SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૪૫ પામશે, એવી ચિંતા ન કરવી. મરણ વખતે અસંગદશા કામની છે. એ ન દેય તે પરમપુરુષની દશા ઉપર કહી છે તેની સ્મૃતિ કરવી કે મહાપુરુષએ કેવું કર્યું છે! એ દશાના અવલંબનથી શુદ્ધાત્મામાં સ્થિતિ થાય છે. શુદ્ધાત્માનું અવલંબન હોય તે જીવને શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે. વિકલ કરીએ તે ઉલટું આપણું બગડે. આ સમજ જે હોય તે કઈને માટે ફિકર ન થાય. જેટલું પૂર્વપ્રારબ્ધ બાંધ્યું હોય તેટલું મળે છે. કૂતરાને પણ ખાવા મળે છે, પણ જીવને તૃષ્ણા છે. તૃષ્ણાને ખાડે જેમ જેમ નાખે તેમ તેમ વધે છે, ત્યાગ કરવાથી જ પુરાય છે. જ્ઞાની કહે તે પ્રમાણે કરવા માંડવું, થોડું તે થે. પણ હવે શરીર વગેરેમાં મીઠાશ, મમતા રાખવા જેવી નથી. પરમાર્થને પુરુષાર્થ કરવાનું છે, વ્યવહારનું તે પ્રારબ્ધ પ્રમાણે થાય છે. વ્યવહારપરમાર્થ સંબંધી ચિંતા છોડી છે છતાં ચેતાવ્યા છે. વ્યવહારના પરમાર્થના બધા વિકલપિ છોડવાના છે. છેવટે કોઈ વિકલ્પ ન રાખ. મારું તારું, ઘર કુટુંબ, છોકરાં હૈયાં, બધું ભૂલી જવું. સાચી વસ્તુ જાણી તે બીજી કોઈ વસ્તુને ઈટ માનવી નહીં. આજ સુધી જે કંઈ જાણું, ભણ્યા તેનું ફળ વિરતિ આવે, વૃત્તિ વિરામ પામે, વીતરાગદશા આવે એ જ જ્ઞાનનું ફળ છે. ચૌદ પૂર્વનું જ્ઞાન છે તે પણ જ્ઞાન છે, પણ મૂળ જ્ઞાન એટલું જ કે આત્મા શુદ્ધ ચિતન્યસ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ તે મારું છે. જન્મમરણ એ દેહને, પણ મને નહીં. હું તે અસંગ છું. એટલું જાણ્યું તે એમાં બધાં શાસ્ત્ર સમાયાં. વારંવાર એ ભાવના કરવી કે હું દેહ નથી, વેદના વગેરે શરીરના ધર્મ તે મારા નથી. આત્મા અસંગ સ્વરૂપ છે, જન્મતે નથી, મરતો નથી એ મૂળજ્ઞાન છે. “મૂળમાર્ગમાં કહ્યું છે કે “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સઢ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આમ બધાથી ભિન્ન છે, ઉપયોગી છે, અવિનાશી છે. એટલે બોધ પરિણામ પામે એટલું કરવાનું છે. બધાં શાસ્ત્રો ભણીને એ કરવાનું છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.” દેહ હું એમ થયું છે, તે મટી હું આત્મા છું એમ પ્રતીતિ થઈ તે સમ્યક્ત્વ અને નિરંતર તે પ્રતીતિ રહે તે ક્ષાયક છે. અસંગ આત્મા છે એમ સ્થિરતા રહે તે ચારિત્ર છે. એટલું પરિણામ પામે તે સમાધિમરણ થાય. મોટા મુનિઓ ન કહે એવી વાત કહી છે. સર્વ દુઃખને ક્ષય કરે હોય એટલે મોક્ષે જવું હોય તેણે કેવા ભાવ કરવા જોઈએ, તે બધું આ પત્રમાં બતાવ્યું છે. બધાનો સાર કૃપાળુદેવે સોભાગભાઈને કહી દીધું. મેક્ષે જવું હોય તો આ માર્ગ છે. મહાપુરુષોમાં એવી શક્તિ છે કે સાગરને ગાગરમાં શમાવી દે. એવું આ પત્રમાં છે. વૈરાગ્ય હોય તો સિદ્ધાંતબાધ સમજાય, ઉપદેશબોધ ઘણે થયે હોય તે સિદ્ધાંતબોધ સમજાય છે. ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy