SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩રપ ફળ આપે છે. ૬૮, આત્માને સ્વભાવ વેદક છે. તેને લઈને કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે. ૬૯. જીવ પુદ્ગલને નિમિત્તે રાગદ્વેષ કરી પરિભ્રમણ કરે છે. ૭૦. મિથ્યાત્વમેહને ઉપશમ અથવા ક્ષય થવાથી વીતરાગકૃત સમજાય છે. ઉપશમભાવ, ક્ષાવિકભાવ અને પરિણામિકભાવ એ મેક્ષનાં કારણ છે. યોપશમ સવળો વપરાય તો મોક્ષનું કારણ થાય છે. ૭૧-૭૨. અનેક પ્રકારે આમ જીવનું વર્ણન કર્યું છે. ૭૩. બંધમાં ચાર વરતુ છેઃ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ ચારેથી મુક્ત થાય ત્યારે જીવ સીધી ગતિથી ઉદર્વગમન કરે છે. બીજે દેહ ધારણ કરવા જાય ત્યારે પણ જીવ ગગનશ્રેણી અનુસાર ઉપર નીચે અને ચાર દિશામાં ગમન કરે છે. ૭૪. હવે પુદ્ગલદ્રવ્યનું વિશેષ વર્ણન કરે છે. તેના ચાર ભેદ છે. ૭૫. આખી વસ્તુ તે સ્કંધ, તેથી એ છો તે અંધદેશ, અર્ધથી એ છો તે સકંધપ્રદેશ અને અવિભાગી તે પરમાણુ. ૭૬. પરમાણુના મળવા-છૂટવાથી એમ પુદ્ગલ અનંતભેદે પરિણમે છે. તેના સ્કૂલસ્થૂલ આદિ છ ભેદ છે. આ સંસારરૂપી નાટકશાળામાં આ રૂપરસગંધપર્શ શબ્દવાળાં પુદ્ગલો નાચે છે. મહિને લઈને, કર્મને લઈને આત્મા પણ નાચે છે. કર્મરહિત આત્મા કંઈ કરતો નથી, ૭૭. પરમાણુ છે તે ભાષાવર્ગણાના ક થઈ ને શબ્દના તરંગો ઉત્પન્ન કરે છે તેથી શબ્દ સંભળાય છે. ૭૮, પરમાણુ સકંધ થવાથી મૂત બને છે અને શબ્દનું કારણ બને છે. એક હોય ત્યારે ઇન્દ્રિયગોચર થતું નથી અને અશબ્દ છે. ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પરમાણુઓ મળવાથી બને છે. ૭૯. સ્થૂળ છે અથડાય ત્યારે શબ્દ ભાષાવર્ગણાના તરંગરૂપ બને છે. તે વગણ પરમાણુના કંધરૂપે હોય છે. તે દ્વારા શબ્દ સર્વત્ર ફેલાય છે. ૮૦. એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ કંધપણે રહી શકે છતાં તે પરમાણુને બાધ ન આવે. ખરો અવકાશ તો તે પિતાના ગુણેને જ આપે છે. સ્કંધમાંથી છૂટવાનો વખત આવે ત્યારે તેમાંથી નીકળી જાય તેથી કંધના ખંડનું અથવા ભેદનું કારણ છે. ભેદ અને સંઘાતથી અંધ ઉપજે છે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે. સૂર્ય ચંદ્રની ગતિ આદિથી કાળ મપાય છે. જીવને ભ્રમ છે કે પુદ્ગલે મને પકડ્યો છે, પરંતુ ખરી રીતે જીવે પુદ્ગલને પકડયું છે. છેડે તે છૂટે. ૮૧. કંધમાં તફાવત હોય છે, ત્યાં તેને કરનાર પરમાણુના ગુણેના પર્યાયમાં ફેર હોય છે. જેમ કે ભેંસનું દૂધ, ગાયનું દૂધ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું નિમિત્ત પામીને પુદગલના વર્ણાદિ ફરે છે. જેમકે ઘઉં અમુક ક્ષેત્રે, અમુક મસમમાં અમુક દ્રવ્ય મળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy