SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર બેધામૃત [વ. ૭૮૧] ૨૬૪ શ્રીર૦ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ પૂજ્યશ્રી-સમાધિમરણ થવા માટે અને ઠેઠ મોક્ષ થાય તે માટે આ “પરમ પુરુષ દશાવર્ણનવાળો પત્ર કૃપાળુદેવે લખે છે. સભાગભાઈને સમાધિમરણ થવા આ પત્ર લખ્યો છે, તે જાણે આપણે માટે જ લખે છે એમ જાણી સાંભળ. તે વખતે તે ભાવના થશે કે નહીં, પણ અત્યારે તે ભાવના કરી લેવી. જે આ લક્ષણે કહ્યાં છે તે રૂપ મહાપુરુષની દશાને લક્ષ મરણ વખતે રાખ. જગતમાં કંચન અને કામિની એ બે કહેવાય છે. એની પાછળ આખું જગત ગાંડું થઈ ગયું છે. મહાપુરુષની દશા તો કંઈ જુદી છે. એ બીજા પ્રકારની છે. સેનાને મહાપુરુષે કાદવ સમાન જાણે છે, એ સાંભળી આપણે સેનાને લેભ છોડ. સેના પ્રત્યે જીવને માહામ્ય છે, પણ એ કર્મ બંધાવે એવું છે. જેમ કાદવ ધૂળ છે તેમ આ સેનું પણ ધૂળ છે, માટી છે. આ પીળી માટી જેવું છે, એવું લક્ષમાં રાખવું. એમાં મેહ છે. તે મટાડી સત્પષ પર કરવાનો છે. આપણને સેનાને લેભ હોય તો તે છેડવાને છે. સોનું પતે ન પહેરતો હોય, તોય એને મહત્તા લાગે છે. બીજા કેઈને ઘરેણાં પહેરેલાં જુએ તે એને થાય કે બહુ સારું ચળકે છે. એને એનું માહાન્ય છે તેથી એમ થાય છે. તે બધે મેહ છે. એ મેહ છોડવાનું છે. નરેશપદને નીચપદ માને તે નિર્મોહી પુરુષનું લક્ષણ છે. કેઈને અમલદારી વગેરે હોય તે લેકો વખાણે પણ એ નીચપદે છે, અર્ધગતિનાં કારણ છે. રાજેશ્વરી તે નરકેશ્વરી, કર્મ બંધાવનાર છે, તેથી નીચપદ છે. કેઈની સાથે પ્રેમ, પ્રતિબંધ, ઓળખાણ કરવી તેને મહાપુરુષે મરણ સમાન જાણે છે. નેહ કરે તે કર્મ બંધાય છે તેથી ફરી જન્મવું મરવું પડશે. અઘરામાં અઘરું નેહપાશ તે એ છે. “સંગ અને સનેહપાશનું ત્રેડવું અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજે કઈ ઉપાય નથી.” (હા. ૩–૧૫). રાગદ્વેષ મેટાં બંધન છે. જેને જન્મમરણ વધારવાં હોય તે આ પ્રતિબંધ કરે. કૃપાળુદેવ “અમને કેઈન ઓળખે તો સારું” એમ ઈચ્છતા. મોટાઈ છે તે ગાર જેવી છે, ત્રણ પ્રકારનાં ગારવ–રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ કહેવાય છે. રસગારવ હોય તે એમ થાય કે અમે તે એવું ન ખાઈએ, સારું સારું જ ખાઈએ. રિદ્ધિગારવ હોય તો એમ થાય કે અમારા જેવા મેટા કેઈ નથી. સાતાગારવ હોય તે એમ કહે કે મને નખમાંય રોગ નથી. એ બધું જીવને કમ બંધાવે છે અને હલકે પાડે છે. મેટાઈવાળાને દુઃખ થાય છે. ચંદ્રસૂર્યનું ગ્રહણ થાય છે, પણ તારાઓનું થતું નથી. મહાપુરુષે મેટાઈથી ભય પામે છે. ચિદાનંદજી જેવા જંગલમાં નાસી ગયા. પ્રભુશ્રીજી કહેતા કે “લઘુતા મેરે મન માની” અનેક પ્રકારના ચમત્કાર, કિમિયા લોકોને સારા લાગે છે. મહાપુરુષને એ ઝેર જેવા લાગે છે. ઝેર જેમ પાસે હોય, પણ ખાય નહીં તેમ રિદ્ધિસિદ્ધિને ઝેર જેવી જાણે છે. પરમાર્થને નામે પાછી જીવ મોટાઈ કરે છે, ત્યાં ઠગાય છે, માટે ચેતવે છે, લેઢાનું સેનું કરતાં આવડતું હોય તે તેને ઝેર જેવું જાણે. એ આત્માને નુકસાન કરનારું છે. કેઈ કળા સિદ્ધ થઈ હોય તેને મહાપુરુષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy