________________
વથનામૃત-વિવેચન લાગે. અંબાલાલભાઈને કૃપાળુદેવે સાયલે જવા લખ્યું હતું. અંબાલાલ મોડા પહોંચ્યા તેથી
ગ્ય મુમુક્ષુ' એટલે ડુંગરસીભાઈ પાસે પત્ર વંચાવ્યો હશે. ઉપરના કાવ્યમાં જે જાગ્રતદશા, અનુભવ ઉત્સાહદશા અને સ્થિતિદશા કહી તે બધાને સાર હવે કૃપાળુદેવ ટુંકામાં લખે છે.
જડના ભાવ અને ચેતનના ભાવ જુદા છે. પુદ્ગલના રૂપ આદિ ગુણ છે તેથી આમાં જુદે છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા સર્વથી ભિન્ન છે. અસંગ છે. અન્ય દ્રવ્યના પર્યાયણી પણ આત્મા ભિન્ન છે. પિતાનું અસંગસ્વરૂપે પ્રગટ છે તેને અનુભવે છે તે મુક્ત છે. ગુણસ્થાનકે પિતાનું અસંગસ્વરૂપ સમજાય છે તે પ્રતીતિરૂપ છે અને તેરમે ગુણસ્થાનકે પિતાનું અસંગસ્વરૂપ પ્રગટે છે. બધાં ગુણસ્થાનક કહ્યાં છે તે મોહ અને ગની અપેક્ષાએ છે. ચૌદમે આત્મા સર્વથા અસંગ થાય છે. ચોથા ગુણસ્થાનકથી મુક્તપણાની શરૂઆત થાય છે.
કઈ પણ વસ્તુને ઓળખવા માટે સાધનચતુષ્ટય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારથી વસ્તુ ઓળખાય છે. એથી વસ્તુ ખ્યાલમાં આવે. (૧) દ્રવ્યથી અસંગપાનું એટલે બીજાં પરદ્રવ્યને પિતાના ન માને. (૨) ક્ષેત્રથી અસંગપણું એટલે આકાશમાં હોય પણ તેને પોતાનું ક્ષેત્ર માનતા નથી. પોતાના અસંખ્યાત પ્રદેશમાં જ આત્મા રહેલે છે. એ જ એનું ક્ષેત્ર છે. (૩) કાળથી અસંગપણું એટલે એક સમયે જે પિતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ રહેવાનું છે. (૪) ભાવથી અસંગપણું એટલે શુદ્ધચૈતન્યસ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતાદેછા રહે છે. એમ સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મુક્તભાવમાં મિક્ષ છે. એમ કૃપાળુદેવે હાથોંધ ૧-૭માં લખ્યું છે.
જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ એને મુક્તદશા છે. પછી બધી અવસ્થા કરે છે. ચેથેથી માંડી મુક્તદશા વર્તે છે. મિથાવથી મુકાય તેટલે એ મુક્ત થયે, ચારિત્રમેહથી મુકાય એ પણ મુક્ત થયે, જ્ઞાનાવરણીયથી મુકાય એ પણ મુક્ત થયે, યેગથી મુકાય ત્યારે સંપૂર્ણ મુક્ત થયે. જેને પોતાનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે, તેને બીજાની સાથે કામ નથી. તેથી એ બોલે તે મૌન છે. “i aif gra i writત જાણ” જેને આત્મજ્ઞાન પાસે છે, તેને મૌનપણું પણ પાસે છે. એ મૌનદશા કહી તેમાં ખરી રીતે તે જ્ઞાનદશા છે. મૂળ ધાતુ મુ એટલે જાણવું. તે પરથી મૌન થયું છે. યશોવિજયજીએ જ્ઞાનસારમાં “મૌનાષ્ટક” લખ્યું છે ત્યાં મૌનનો અર્થ જાણવું જ કર્યો છે. એ શાસ્ત્રીય અર્થ છે. સાધારણ તે ન બેલવું તે મૌન છે. “આતમજ્ઞાન ત્યાં મુનિ પણું” એમ કહ્યું છે. જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે, જ્ઞાની છે. “તે સાચા ગુરુ હોય.” તે પુરુષને પ્રતિબંધ, રાગ કંઈ નથી. બધા સંગની વચ્ચે રહેવા છતાં અસંગ છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે. આ બધી વાત કરવાની નથી. જાગી ગયા ત્યારથી જુઠી દશા છે. મિથ્યાત્વદશા અને સમ્યક્ત્વદશામાં આભ જમીનને ફેર છે. અહંભાવ મમત્વભાવ ગયે સમ્યકત્વ થાય. વિરલા જ સમ્યગ્દર્શન પામે છે.
જે મહાપુરુષને વ્યવહારની દષ્ટિ ઊઠી, તેને પછી આત્મા જન્મ, મર્યો એ લક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org