણે આત્મધ્યાન કે મુખ્યપણે ન રખાવી શકે એવે સંગ.” (૩૩૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy