SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ બેધામૃત થાય તે દેહ ન ધરે, એટલે દુઃખથી છૂટે. જીવ દુઃખને સુખ માને છે. મિક્ષ કરી હોય તે સાચી ઈચ્છા જોઈએ. એ સાચી ઈચ્છા થાય તે એનાં જન્મમરણ ટળી સુખ પ્રાપ્ત થાય. [વ. ૮૧૯]. ર૬૭ શ્રીરાઆ. અગાસ, ચૈત્ર સુદ ૧૧, ૨૦૦૮ - પૂજ્યશ્રી—“ એક નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” આત્માથી જ પુરુષનું અવલંબન લઈ વિષય કષાયને હઠાવે છે. એવું શુરવીરપણું આવે તો મોક્ષપાટણ સુલભ જ છે. પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ છે તે એ કે દેખવું, સાંભળવું, સુંઘવું, સ્પર્શ કરે, ચાખવું. ચાર કષાય છે: ક્રોધ, માન, માયા, લેભ. એ બન્નેનું ભેજું નામ વિષયકષાય છે. એ જ્યારે વિશેષ વધી જાય, ત્યારે વિચારવાની જવને ખેદ થાય છે કે આ મારે નથી કરવું અને કેમ થાય છે? નહીં કરવાની ઈચ્છા છતાં પૂર્વ કર્મને લઈને જીવ એમાં તણાઈ જાય છે. ત્યારે વિચારવાન જીવ પોતાની નિંદા કરે કે આ તું શું કરી રહ્યો છે? મનુષ્યભવ શા માટે માન્ય છે ? જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે ? અને તું શું કરી રહ્યો છે? તારે આ કરવા જેવું નથી. કમ બંધાય છે તેથી ફરી જન્મમરણ કરવાં પડશે. જેમ કોઈ મારુસ બીજાની નિંદા કરે તેમ આ વિચારવાન પિતાને નિદે છે, અને તિરસ્કારે છે કે મારે વિષયકષાયવૃત્તિ નથી જોઈતી. હે જીવ, તું આવો કેમ બની ગયું છે ! તું જ્યાં સુધી વિષયકષાય ન મૂકે ત્યાંસુધી તારું મોટું પણ ન જોઉં. એમ પિતાને તિરસ્કારે. મહાવીરસ્વામીએ એક મેહનીય કમ ક્ષય કરવા સાડાબાર વર્ષ સુધી પુરુષાર્થ કર્યો હતો. અને હે! જીવ, તું ઢીલ કેમ પડી જાય છે? આમ વિચારી આત્માને શૂરવીર બનાવે છે. પછી તે વિષયકષાયને નથી જ કરવા, એમ હઠ કરીને ઉદય આવે ત્યારે હઠાવે છે. એ વિષય ને કષાય જાય નહીં ત્યાં સુધી જપે નહીં. તેમ ખેદ કરીને અટકી રહેતા નથી. ખેદ કરે, પણ “આપણાથી એ જીતવાનું કામ ન થાય” એમ અટકી રહેતા નથી. પરંતુ શૂરવીર થઈને જીતે છે. વિષયકષાય એજ સંસાર છે, સંસારમાં જીવ ગોથાં ખાય છે. ભૂલ પડે છે. કરવાનું પડયું રહે છે. આત્માથી હોય તેને લાગે કે આ શું કરું છું? વિષયકષાયને પોષવા મનુષ્યભવ નથી; એને જીતવા માટે મનુષ્યભવ છે. વિષયકષાયને હઠાવવા. ખેદ કરીને અટકી ન જવું. પરમાર્થ પામ હેાય તે “કરે સત્ય પુષાથી એ લક્ષમાં રાખવું. એથી જ આત્માથી જ તરીને પાર પામ્યા છે. પુરુષાર્થ કરતાં પડે, ફરી ઊભો થાય, ફરી પડે, ફરી ઊભું થાય, એમ કરતાં કરતાં બધાય જાય છે. વિષયકષાયને આધીન જીવ થઈ જાય છે, કારણ કે પૂર્વ અધ્યાસ છે. એ વિષયકષાયમાં વૃત્તિ રંજિત થઈ જાય છે. છૂટવાની ઈચ્છા હોય તે ખબર પડે કે માર્ગ ક્યાં અને હું કયાં? હાય! લપસી પડ્યો એમ લાગે. પછી જાગૃત થાય. વિચારવાની એટલે મુમુક્ષુ છે, જ્ઞાનીનાં વચન સાંભળે, વિચારે છે તે. અનાદિથી જીવ વિષયષાયમાં પડ્યો છે. તેને મિત્ર માને છે. વિષયકષાયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy