________________
૩૩૦
બેધામૃત ધ્યાન કરે અને પાપકાને ધર્મ માને તે વિશેષ પાપ બંધ.
૧૪૧. એ બધાને જીતવાનો પ્રયત્ન કરે તે પાપ-આસવ રોકાય તે સંવત છે. વિષય, કષાય અને સંજ્ઞા એ શત્રુઓ છે એ જીતાશે તે લાભ થશે.
૧૪૨. જે વસ્તુને યથાર્થ જાણે છે અને જે રાગદ્વેષ નથી કરતા તે મહાપુરુષને શુભાશુભ અસવ રોકવારૂપ સંવર થાય છે.
૧૪૩. મનવચનકાયાની પ્રવૃત્તિ રોકે, પાપમાં કે પુણ્યમાં ન પ્રવર્તાવે તેને સંવર
થાય છે.
૧૪૪. મનવચનકાયાના વેગને રોકી તપ કરે તેને નવાં કમ ન બંધાય અને ઘણી નિર્જરા થાય છે.
૧૪૫. જેને રાગદ્વેષ મોહ નથી તેને સંવર થાય છે. પછી આત્મધ્યાનમાં લીનતા થાય ત્યારે ઘણુ કમની નિર્જરા કરે છે.
૧૪૬. રાગદ્વેષ દૂર થયા વિના આત્મધ્યાન ન થાય. સાથે માન્યતા સાચી જોઈએ. જે ન હોય તેને જીવ માની બેસે છે. હું કાઉસગ કરું છું, ધ્યાન કરું છું, પણ શું કર્યું ? ઉપગ પરમાં છે. પિતાના સ્વરૂપનું ભાન ઓળખાણ નથી. સમક્તિ નથી ત્યાં ખરી સમાધિ નથી. મનવચનકાયાની બાહ્યપ્રવૃત્તિને રોકીને અગ્નિશિખાની જેમ જ્ઞાનમાં સ્થિર થવું તે ધ્યાન છે. જ્યાં શુદ્ધભાવ છે એવા પંચપરમેષ્ઠિમાં ભાવ રાખવાના છે. ધ્યાન એટલે આત્મા સ્થિર થાય તે. “શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ.”
૧૪. ઉદયગત કર્મ અનુસાર રક્ત થઈને જીવ જે શુભાશુભ ભાવને કરે છે, તે વડે તે વિવિધ કમપુદ્ગલથી બંધાય છે.
૧૪૮. યોગ નિમિત્તે કમ ગ્રહણ થાય છે અને ભાવનિમિત્તે બંધાય છે. અહીં મનવચનકાયાના વ્યાપારથી આત્માના પ્રદેશનું ચલાયમાન થવું તે યોગ છે અને રાગદ્વેષમહયુક્ત આત્માનાં પરિણામ તે ભાવ છે.
૧૪૯. ઉદયાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આઠ પ્રકારના કમ બાંધવાના પ્રત્યય છે, તેમાં પણ આત્માના રાગાદિ ભાવ હેતુ છે, કેમકે રાગાદિના અભાવમાં પ્રત્યયો બાંધી શકતા નથી.
૧૫૦. હેતુના અભાવમાં નિયમથી જ્ઞાનીને આસવનિરોધ થાય છે અને આસવનિરોધથી કર્મોને નિરોધ થાય છે.
૧૫૧. જ્યારે કર્મોના અભાવથી આત્મા સર્વજ્ઞ અને સર્વલકદશ થાય છે, ત્યારે ઈન્દ્રિયાતીત અનંત અવ્યાબાધ સુખને પામે છે.
૧૫૨. દર્શનજ્ઞાન–ઉપગથી ભરપૂર આત્મા અસંગ છે એવું ધ્યાન જ્યારે થાય ત્યારે આત્મસ્થિરતા થાય છે.
૧૫૩. સંવર થાય તે જ નિર્જરા થાય. ભાવમક્ષ ૧૩મે અને દ્રવ્યમોક્ષ ૧૪મે થાય. કેવળજ્ઞાન થયા પછી છ મહિનાની અંદર મોક્ષે જવાના હોય તો સમુદુઘાત કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org