SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ વચનામૃત-વિવેચન બનવાનું પણ તેમને કંઈ પ્રયજન નથી. દ્રવ્યથી દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. “તું છે મોક્ષસ્વરૂપ.” ૩૭. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત, પર્યાયની અપેક્ષાએ અશાશ્વત, સ્વભાવે પરિણમે તેથી ભવ્ય, અતીત મિથ્યાત્વ રાગાદિરૂપે ન પરિણમે તેથી અભવ્ય, પિતાના સ્વરૂપથી અશૂન્ય, પરસ્વરૂપ નથી તેથી શૂન્ય, કેવલજ્ઞાન હેવાથી વિજ્ઞાન અને મતિ શ્રત આદિ જવાથી વિજ્ઞાન એ ભાવે સહિત હેવાથી સિદ્ધજીવનું અસ્તિત્વ છે. ૩૮. ચેતના ત્રણ પ્રકારે-જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફલચેતના. ૩૯. સ્થાવર છ મુખ્યપણે કર્મ ભેગવે છે તેથી તેમને મુખ્ય કર્મફતચેતના છે, ત્રસ જીવ મુખ્યપણે કર્મચેતના વેદે છે. સિદ્ધ ભગવાન જ્ઞાનચેતના જ વેદે છે. ૪૦. ઉપયોગના બે ભેદ છે. વસ્તુને સામાન્યપણે જાણે તે દર્શન ઉપગ અને વિશેષપણે જાણે તે જ્ઞાનઉપયોગ. એ બને ઉપગ જીવ માત્રને હોય છે. પૂજ્યશ્રી—આ કોની વાત ચાલે છે? આપણી. કેઈક જીવની નથી. જ્ઞાનદર્શન એ આપણું ધન છે ૪૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ, કુમતિ, કુશ્રુત અને વિભંગ એ જ્ઞાનના આઠ પ્રકાર છે. આત્માને સમજવા માટે ભેદ પાડ્યા છે. જ્ઞાનેપગ અને દશને પગ એ બન્ને સાથે જ છે. ૪૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ દર્શન ચાર પ્રકાર છે. પ્રથમ સમયે દશન, બીજે સમયે જ્ઞાન, એમ સાથે જ છે. ૪૩. જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ. જુદા નથી. ૪૪. સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. જુદા માને તે અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હોય તેથી દ્રવ્યને અભાવ થાય. ૪૫. ગુણ અને દ્રવ્યમાં નામ વગેરેથી ભેદ છે પરંતુ પ્રદેશભેદ નથી. ૪૬. ગુણ ઘણા છે, દ્રવ્ય એક છે. ગુણ ભિન્ન ભિન્ન વિષયવાળા છે. જ્ઞાન જાણવાનું કામ કરે, દર્શન દેખવાનું કામ કરે, ચારિત્ર સ્થિરતા કરાવે છે. એમ દરેક ગુણ જુદા જુદા કહેવાય છે. ૪૭. આત્મ જ્ઞાનવંત કહેવાય છે પણ તે અભેદ અપેક્ષાએ છે. ધનવંત એવું નામ છે તે ભેદ અપેક્ષાએ છે. ૪૮. જ્ઞાનથી આત્મા ભિન્ન નથી. જ્ઞાન ભિન્ન થાય તે આત્મા જડ થાય અને જ્ઞાન પણ જડ થઈ જાય. ૪૯ જ્ઞાન અને આત્મા જુદા હતા પછી સંયોગસંબંધ થયો એમ નથી. કારણ તે પહેલાં અજ્ઞાન અને આત્મા એક થતાં જડભાવને પ્રસંગ આવે. જ્ઞાન આત્મામાં છે. આવરણું ખસે ત્યારે પ્રકાશે. બહારથી આવતું નથી. ૫૦. ગુણગુણીના અભેદને સમવાય સંબંધ કહે છે. એક હોય ત્યાં બીજું હોય જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy