SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૩. કમ ત્રણ પ્રકારે છે–રાગ દ્વેષ અને અજ્ઞાન. “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ, અને ઐ ક્યપ્રકાશક છે.” એ ખરું સ્વરૂપ છે. તેની ભાવના કરવાની છે. જેટલી કરશે તેટલે મોક્ષ પાસે આવશે. જીવને અસંગ. પણને પરિચય નથી, તેથી ગળે ઉતરતું નથી. સમભાવમાં આનંદ છે, સમભાવમાં રસ છે. સગાંવહાલાં બધાં ભાવ છૂટી જાય ત્યારે સમભાવ સમરસપણું આવે. એટલે દેહમાં મમત્વભાવ હોય તેટલા પ્રમાણમાં હું દુઃખી છું એવી ભાવના થાય છે. શાતાઅશાતા શરીરમાં થાય છે. દેહાધ્યાસ છૂટે તે સમરસપણું આવે. બધાં શાઓને સાર આ કહ્યો છે કે “જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે.” બધાં શાસ્ત્રને સાર અસંગપણું છે અને તે સત્સંગ વિના થતું નથી. મહાપુરુષનું હૃદય કોમળ હોય છે. કેઈ દુભાય એવું વર્તન તેમનું હોતું નથી, તેમ છતાં પણ જીવનું મન દુભાયું હોય તેથી ક્ષમાવી લે છે. ભવભવમાં જે કંઈ અપરાધ થયે હેય તે ક્ષમાવી લે છે. નમ્રભાવે ક્ષમાવે છે. દશ યતિધર્મમાં ક્ષમા મુખ્ય છે. જ કલ્યાણ કરવાનું હોય તેને આ ભાવના કરવાની છે કે કોઈ પ્રત્યે રાગદ્વેષ ન રહે. રાગદ્વેષને લઈને સંબંધ છે. રાગદ્વેષ છોડવાના છે. એ રાગદ્વેષપૂર્વક જ્યાં સુધી દષ્ટિ હોય ત્યાં સુધી જીવને ખળભળાટ થયા વિના ન રહે. સમાધિમરણ બગડી જાય. આત્મા સમાધિમરણમાં સમભાવમાં રહે છે. મરણની કસોટીમાં પાસ થઈ ગયે તે પછી બધે પાસ થાય. જ્યારે આત્મદષ્ટિ થાય ત્યારે બની શકે એવું છે. “સર્વાત્મમાં સમદષ્ટિ ઘ” એટલું હૃદયમાં કોતરી રાખવાનું છે. ટૂંકે પત્ર છે, પણ એમાં અગાધ વસ્તુઓ મૂકી છે. આ બધા રત્ન જેવા શબ્દો મૂક્યા છે. જ્ઞાની પુરુષોને જે અનુભવ છે, તેના સારરૂપે આ લખ્યું છે. એને ઘૂંટીને પી જવું. ભક્તિ વગર જ્ઞાન પ્રગટતું નથી. વાતે વડાં ન થાય. આત્મા જેટલે વળશે તેટલું કામ થશે. વિ. ૭૮૦]. ૨૬૩ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્ર–કલ્પનામાં પણ ન આવે એવી દશા છે. જીવને ક્ષણવાર પણ રાગદ્વેષ વગર રહેવાતું નથી અને આ નિરંતર રાગદ્વેષ વગર રહે છે. એ વંદનગ્ય છે. વીતરાગનું શરણુ લેવાનું કારણ આપણે એવા થવું છે. રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. આત્માની શુદ્ધતા તે મોક્ષ છે. નમસ્કાર કરવાથી આપણી વૃત્તિ ત્યાં જાય છે. | સર્વ જીવ પ્રત્યે સભાગભાઈને ઉપકાર કરવાની વૃત્તિ છે. કેઈન પણ આત્માને હિત થાય એવું કરે તે પરોપકાર કહેવાય. જેને આત્મા સિવાય બીજી ઈચ્છા નથી એવા ભાગભાઈ છે. માયાવાળે જીવ સારું સારું બીજાને દેખાડે, પણ સરલ જીવ તે મનમાં જેવું હોય તેવું કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy