________________
બધામૃત
સમયસાર નાટક”માંથી આ કાવ્ય લખ્યાં છે. સ્વભાવ જાગૃતદશા એટલે જ્યારે આત્માને જ્ઞાન જાગૃતિ થાય ત્યારે પોતાનું સ્વરૂપ જુદું ભાસે છે.
ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન;
બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ” એ દશાનું સ્વરૂપ આ પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે.
ચિત્રસારી એટલે ચિત્રશાળા અથવા ચિત્રવાળી સૂવાની જગ્યા. એ સૂવાની જગ્યા તે જુદી છે. એમાં પલંગ છે તે પણ જુદે છે. પુરુષની પથારી પણ જુદી છે. ચાદર પણ ન્યારી છે. એ “હું છું” એમ માને એ જૂઠી સ્થાપના છે. એારડે હું, પલંગ હું, પથારી હું, ચાદર હું એમ માનવું તે જૂઠી સ્થાપના છે. તેમ શરીર, કુટુંબ, કપડાં, સંકલ્પવિકલ્પ મારાં એમ કહે છે, કરે છે, તે બધું ખોટું છે. એ જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે જુદું જુએ છે. જાગૃત, સ્વપ્ન, નિદ્રા એ દશાએથી આત્મા જુદે છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” પળવાર પણ એવી અવસ્થામાં ટકવું નથી. રાગદ્વેષ કરવારૂપ શ્વાસને ઘોર, વિષયની દડધામરૂપ સ્વપ્ન એ નિદ્રારૂપ અજ્ઞાનદશાના સંગથી હતાં પણ હવે જાગ્યા તેથી આત્મારૂપ દર્પણમાં મારું અનંતગુણયુક્ત સર્વાગ સ્વરૂપ દેખાય છે. એવી રીતે અચેતનભાવ ત્યાગીને ખરે સાધુ થયે. પહેલાં દેહને સંભાળતો હતો તે હવે મારા આત્માની સંભાળ લઉં છું. મિથ્યાદષ્ટિ હતું ત્યારે દેહાદિ અચેતનરૂપ પિતાને માનતે હો, હવે સમ્યગ્દષ્ટિ થયે તેથી આત્મારૂપ પિતાને માનવા લાગ્યો. દષ્ટિ ફરી તેથી હવે જાગે.
હવે અનુભવ ઉત્સાહદશા કહે છે–નિશ્ચયનયથી પરમાત્મા સાથે અભેદરૂપ સિદ્ધસમાન મારું સ્વરૂપ અનાદિથી જે અવ્યક્ત હતું, તે અભેદસ્વરૂપ હવે વ્યક્ત પ્રગટ થયું. તે કર્મ રહિત અને સુખશાંતિ સહિત દેખાય છે—અનુભવમાં આવે છે. એ મારું મિક્ષસ્થાન પ્રાપ્ત થયું તેથી હવે સંસારમાં જન્મમરણ કરવારૂપે હું બહાર નહીં જાઉં. મારું શુદ્ધસ્વરૂપ જે અનુભવાય છે, તેને મૂકીને રાગદ્વેષ સહિત હવે દેહાદિ પરને મારારૂપે ગ્રહણ નહીં કરું. આત્માનું સ્વરૂપ પહેલાં પણ તેવું જ હતું, પણ વર્તમાનમાં તેનું ભાન થયું. હવે એ રૂપે જ અનંતકાળ સુધી રહેશે. અર્થાત્ હવે સ્વરૂપપરિણતિ થઈ તેને ત્રિકાળ છોડીશ નહીં. અશ્વાનસાન એટલે નિમલજ્ઞાન જે પ્રગટ થયું તે ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. મલવાળું થશે નહીં.
હવે સ્થિતિદશા કહે છે–એક પરિણામના બે કર્તા ન હોય. એક દ્રવ્ય હેય તે બે પરિણામ ધરે નહીં. એક ક્રિયા બે દ્રવ્ય ન કરે. બે ક્રિયાને એક દ્રવ્ય ન કરે. જીવ અને પુદ્ગલ એક જ ક્ષેત્રમાં રહેવા છતાં જડ તે જડ ને ચેતન તે ચેતન છે. બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન છે તેથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે. જડ કે ચેતન કેઈને નાશ ન થાય. પિતાને સ્વભાવ છેડી એકબીજામાં ભળી ન જાય. આ ત્રીજા કાવ્યને કૃપાળુદેવે એક પત્રમાં લાંબે ખુલાસે લખ્યો છે. (૩૧).
ભાગભાઇને માંદગી વખતે વંચાતું નહોતું. તેથી કઈ વાંચી સંભળાવે તે ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org