SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૫૧ થાય. સર્વ દુઃખ અને ચિંતાઓને ક્ષય કરનાર ભગવાને કહેલે ધર્મ છે. એ અમૃતસ્વરૂપ છે. એટલે સર્વ પ્રકારે અતિશય હિતકારી છે. એ ધર્મ શાશ્વત છે. જે જે મોક્ષે ગયા તે તે સાચા ધર્મથી આત્માની શુદ્ધિ કરતા મોક્ષે ગયા છે, જાય છે અને જશે. “એક હોય ત્રણ કાળમાં, પરમારને પંથ.” જ્યારે મોક્ષે જવું હશે ત્યારે એ રસ્તે આવવું પડશે. એ ધર્મ સર્વમાન્ય છે, સર્વોત્કૃષ્ટ છે. એ ધર્મ જયવંત વર્તો. એ ધર્મ સંસારમાંથી જીવેને મોક્ષે લઈ જનારે છે. સંસારને ક્ષય કરવા માટે વીતરાગને ધર્મ છે. એ ધર્મ પ્રાપ્ત થયે તે મોક્ષે જવું જ પડશે. એ ધર્મનું શરણ લેવા જેવું છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીય એનું નામ અનંત ચતુષ્ટય છે. ચાર ઘાતિક ક્ષય થવાથી એ પ્રગટે છે. ભગવાન અને ભગવાને કહેલ ધર્મ એ બન્નેના આધારે તરી શકાય છે. જેણે એનું શરણ લીધું તે બીજું-ત્રત નિયમ શાબ્રાધ્યયન કરવા અશક્ત હોય તે પણ મોક્ષ પામે છે. એને શરણે રહેવું છે એટલું જ હોય તેને પણ મેક્ષ થાય. ભક્તિ સાચી હોય તે તેનું ફળ મોક્ષ આવે. સાચે આશ્રય મળે તે એનું ફળ અદૂભુત આવે. પાશ્વનાથ ભગવાને લાકડામાંથી બળતા નીકળેલા સાપને મંત્ર આપે, ત્યારે સાપને લાગ્યું કે આ કેઈ સાચે પુરુષ છે. એટલું મનમાં થવાથી બધાં પાપ સંક્રમી પુણ્યરૂપ થયાં. નહીં તે સાપ નરકે જાય. નિશ્ચય એટલે સાચાને સાચું જાણવું. ભગવા નનું સ્વરૂપ ઓળખાય તે પિતાનું સ્વરૂપ પણ ઓળખાય. ભગવાનનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે, બીજું નહીં. જગતમાં પુરુષને શેધવા, બીજું કશું શેવું નહીં. બીજું શોધવા જાય તે ભૂલી પડે છે, છેતરાય છે. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે” (૭૬). એટલે વીમે ઉતારી આપ્યો છે. ખેદ ન કરે કે કયારે મોક્ષ થશે ? બને તેટલે પુરુષાર્થ કરે. ધીરજ રાખી આજ્ઞા આરાધ્યા કરવી. દેહની ચિંતા જેણે છેડી દીધી તે પૂર્ણદ્વાદશાંગી ભણી ગયે. બધું ભણીને એ જ કરવાનું છે. “જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ. ” દેહાધ્યાસ છોડવાને છે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. એ જ માન્યતા કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ ખેદ કરો નહીં. તે ધર્મ શું? તે કહે છે. “હું આત્મા છું, દેહ નથી. એટલે જ ધર્મ છે. દેહના સંબંધી રાજી ના થઈશ કે ખેદ ન કરીશ. “હું દેહ નહીં” એટલું કરી વૃત્તિ ઉઠાવી લેવી. ગજસુકુમારને નેમિનાથ ભગવાને કહ્યું કે દેહસંબંધી હર્ષવિષાદ ન કરે. એ ગજસુકુમારને ચાટી ગયું. એથી મોક્ષ થયો. આત્મા અસંગ છે, અવિનાશી છે. દેહાદિથી મારે લેવાદેવા નથી. રાગદ્વેષ તે હું નહીં. શુદ્ધચૈતન્ય હું છું. જે આત્મા છે તેવી જ વૃત્તિ રાખવી. વધારે વેદના થાય તે વીતરાગ પુરુષોની દશા સંભારવી. વીતરાગે કશું ગયું નથી; આત્માને છોડ્યો નથી. દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કર્યો તેથી મોક્ષે ગયા. “હું શુદ્ધચેતન્ય સ્વરૂપ છું’ એમ રહે તે અપ્રમત્ત થાય. ભગવાનમાં, શુદ્ધ આત્મામાં વૃત્તિ રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy