SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ બેધામૃત [[વ.૮૪૩] ૨૦૦ ગઢ સિવાના, ફાગણ સુદ ૨, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરે. મરણની છેલ્લી અણી સુધી પણ છેડવા જેવું નથી. મહાપુરુષનું એક વચન પણ ગ્રહણ કર્યું તો તેને મોક્ષ થાય એવું છે. પોતે અણસમજણવાળે હોય પણ જેણે આત્મા જાયે છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તે કલ્યાણ થાય. જ્ઞાનીનું એક વચન ગ્રહણ કર્યું તે સાચા માગે એટલે મોક્ષમાર્ગે ચઢી જાય. ઘણે લાભ છે. જીવને પુરુષને નિશ્ચય થાય અને પછી તેને આશ્રયે ચાલે તે કલ્યાણ થાય. અબુધ અને અશક્ત ને પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખને દરિયો છે તેમાં આ જીવને જ્ઞાની પુરુષને આશ્રય મળે તે પાર થાય. જ્ઞાની પુરુષને આશ્રય મળે તે મોક્ષ જ મળશે, એવું દઢ રાખવું. મરતી વખતે પણ જ્ઞાની પુરુષને આશ્રય છોડે નહીં. દ્વાદશાંગીને સાર એ છે કે દેહાદિભાવ છોડીને, જે થાય તેને જાણનાર હું છું, દેહ છૂટે પણ હું નહીં મરું, એમ દેહાધ્યાસ છે. એથી કલ્યાણ છે. શરીરની શોભા કરે છે અને માને છે કે “હું સારું કરું છું.” શરીર છૂટી જાય તે મક્ષ થાય. દેહને અંગે હર્ષશેક થાય છે. મિથ્યાભાવ છે તે દેહ તે હું” એમ મનાવે, તેથી રાગદ્વેષ થયા કરે છે. બધાંય શાનો સાર એ છે કે દેહાદિસંબંધી હર્ષવિષાદ ન કરે. પિતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એવી ભાવના કરવાની છે. એ તે શા ન ભર્યો હોય તે પણ કરી શકે. બેદ કરવાની જરૂર નથી. હું નથી ભયે, હું ધર્મ નથી પામે, એમ ન કરતાં વિતરાગ ભગવાનને કહેલે ધર્મ સાચે છે, આટલે ભવ એને આશ્રયે જ ગાળો છે. એટલું થયું તે બધું કરી ચૂક્યો. વેદના વખતે વૃત્તિ મંદ પડે ત્યારે જેણે અખંડ નિશ્ચય રાખ્યું હોય એવા મહાપુરુષોનાં ચરિત્ર વિચારવાં. વૃત્તિ ભગવાનમાં રહે તે પુરુષાર્થ થાય, માથે મરણ છે માટે જેટલું થાય તેટલું કરી લેવું. [વ. ૮૪૩] ૨૭૧ શ્રી રાક આ અગાસ, વૈશાખ વદ છે, ૨૦૦૮ કપાળદેવને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ છે! શ્રીમદ્ વીતરાગોએ નિશ્ચિત કરેલ ધમ છે. વીતરાગ ભગવાને જાણ્યું કે નિશ્ચય તે આત્મધર્મ છે અને તે અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ચિંતવવું ન પડે. માગ્યા વગર આપે છે. એનાથી બધું મળે છે અને કશું ન છે તે મોક્ષ થાય. ઈચ્છવા જે તે મોક્ષ છે. ભગવાનના કહ્યા પ્રમાણે વર્તે તે મોક્ષ થાય. જગતના બધા પદાર્થો કરતાં વધારે હિતકારી વસ્તુ ભગવાને પ્રરૂપેલો ધર્મ છે. એ પરમ હિતકારી છે, આશ્ચર્યકારક છે, અદ્દભુત વસ્તુ છે. જગતનાં બધાં દુઃખેને નાશ કરે એટલું જ નહીં પણ ફરી તે દુખ આવે જ નહીં એવું છે. શાસ્ત્રમાં આવે છે કે એક જણે પૂછયું કે મોક્ષનું સુખ કેવું હશે? ત્યારે કહે છે કે એ તને ખબર નથી, પણ સંસા નાં દુઃખની તે ખબર છે ને ? એ દુઃખ મોક્ષમાં નથી. ધર્મ આરાધે તે અવશ્ય સુખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy