SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૬૭ “ કેવળ હેત અસંગ જે, બાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.” નિશ્ચયથી અસંગ જ છે, પણ પિતાનું ભાન હોય તે. જવને વૈરાગ્ય હોય અને બધું સ્વપ્ના જેવું લાગે ત્યારે સમજાય એવું છે. એ સમજવા માટે જ ભક્તિ, શા વગેરે સાધને કહ્યા છે. “ ત્યામ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યા વિરાગમ, તે ભૂલે નિજ ભાન. ” [વ. ૭૮૦] ૨૬૨ શ્રી. રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૪, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવની કૃપા સેભાગભાઈ ઉપર થઈ છે. એમને છેવટે ભાવ ન બગડે તે માટે આ પત્ર લખ્યો છે. માથે મરણ છે એમ જાણે આપણે સાંભળવાનું છે. કાનમાં પડે તો મહાભાગ્ય છે. રાગદ્વેષ એ જ સંસાર છે. એથી જે છૂટયા છે તે છૂટવાના છે. અગ્યારમેથી પાડી નાખે એવા રાગદ્વેષ છે. રાગદ્વેષરહિત એવા ભગવાનને નમસ્કાર કર્યા છે. આ મનુષ્યભવમાં જે રાગદ્વેષરહિત થવાનું ધ્યેય રહે તે નમસ્કાર કર્યા કહેવાય. જે રાગદ્વેષરહિત થયા તે ભગવાનમાં મારી વૃત્તિ રહે. જેટલા રાગદ્વેષ છૂટયા તેટલા પ્રમાણમાં શાંતિ થાય. સોભાગભાઈને આ પત્ર લખ્યો તેથી કૃપાળુદેવને રાગભાવ હતો એમ નથી, પણ એ જ ઉદય હતે. સૌભાગભાઈને પુણ્યને ઉદય હતે. શાસ્ત્રમાં વારંવાર હે ગૌતમ, ગૌતમ, એમ મહાવીરસ્વામી કહે છે, એમ આવે છે, તેથી કંઈ ભગવાનને રાગ હશે એમ નથી. સભાગભાઈને કેટલાં વિશેષણે આપ્યાં છે! પરમ ઉપકારી–બધા મુમુક્ષુઓને ઉપકારી હતા. બધાનું હિત કેમ થાય એમ ઈચ્છતા. જગતનું કલ્યાણ કેમ થાય એ જ લક્ષ હતો. કૃપાળુદેવને વારંવાર કહેતા કે તમે દીક્ષા લે તે ઘણુ નું કલ્યાણ થાય. એવી ભાવના એમને હતી. ઉપકાર કરતા અને આત્મા સિવાય બીજો લક્ષ નહે. બીજાને ઉપકાર કરતા અને પિતાને આત્માર્થ ભૂલી જતા એવા ભાગભાઈ ન હતા. દીક્ષા ઘણીવાર લીધી પણ કલ્યાણ થયું નહીં એમ પણ સમજતા હતા. આત્માથી હતા, સરલ હતા. નાના છોકરાની સાથે પણ ભળી જાય એવા સરલ હતા. પોતાના હૃદયમાં હોય તે કૃપાળુદેવને કહી દેતા. પિતાના મનની બધી વાત સરલભાવે કૃપાળુદેવને લખતા. ઘણા જીવને ઉપકારી હતા. સોભાગભાઈએ કૃપાળુદેવને લખેલું કે આંખે બરાબર દેખાતું નથી, પણ આત્મસિદ્ધિના અર્થ એકલશે તે હું વાંચીશ. બીજા વાંચે તે મને ઉલ્લાસ આવતું નથી. હું પોતે વાંચું તો ઉલલાસ આવે. તેથી કૃપાળુદેવે આત્મસિદ્ધિના અર્થ અને બીજા પણ પત્ર મોકલ્યા. કૃપાળુદેવ કરુણાળુ હતા, તેથી પૂરી કરુણા કરી છે. તે આત્મસિદ્ધિના અર્થ તથા પત્રો બધા મુમુક્ષુઓને વિચારવાયેગ્ય છે એમ સાથે લખ્યું છે. સભાગભાઈએ વૃદ્ધાવસ્થામાં આત્મસિદ્ધિ મેઢે કરી હતી. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy