________________
૩૩૧
વચનામૃત-વિવેચન જ પડે. વધુ કાળ હોય તો કરે કે ન પણ કરે. અહીં નવતત્વની વાત પૂર્ણ થઈ. હવે બાકીની ૨૦ ગાથા ચૂલિકારૂપ છે.
૧૫૪. જીવને સ્વભાવ જ્ઞાનદર્શન સ્વરૂપ છે. જ્ઞાનને તદ્દન ઘાત કરે એવું કોઈ કમ નથી. સંપૂર્ણજ્ઞાન અવરાઈ ન જાય. જ્ઞાનદર્શન સંપૂર્ણ પ્રગટે ત્યારપછી આવરણ ન થાય. જ્ઞાનદર્શન પિતાનું સ્વરૂપ છે.
- ૧૫૫. જેમ પાણીમાં બીજી વસ્તુઓ આવવાથી મલિન દેખાય છે, છતાં પાણી તે પાણીરૂપે જ રહે છે તેમ આત્માને સ્વભાવ તે નિર્મલ છે. પોતાના સ્વભાવમાં રહે તે મુક્ત થાય. “સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું” (ઉ. છા. ૫). સમ્યગ્દર્શનથી પિતાનો સ્વભાવ પ્રગટે, પછી સંવરનિર્જ કરતે જીવ કર્મબંધથી મુક્ત થાય છે.
૧૫૬ પરને લઈને શુભાશુભ ભાવ થાય છે અને તેથી કર્મ બંધાય છે. સ્વભાવમાં જીવ રહે તે મોક્ષ થાય. શુભાશુભભાવ તે સંસાર છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મક્ષસ્વભાવ.” શુભાશુભમાં ચારિત્રથી ભ્રષ્ટ છે. ચારિત્ર એટલે સ્થિરતા. સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર આવે છે. ચારિત્ર આવે પછી સાધુને સિદ્ધદશાનું જ ચિત્ત પ્રવર્તે છે. કથી ઉમે અને ૭મેથી દડે એમ થયા કરે, પછી બળ વધે ત્યારે એણે માંડે. શુભાશુભભાવ છે તે ચારિત્રથી ભ્રષ્ટતા છે. ચારિત્રના ઘણું ભેદ છે. આ વાત કરી તે નિશ્ચયનયની છે.
૧૫૭. ધર્મક્રિયામાં જેટલે અંશે રાગ તેટલે અંશે પુણ્ય, જેટલા અંશે વીતરાગભાવ તેટલા અંશે નિર્જરા જ્ઞાની છે તે સ્વરૂપસ્થિરતા માટે બને તેટલે ઉદ્યમ કરે છે. જેનું ફળ પુણ્ય કે પાપ આવ તે પરચરિત્ર છે.
૧૫૮. જે અસંગ થયા છે, મારું જગતમાં કશુંયે નથી એવું જેને થયું છે, જેને સ્વભાવ જાણવા–દેખવાને છે તે સ્વચારિત્ર આચારનાર જીવ છે.
૧૫૯. પિતાના સ્વરૂપમાં પોતાના ગુણપર્યાયને અનુભવ કરવો તે જ સ્વસમય, સ્વચારિત્ર, સંયમ, તપ, ધ્યાન બધું એક છે. સ્વચારિત્રમાં આવવા નિશ્ચયનયની પ્રધાનતા કરવી પડે, વ્યવહારનય ગૌણ કરે પડે. “સર્વ જીવ છે સિદ્ધસમ” એ દષ્ટિથી જુએ તે કોના પર રાગ અને કોના પર દ્વેષ? હું શુદ્ધ છું. પરને જવાનું બંધ કરે તો પોતામાં સ્થિર થાય. સ્વસમય તે જ મોક્ષમાર્ગ છે.
૧૬૦. વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમત.” જે વ્યવહારથી નિશ્ચયમાં પહોંચાય તે ખરો વ્યવહાર છે. વ્યવહાર સાચો હોય પરંતુ તે દ્વારા હેતુ સધાય તે સફળ, નહીં તે નિષ્ફળ કહેવાય. વ્યવહાર સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર મનવચનકાયાની પ્રવૃત્તિને આધીન છે, સાધન છે. સાથે નિશ્ચયમોક્ષમાર્ગ છે.
૧૬. વ્યવહાર રત્નત્રયને આધારે આત્મામાં સ્થિરતા કરે ત્યાં નિશ્ચયમોક્ષમાર્ગ છે.
૧૬૨. સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપ આદિ બધા ગુણે આત્મામાં રહે છે, બહાર નથી.
૧૬૩. સમ્યગ્દર્શન આદિનું સ્વરૂપ જાણી જીવ સમાધાન પામે છે. આત્મભાવમાં રહે તે સમાધિ છે. શમસંવેગાદિ ગુણે પણ સમ્યગ્દર્શન વિના બોજારૂપ છે, સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org