SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ બધામૃત થાય. વસ્તુને સ્વભાવ હોય તે જીવને પુરુષાર્થ કામ આવે. ૮૨. પુદ્ગલ સ્કંધની મુખ્ય ૫ વર્ગણ છે (૧) આહારક વર્ગણાથી દારિક, વિક્રિયિક અને આહારક શરીર બને, (૨) કામણવર્ગણાથી કાર્પણ શરીર બને, (૩) તિજસ વર્ગણાથી તૈજસશરીર બને, (૪) ભાષાવર્ગણાથી અવાજ બને, (૫) મનવગણાથી મનની રચના અને છે. રાગદ્વેષરૂપ વિભાવ અવસ્થા છે તે પુદ્ગલને કારણે છે. પુદ્ગલને સંબંધ છૂટવાથી સિદ્ધમાં તે નથી. આત્માને શુદ્ધ સ્વભાવ પુદ્ગલની રચનામાં ગુપ્ત રહ્યો છે, તેને ભિન્ન કરે. ગુરુના વિશ્વાસે મનન કરતાં વસ્તુ હાથ લાગે છે. ૮૩. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે ને સાથે જ છે. ધર્માસ્તિકાય ગતિમાં નિમિત્તરૂપ છે. એ કંઈ પરાણે ચલાવે નહીં, પણ જે ચાલે તેને ચાલવામાં સહકાર કરે. એ વિના કેઈ ગમન કરી શકે નહીં. સિદ્ધ ભગવાન પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગયા. ૮૪. દ્રવ્યને પિતાના ગુણમાં સ્થિર રાખે તે અગુરુલઘુ ગુણ છે. ૮૫. ગતિ કરનારા પ્રત્યે જીવ અને પુદ્ગલ છે. ૮૬. ગતિમાનને સ્થિર થવામાં અધમસ્તિકાય સહાયક છે. ૮૭. લેકનું માપ એ બે અચળ દ્રવ્યથી થયું છે. તે વિના લોક પરિમિત ન બને. ૮૮. ધર્મ અધર્મ જડ હોવાથી અત્યંત ઉદાસીન છે. (પવન ધજાને હલાવે છે તેમાં પવન પ્રેરક છે.) સ્થિર પાણીમાં માછલાં હાલે ચાલે તેમાં પાણી ઉદાસીન કારણ છે. માછલાં પિતાના ઉપાદાન કારણથી ચાલે છે. ૮૯. જેની ગમનક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે, તેથી જીવપુદ્ગલ પોતપોતાના પરિણામો વડે જ ગતિસ્થિતિને કરે છે. તેમાં ધર્મ અધર્મ એ બે દ્રવ્ય ઉદાસીન સહકારી કારણે છે. ૯૦. અનંત અનંત જીવો છે, તે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આકાશ સર્વ જીવોને અને બીજાં દ્રવ્યને અવકાશ આપે છે. ૯૧. લેકાકાશમાં બધાં દ્રવ્યું છે. ચારે તરફ અલકાકાશ અને વચમાં કાકાશ છે. જ્યાં બીજા દ્રવ્ય નથી તે અલકાકાશ અનંત છે. આકાશનું કામ અવકાશ આપવાનું છે. જેમાં છ દ્રવ્ય રહ્યાં છે તે લેક છે. યે દ્રવ્યો આપણામાં છે. ૯૨. અલકાકાશમાં ગતિ નથી. ત્યાં ધર્મ અધર્મ દ્રવ્યો નથી. ૭. તેથી સિદ્ધભગવાન લેકના અગ્રભાગે રહ્યા છે. ગમનનું કારણ આકાશ હોત તે સિદ્ધભગવાન ઉદર્વગમન સ્વભાવવાળા હોવાથી અલેકમાં પણ ગમન કરત. ૯૪. જે ગમન તથા સ્થિતિનું કારણ આકાશ હોત તો કાકાશ વધી જાય. ૫. તેથી ધર્મદ્રવ્ય ગમનનું કારણ છે અને અધર્મદ્રવ્ય સ્થિતિનું કારણ છે, એમ સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનથી જાણીને ઉપદેશ્ય છે. તે આગમ અને અનુમાનથી વિચારતાં જણાય છે. “વરતુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy