________________
વચનામૃત-વિવેચન અશાતા જેવું જાણે કે આપણે ભાવ પૂછશે એમ જાણી અનેક કળાઓ શીખે, પણ મહાપુરુષ એને તાવ જેવી ગણે. કેટલી ઊંચી દશા છે! પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે અમે લાત મારીને કાઢી મૂકી છે. જોકે મોટા કહે, વખાણે એવી ઈચ્છા થાય તો મહાપુરુષે એને અનર્થકારક જાણે છે. પૂજાવાની હસ છે તે બધી આત્માને નુકસાન કરનારી છે. જગતના છે જેને ઈચ્છે છે તેનાથી આ વિપરીત છે. જગતના જીને શરીર ઉપર મહ છે. પુદ્ગલની છબી એટલે શરીરના પર્યાય, રૂ૫ રસ ગંધ વર્ણ જેઈને મેહ પામે છે, પણ મહાપુરુષ એને રાખનું પડીકુ જુએ છે. શરીર પોતાનું કે બીજાનું, આખરે રાખેડી થશે. રાખનાં પડીકાં છે. નાંખી દેવા જેવાં છે. આપણી નજર ન પહોંચે એટલા ઊંચા મહાપુરુષે છે. જગતના ભેગવિલાસ, ખાવુંપીવું, બધું દુઃખરૂપ લાગે છે. મુમુક્ષુને ભેગ રેગ જેવા લાગે છે, કેઈ જાળમાં ફસાવે એવું લાગે છે. તેથી ભેગને છોડવા ઈચ્છે છે. જ્યારે દીક્ષા આવે, ક્યારે દીક્ષા આવે, એમ થતું હોય અને ઘરમાં રહેવું પડે તે દુઃખ લાગે છે. ભગવાન મહાવીરને બે વર્ષ રહેવું પડયું હતું. બધા જ બહાર જઈ ઘેર ખાવા થાય ત્યારે કયારે ઘેર જઉં, જ્યારે ઘેર જઉં એમ કરે છે પણ મહાપુરુષને તે ઘર ભાલા જેવું લાગે છે. મુનિપણામાં રહેવું સારું લાગે છે. ઘરનાં, કુટુંબનાં કામ એમને મૃત્યુ જેવાં લાગે છે. જગતને રૂડું દેખાડવા તે જીવે ઘણું કર્યું. એ બધી વાસનાઓ છે તે જ સંસાર વધારનાર છે. તેથી સંસારનાં કામો કાળ જ્યાં લાગે છે. લેકેમાં લાજ આબરૂ વધે તે લાળ જેવી લાગે છે. લાળને કોઈ લાંબી કરવાના ઈછે. તેમ લેકમાં નામના થાય એમ મહાપુરુષે ઇછતા નથી. કોઈ વખાણ કરે તેય શરમ આવે કે મારાં વખણું શા માટે કરે છે? મોહની મીઠાશ બધી એમની જતી રહી છે, તેથી વખણાવા ઈચછતા નથી. લીંટ પર માખી બેઠી હોય તે તેની પાંખ તેમાં ચાટી જાય છે, તેમ કીર્તિથી સંસારમાં જીવ ચોટી જાય છે, તેથી કીર્તિને સારી ન માને. પુણ્યના ઉદયને વિષ્ટા સમાન હેય માને. સમ્યગ્દષ્ટિને દેવનાં સુખે બળતરા જેવા લાગે છે. પુણ્યથી આત્માનું શું હિત થાય? મનુષ્યભવ મળ્યો છે તે પુણ્યને ઉદય ભેગવતાં નકામ જાય. જેની દષ્ટિ ફરી ગઈ છે, તે સંસારનાં સુખને ઈચછે નહીં. મોક્ષને જ છે. કૃપાળુદેવને અવધાન કરતાં લાગ્યું કે આ બધું કલ્પિત છે, તેથી છોડી દીધું.
સત્સંગ વિના જીવને કંઈ ખબર ન પડે. અજાણ્યો ને આંધળે બેય બરાબર છે. નરકે જવું હોય તે રાજ્યાધિકાર ઈચ્છવા. જન્મમરણ ઊભા થવાનું કારણ પ્રતિબંધ જે કર્યો છે, તે છે. મોટાઈ કંઈ કામની નથી. રિદ્ધિસિદ્ધિ વગેરે ઝેર છે, લેકે મને વખાણે એવી ઈચ્છા થાય તે ભુંડું થવાનું છે, એમ જાણવું. જેને બાળીને રાખ કરવાની છે, એવી જે કાયા તેના ઉપર મહ કરે તે રાખના પડીકા પર મોહ કરવા જેવું છે. જેને મેહનાં કારમાં મુઝવણ થાય તે મુમુક્ષુ છે. મોહનાં કારણે જ ભેગમાં હોય છે, તેમાં મુઝાય તે મુમુક્ષુ છે, નહીં તે બુભુક્ષુ છે. ઘરમાં રહેવું પડે, રહેવાનું મન ન હોય છતાં રહેવું પડે તે એને ભાલા જેવું જાણે. કયારે મુનિ થાઉં, ક્યારે મુનિ થાઉં, એમ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org