________________
વચનામૃત-વિવેચન ૯૬. ધર્મ અધર્મ કાકાશમાં વ્યાપીને રહ્યાં છે. નિશ્ચયથી દરેક પિતાપિતાની સત્તામાં રહ્યાં છે.
૯૭. રૂપ રસ ગંધ સ્પર્શ જેમાં હોય તે મૂર્ત છે, બાકી અમૂર્ત છે.
૯૮. જીવ સ્વભાવથી નિષ્ક્રિય છે પરંતુ પુદ્ગલના સંબંધથી ક્રિયાવાન થાય છે. ૧૩માના અંત સુધી વેગનું ચલાયમાનપણું છે, તેથી આત્માના પ્રદેશ કંપે છે. કર્મસહિત જીવ પુદ્ગલને પણ ચલાવે છે. કાળના નિમિત્તે જીવ અને પુદ્ગલ કિયા કરે છે.
૯. સૂમ પુદ્ગલમાં પણ શક્તિ છે કે તે સ્થૂલતાને ધારણ કરે તે ઈન્દ્રિયગ્રાહ્ય થઈ શકે. પુદ્ગલ સિવાય બાકીનાં દ્રવ્ય અમૂર્ત છે. ચેતના ગુણ જીવમાં જ છે. બાકીનાં જડ, અચેતન છે.
૧૦૦. નિશ્ચયથી કાલદ્રવ્ય છે, તેના સમય સમય પર્યાય થાય છે. જે જીવ અને પુદ્ગલના પરિણમનથી જણાય છે, તે વ્યવહારકાલ છે.
૧૦૧. મૂળ પર્યાય એક સમય. સમયને સમૂહ તે સ્થૂલકાળ આવવી વગેરે છે. કાલ દ્રવ્ય નિત્ય છે. પર્યાય એક એક સમયવર્તી છે અને સ્થૂલ પર્યાય લાંબા છે.
૧૦૨. પાંચ દ્રવ્યે અસ્તિકાય કહેવાય છે અને કાળદ્રવ્ય અસ્તિ છે પણ કાનથી, કારણ કે એના અણુઓ જુદા જુદા છે, તેથી અસ્તિકાય કહેવાતું નથી.
૧૦૩, બધું રાગદ્વેષ ઓછા કરવા જાણવું છે. છ દ્રવ્યોને વિચાર કરે તે કાલ આદિમાં મારાપણું ન થાય. ભગવાનનાં વચને રાગદ્વેષ ઓછા કરવા સાંભળવાનાં છે.
૧૦૪. જે એ લક્ષ રાખે છે તે મોક્ષે જાય છે. અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે પણ હવે રાગદ્વેષ ન કરે તે મોક્ષે જાય.
અહીં પદ્રવ્ય-પંચાસ્તિકાયના વર્ણનરૂપ પહેલે અધ્યાય પૂર્ણ થશે. હવે બીજે - અધ્યાય નવપદાર્થના વર્ણનરૂપ કહે છે.
૧૦૫. ભગવાન મહાવીરને મસ્તક નમાવી નવતત્વરૂપે જીવના પ્રભેદ કહે છે.
૧૦૬. ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય અને ભગવાનનું કહેલું તત્ત્વ જે જાણતો - હાય અને વિષયે પ્રત્યે જેને ઉદાસીનતા હોય તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. મનવચન.
કાયાની ક્રિયા તે વાસ્તવ્ય ચરિત્ર નથી. રાગદ્વેષ રહિત સમતારૂપ આત્માના સ્વરૂપમાં * ઝળકવું તે ચારિત્ર છે. કષાય રહિત તે ૧૨મેથી છે, પરંતુ તે પહેલાં પણ કષાયને ઉદય થાય તેને આત્મા તરફ લક્ષ રાખીને શમાવે છે તે ચારિત્ર છે.
૧૦૭. આત્મપ્રતીતિ તે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મસ્થિરતા તે સમ્યક્ઝારિત્ર.
૧૦૮. મોક્ષમાર્ગમાં આ નવ તત્ત્વ જાણવા પ્રજનભૂત છે.
૧૦૯. પહેલા તત્વમાં જીવ છે, તે બે પ્રકારના-સંસારી અને સિદ્ધ. અને ચૈતન્ય લક્ષણ છે. સંસારી જીવ શરીર સહિત અને સિદ્ધ જીવ શરીર રહિત છે.
૧૧૦. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેની કાયા છે તે પૃથ્વીકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org