________________
બેધામૃત ન રહે. કેઈ કાળે આત્મા દેહધારી નથી. ત્રણે કાળને વિષે દેહધારીપણું નથી. જ્યારે મોહરહિત થાય ત્યારે એને અનંત ભવ દેખાય, પણ તેમાં મારાપણું ન થાય. અખંડસ્વરૂપ પિતાનું છે. આત્મા જમે નહીં અને મરે નહીં. અવિનાશી આત્મા છે એવી દષ્ટિ જેની થઈ તેને “ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતે એવી અસર દા થાય પછી દેહની શી સગાઈ છે? એમ થાય. કેવલીને તે કેટલાય ભાવ દેખાય, પણ એ બધું એમને ભિન્ન ભાસે છે, તેથી મોહ થતું નથી.
કૃપાળુદેવને ભાગભાઈએ પત્ર લખ્યો હતો કે અઠવાડિયા પછી મારો દેડ છૂટી જશે. ઉત્તરમાં કૃપાળદેવ લખે છે કે એવા વિકપમાં પડવા જેવું નથી. ત્રણે કાળને વિષે આ દેહાદિથી સંબંધ નહોતે, તેને પછી મરણનો ભય શાનો હેય? જ્ઞાની તે વારંવાર એ જ કહે છે કે જેવું પિતાનું સ્વરૂપ છે તેવું ટકાવી રાખવું. એ જીવ ભૂલી જાય છે. આત્મા દેહ નથી. સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, વાણિયે કંઈ નથી. એ ભાવ છેડી નિજ વિચારમાં એટલે પોતાના આત્મવિચારમાં રહેવાગ્યા છે. બીજામાં દષ્ટિ દે ત્યાં મારું તારું, રાગદ્વેષ છે. આત્મવિચાર થાય ત્યાં નિવિક૯પતા છે.
પ્રશ્ન-સર્વ અન્યભાવથી આત્મા રહિત છે એટલે શું ?
પૂજ્યશ્રી–અન્યભાવ એટલે વિભાવભાવથી આત્મા રહિત છે. વિભાવ બે પ્રકાર છે (૧) જડનો સ્વભાવ રૂપ, રસ, ગંધ, પશે છે તે વિભાવભાવ છે. (૨) બીજા જે રાગદ્વેષ છે તે પણ વિભાવ છે. પરને પિતાનું માને, સ્વભાવને મૂકીને બીજું કરે એ ભૂલ છે. સ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે.
પ્રશ્ન–બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું એટલે શું ?
પૂજ્યશ્રી- બારમા સિવાય બીજા જે જડ પદાર્થો છે તે બધાથી અસંગપણું. અન્યના આત્માથી પણ અસંગપણું,
પ્રશ્ન–ક્ષેત્રથી અને કાળથી અસંગાપણું એટલે શું?
પૂજ્યશ્રી–હું આકાશમાં રહું છું, ઘરમાં રહું છું, દેહમાં રહું છું એ ભાવ ન થાય તે ક્ષેત્રથી અસંગાપણું છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે, તે આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. કાળથી અસગપણું એટલે પર્યાય અવસ્થા થાય છે, તેથી અસંગ પણું. અસંગ અને અપ્રતિબદ્ધ એ આત્માનું સ્વરૂપ છે. બીજું થાય છે તે પોતાનું સ્વરૂપ નથી.
પ્રશ્ન-અટળ અનુ ભવસ્વરૂપ એટલે શું ?
પૂજ્યશ્રી-અટળ એટલે બધાને બાદ કરતાં કરતાં જે રહે તે અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં બા ! તે અવાશે? આત્મા ન મુકાય જ્યારથી પિતાનું સ્વરૂપ શિન ભાસ્યું ત્યારથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ. પણ હવે ન થવા દેવી. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. કપરાથી જીવ માને છે કે હું જપે, હું મૂએ, પશુ એમા કદી જન્મતેય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ અસંગપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org