SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ બેધામૃત એક વાક્યમાં જન્મમરણ છોડવાની વાત કહી છે. જ્યારે મરણ આવશે તેની ખબર નથી. મોટા તીર્થકર જેવા જેને મહા લબ્ધિઓ પ્રગટી હતી તે પણ આ દેહને રાખી શક્યા નથી, માટે વિશ્વાસ રાખવાયેગ્ય નથી. કાચની શીશીની પેઠે ફૂટી જાય એ આ દેહ છે. દેહથી જાણે જુદા રહીને લખ્યા હોય એવા શબ્દ છે. તે લક્ષ વાંચનારને રહે તે ઘણો લાભ થાય. આત્મા અસંગ છે અને આત્માને આ મનુષ્યદેહને સંબંધ થયે તે મોક્ષ સાધવામાં અનુપમ સાધન છે. “હું દેહથી ભિન્ન છું, અસંગ છું” એ અનુભવ પ્રાપ્ત કરીને જેવું સ્વરૂપ છે, તેવું પ્રગટ કરવું છે. તો જ મનુષ્યભવ સફળ છે. જન્મમરણથી જે થાક્યો તે પછી આ દેહની પંચાતમાં ન પડે. હું કેદખાનામાં પડ્યો છું એમ લાગે તે ફરી દેહ ન માગે. દેહ તે ચારે ગતિમાં છે, પણ મનુષ્યભવમાં મોક્ષ મળે એ વિશેષપણું રહ્યું છે. દેહનો સંબંધ છે પણ આત્મા તેથી ભિન્ન છે. આત્મસ્વરૂપ આત્મા છે. એ મનુષ્યભવમાં થઈ શકે તેવું છે. નિર્મોહીપણું કરી લેવું. આત્માનું એાળખાણ થયા વિના મેહ જાય નહીં. પિતાનું ખરું સ્વરૂપ અવ્યાબાધ છે તે સમજાય તે નિર્મોહી થવાય. આત્મા અધ, અભેદ્ય છે, અવ્યાબાધસ્વરૂપ છે, અસંગ છે. બીજા મેહના ભાવથી છૂટવું અને આત્મામાં સ્થિર થવું તે નિર્મોહીભાવ છે. “ઊપજે મોહવિકલ્પથી, સમરત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૯૫૪) એ મોહ જાય ત્યારે સંસાર જાય એવે છે. ભરતને વીંટીને વિચાર આવતાં થયું કે આ રાજ મારું નહીં, રાણીએ મારી નહીં. એમ બધા મોહભાવ છૂટી ગયા તે કેવળજ્ઞાન થયું. એક સમજણ અને બીજો પુરુષાર્થ કરવાનું છે. મુખ્ય તે ભાવ ફેરવવાના છે. જીવ જે પુરુષાર્થ કરે તે કર્મ બધાં તેડી નાખે. છૂટા થવું, નિર્મોહી થવું, અસંગ થવું, એ બધા એક જ ભાવે છે. પારકી વસ્તુઓમાં એટલો બધો ખેંચાય છે કે પિતાના ઘરમાં આવતું નથી. બીજા બધા ભાવે છૂટી જાય તે ફરી જન્મવું ન રહે. જેટલા અંશે સમભાવ તેટલા અંશે મોક્ષ પાસે આવે છે. સંપૂર્ણ સમભાવ ત્યારે સંપૂર્ણ મોક્ષ. એ કરવું દરેકના હાથમાં છે. જ્ઞાનીએ કહ્યું કે આત્મા અસંગ છે, નિર્મોહી છે અને સમભાવ એનું ઘર છે, ત્યાં ગયે છૂટકે છે. એમ થાય તે બીજામાં રાજી ન થાય. જેમ બને તેમ રાગદ્વેષ છોડી સમભાવમાં આવવું. એ માટે સામાયિક કરવાનું કહ્યું છે. જીવ કરવા માંડે તે થાય. થોડે થોડે કરવા માંડે તે થાય એવું છે. જ્ઞાની મોક્ષ આપણી પાસે લાવીને મૂકે છે; તમારી વારે વાર છે. જેટલે અંશે પુરુષાર્થ મોક્ષને અર્થે કરશે તેટલે સફળ થશે. મોક્ષે જવાય એવા ભાવથી જીવ અજાયે છે. બધાય ભાવે યથાર્થ થાય તો મોક્ષ થાય. જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ અનુભવ્યું. એ અસંગ સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થાય? તે કે વૈરાગ્ય આવે ત્યારે. એ પણ સત્સંગથી આવે. અસંગસ્વરૂપ અને નિર્મોહીપણું એ પિતાનું સ્વરૂપ છે. અત્યારે જીવ મેહનાં કારણે એકઠાં કરે છે. જ્ઞાનીને શું ગમે છે? એ વિચારી કરવાનું છે. જ્ઞાની જેવા કેઈ સુખી નથી. એ નિર્મોહીપણું છે. એ એમને સુખ આપે છે. મેહનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy