SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ બધામૃત ઘરનાં કામ કરવાં પડે તેને મરણ સમાન જાણે, સ્વરૂપને ભૂલીને કરવું પડે તે મરણ જેવું જ છે. નાકને મેલ હોય તે ક્યારે ખંખેરું, એમ થાય. તેમ પુરુષને કીતિ નાકના મેલ જેવી લાગે છે. કીતિને ક્યારે ખંખેરું, એમ થાય છે. પુયને એ વિષ્ટા જેવું જાણે છે. વંદન કરવા ગ્ય આ પુરુષ છે. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે સગાંસંબંધીઓ કેમ ધર્મ પામશે, તેની ચિંતા કરવાની જરૂર નથી. જે કઈ પુરુષને આરાધશે તે સત્યને પામશે. પુરુષ સાચા મનાય તે સંસાર બેટે મનાય. પુરુષની ભક્તિ કરે તેનું ફળ આત્મજ્ઞાન આવે, પણ એકદમ આવે નહીં. જેમ જેમ પુરુષ ઓળખાય તેમ તેમ અનંતાનુબંધી મંદ થાય છે. રસ્તે એ છે. સહુરૂષને વળગે તે આત્મજ્ઞાન થયા વિના રહે નહીં. અને છોડી દે તે પછી રખડે. કૃપાળુદેવે ચતુરલાલજીને કહ્યું હતું કે તમે અમારી આજ્ઞાએ વશે તે ગમે ત્યાંથી ખેંચી લઈશું. અને જે આજ્ઞા મૂકી દીધી તે તમે જાણે. જ્ઞાની પુરુષ પ્રત્યે ભાવ થયે છે તે મેડું વહેલું કલ્યાણ થશે. આત્માનું કામ જેને કરવું છે તેને પારકી પંચાત છેડવાની છે. સમાધિમરણ કરવાનું છે તેણે બધા, કુટુંબ વગેરેના વિકલ્પ છોડવા. “હું પામર શું કરી શકું, એ નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” જે કોઈ જ્ઞાનીની આજ્ઞા આરાધશે તેનું કલ્યાણ થશે. આનું કલ્યાણ કરે, ફલાણાનું કલ્યાણ કરું, એમ કલ્યાણ થાય નહીં. અહંકાર થાય. પિતાપણું અંદરથી કાઢી શાંતિ કરવી, અત્યારે કરી રાખે તો સમાધિમરણ થાય. આપણે પણ સમાધિમરણ કરવું હોય તે એ રસ્ત છે. જેમ સગાં પ્રત્યે પ્રેમ છે તેમ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થશે તેટલું કલ્યાણ આપણું થશે. પ્રશ્ન–અસ્થિમજજા એટલે શું? " પૂજ્યશ્રી–અસ્થિ એટલે હાડકાં અને મિજજા એટલે ચરબી. અસ્થિમિજજા રંગાશે એટલે હાડોહાડ રંગ લાગશે, તેટલું કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં.” છોકરાઓ ધર્મ પામશે કે નહીં, એમ ચિંતા કરવી નહીં. જેમ જેમ પુરુષાર્થ કરશે તેમ તેમ કામ થશે. ભલે અત્યારે ન જણાય પણ સત્સંગ કરતો હોય તે તેનું ભવિષ્યમાં ફળ થશે. આપણને ખબર ન પડે, પણ નિત્યનિયમ ન કરતો હોય, ભક્તિ ન કરતે હાય, પણ સત્સંગ કરતો હોય તે તેનું ફળ ભવિષ્યમાં મળે છે. બધાથી આગળ ચાલ્યો જાય! એવું થઈ જાય. અંતઃકરણનો પ્રેમ જીવે વેરી નાખ્યા છે. ત્યાંથી ઉઠાવી સપુરુષ પર પ્રેમ કરે તો મોક્ષ થાય. જ્ઞાની પુરુષને યોગ હોય તેને થોડા વખતમાં ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થાય છે. મરણ વખતે કોઈ વિકલ્પ કરવા જેવા નથી. મરતી વખતે વ્યવહાર સંબંધી શું થશે, તેને વિચાર ન કરે અને પરમાર્થ સંબંધી પણ આ કુટુંબીઓ વગેરે કેમ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy