________________
૩૫૪
બોલામૃત એ દેશે કાઢવા પુરુષાર્થ ન કરે તે આત્માથી થવાય નહીં. પાત્રતા લઇ સદૂગુરુ પાસ જવું. પાત્રતા આવ્યે છૂટકે છે.
વીતરાગમુદ્રામાં દષ્ટિ નાક ઉપર હોય છે. તે વીતરાગમુદ્રા આપણા હૃદયમાં રહે, પછી એને દ્રવ્યગુણપર્યાયને વિચાર આવે. બીજી વૃત્તિઓ રોકાય ત્યારે ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં આવે છે. દર્શનમોહ ઘટયો હોય ત્યારે સ્વરૂપાવલોકન થાય છે. મહપુરુષને સમાગમ, સલ્લા અને સમ્યગ્દર્શન થવા માટેના શમસંવેગાદિ ગુણોની જિજ્ઞાસા તે દર્શનમેહને અનુભાગ ઘટવાના ઉપાયો છે.
[વ. ૮૬૧].
ર૭૪ શિથિલ થઈ ગયે હોય, પ્રમાદ થયે હેય, પણ પુરુષાર્થ કરે તે (શિથિલતા, પ્રમાદ) સહજે જાય. આત્માથી હેય તેને એમ થાય કે મને બાધ પ્રાપ્ત થાઓ અને પરિણામ પામે. બોધ પરિણામ પામે તે માટે શું વિચારવું?
પ્રભુશ્રી અને આત્મસિદ્ધિની સાથે એક પત્ર (૭૧૯) કૃપાળુદેવે મોકલ્યો હતો. એમાં લખ્યું છે કે આત્મસિદ્ધિ વાંચવા માટે વધારે યોગ્યતાની જરૂર છે, દેવકરણસ્વામીને આકાંક્ષા વિશેષ રહે તે આત્મસિદ્ધિ લલ્લુછમુનિની સાથે વિચારવી. સપુરુષની આજ્ઞામાં વર્તવાને દઢ નિશ્ચય હોય, આટલે ભવ એમાં જ ગાળ છે, એ નિશ્ચય હેય, એ નિશ્ચય પ્રમાણે વર્તે, તેને આરાધે, નિશ્ચય છેડે નહીં, આજ્ઞામાં જ વતે તેને બોધ પરિણામ પામે છે. વાંચીને, વિચારીને વર્તવું તે પુરુષની આજ્ઞામાં જ. એમ ન થાય ત્યાં સુધી સમ્યગજ્ઞાન પરિણામ પામે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવું એ સહેલી વાત નથી. એની પાછળ પડે ત્યારે થાય. હવે દેહ એની પાછળ જ ગાળ છે, એમ થાય ત્યારે થાય. અહંભાવમમત્વભાવ મૂકે ત્યારે થાય. એટલી તૈયારી હોય તે આત્મસિદ્ધિ વાંચવી, નહીં તે નહીં. સદ્ગુરુને વરે એવું કરી નાખવાનું છે.
[વ. ૮૬૩]
ર૭૫ સમાગમની જરૂર છે. ગાંધીજીને કંઈ ક્ષપશમ એાછો ન હતો, પણ સમાગમની જરૂર હતી. નિશ્ચય કર્યા પછી જીવને પડવાના ઘણા પ્રસંગ છે. નિશ્ચય કર્યા પછી વર્તવા માંડે તે થાય છે. શિરનું સાટું કરે ત્યારે આત્મજ્ઞાન મળે. ઘણી વખત જીવની વૃત્તિ શબ્દોમાં જ જાય છે, પણ જ્યારે સ્થિર ચિત્ત હોય ત્યારે પિતાના દેશે કાઢવાનું સમજાય છે. વૃત્તિ એમાં જેકે, મારે એ કરવા જેવું છે એમ થાય, ત્યારે કામ થાય. હું બીજાને માટે ઉપદેશ કરું એમ ડહાપણ કરે તે પિતાનું કંઈ ન થાય, પુણ્ય બાંધે; પણ એની પાસે ગુણેને સંગ્રહ ન થાય. પિતાના ગુણ પ્રગટાવવાને લક્ષ હોય તે પિતાના કામમાં આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org