SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત સોભાગભાઈને માંદગી હતી તેથી લખાતું નહોતું, તેથી તેમના પુત્ર પાસે લખાવતા. એ બોલતા અને એમના પુત્ર ચંબકલાલ લખતા. સેભાગભાઈએ લખાવ્યું હતું કે “આત્મસિદ્ધિના અર્થ મને મોકલજે. આંખે ઓછું દેખાય છે, તેથી જ્યાં સુધી આંખે તેજ વધારે ઝાંખુ ન પડે ત્યાં સુધી આત્મસિદ્ધિના અર્થ મારે વાંચી લેવાના છે. બીજા પણ ઉપદેશવચનેવાળ પડ્યો હોય તે મોકલજે. તેથી કૃપાળુદેવે મોકલાવ્યા હતા. આત્મસિદ્ધિના અર્થ મુમુક્ષુ જીવે નિરંતર વિચારવાયેગ્ય છે અને કૃપાળુદેવના પત્રો છે તે પણ વારંવાર મનન કરવાગ્યા છે. એમાં જ જીવન ગાળવું. બીજા શા આવડે કે ન આવડે, પણ એ તે કરવું જ. ઋષભદેવ વગેરે તીર્થકરોએ કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. દેહ તો બધાને છોડવા પડયા છે. લક્ષ એ રાખ કે અસંગ થવાનું છે. શુદ્ધસ્વરૂપને લક્ષ કરવાનું છે તે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી થઈ શકે. નરકગતિમાં જાય તે ત્યાં દુઃખ છે, તેથી કંઈ કરવાનું સાંભરે નહીં, તિર્યંચમાં જાય ત્યાં પણ કંઈ ભાન નથી, દેવગતિમાં જાય છે ત્યાં ઘણું સુખ છે તેથી કર્યું હોય તે પણ ભૂલી જાય છે. ત્યાં પણ કંઈ થઈ શકે નહીં. માટે મનુષ્યદેહ છે ત્યાં સુધી હું અસંગ છું, સર્વ પર ભાવથી મુક્ત છું એમ વારંવાર અસંગપણની ભાવના કરવાની છે. કેઈને પરિગ્રહ કે સંગ થયું હોય તે મૂકવાનું છે. મહ દૂર કરી નિર્મોહીપણું કરવાનું છે. * મેહ જીવને ભાન ભૂલવે છે. મેહ જવા સપુરુષના બોધની જરૂર છે. આત્મા છે તે જ દેવ છે. સાચા વસ્તુ એને અડી, તે પારસને લટું અડે તે સોનું થાય તેવું થાય. “ એનું એ જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્યને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીને સંગ રે.” (૧૬૮) એવું થઈ જાય. અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ છે. આત્માને કંઈ બાધા થાય તેમ નથી. એ આત્માના ગુણે જાણી લીધા તે પછી જગતમાં એને મોહ ન થાય. નમિરાજાને મિથિલા બળતી દેખાડી, પણ મારું કંઈ બળતું નથી એમ લાગ્યું. આત્મા સુધી પહોંચે એવી કોઈ વસ્તુ નથી. આત્માને કઈ છેદે ભેદે તેમ નથી. આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે. તેની જીવને ખબર નથી. એની જે શ્રદ્ધા થઈ જાય તે પછી મોક્ષ. આત્મામાં માતારું કશું છે નહીં. એ બધા ભાવ છોડવાના છે. મોહમાં ન તણાય તો અવ્યાબાધસ્વરૂપ આત્મા છે, આત્માથી જે ભિન્ન છે તે બધું હીન છે. “આત્માથી સૌ હીને.” ખરેખરી નિજર કરવાનું સાધન તે આત્મસ્વરૂપમાં લીનતા છે. કસોટીના પ્રસંગમાં જે ધીરજ રહે તે કેવળજ્ઞાન થાય, બધું થાય. જ્ઞાની શ્વાસેવાસમાં કેટી કમ ખપાવી દે છે. આત્મામાં વૃત્તિ ગઈ ત્યાં બધું છૂટી જાય છે. કંઈ બીજા ભાવ ન રહે. એ નિશ્ચય આપણે કરવાને છે કે દેહ છૂટ હોય ત્યારે છૂટશે, પણ આત્મા અસંગ છે. આ શરીર જુદું છે. પરમાણુ માત્રને આત્માને સંગ નથી. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા” * નિર્મોહી કુટુંબનું દષ્ટાંત આપેલું. જુઓ “પત્રસુધા,” પત્રક ૩૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy