SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૨૧ ૨૧. ભાવ એટલે વસ્તુનું હોવાપણું, વસ્તુનું ન હોવાપણું તે અભાવ, ભાવાભાવ એટલે જે અવસ્થા છે તેને અભાવ થ અને અભાવભાવ એટલે પહેલાં જે અવસ્થા નહોતી તે પ્રગટ થવી. એમ સંસારમાં જીવની અવસ્થા ફરે છે. ૨૨. છ દ્રવ્ય કઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. એ છ દ્રવ્યોનો સમૂહ તે લેક છે. જેમાં એકથી વધુ પ્રદેશ હોય તે અસ્તિકાય, પરમાણુ સ્કંધ થવાની અપેક્ષાએ કાય છે. કાલ એક પ્રદેશી છે તેમાં અન્ય સાથે મળવાનો સ્વભાવ નથી, તે કાલાણુ અસ્તિદ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. આકાશ અનંત છે. તેમાં ક્યાં સુધી જાય તેની સીમા તે જોઈએ. તેનું કારણ ધર્મ–અધર્મ દ્રવ્ય છે. ૨૩. કાળનું અસ્તિત્વ છે. જીવ અને પુદ્ગલના પર્યાયમાં ફેરફાર થાય છે તે કાલને નિમિત્તે થાય છે. કાળ એ અરૂપી દ્રવ્ય છે તેથી દેખાય નહીં, પણ ક્રિયા કરે છે તેથી કાળ છે એમ ખબર પડે છે. જડ અને ચેતન પોતપોતાના ભાવે પરિણમે છે તેને એકરૂપે જીવ ગ્રહણ કરે છે એ ભૂલ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે–આ છ પદ દઢ કરે તે પોતાનું હોવાપણું લાગે. શ્રદ્ધા દુહા મોટી વસ્તુ શ્રદ્ધા છે. આત્મા આત્મભાવમાં લીન રહે તે સમ્યગ્દર્શન છે. કાળના બે ભેદ છે–નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. જવઅજીવમાં ફેરફાર થવાથી જણાય છે તે વ્યવહારકાળ છે. તે ઉપરથી નિશ્ચયકાળ હેવાનું અનુમાન થાય છે. પરાવર્તન એ નિશ્ચયકાળનું લક્ષણ છે. ૨૪. કાળ છે તે પુદગલથી જુદે છે. એમાં પુદ્ગલનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી. છયે દ્રવ્યમાં અગુરુલઘુગુણ છે. કાલમાં પણ સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ થાય છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાલને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલેકમાં કાલદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. કાલ સ્વપર પરિણતિ કરનાર છે. ૨૫. વ્યવહારકાળનાં નામ આપ્યાં છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ એટલે કાળ થાય. ૧૫ નિમેષ = ૧ કાઠા, ૨૦ કાઠા = ૧ કળા, ૨૦ કળા = ૧ નાલી અથવા ઘડી. ૨ ઘડી = ૧ મુહૂર્ત, ૩૦ મુહૂર્ત = ૧ દિવસરાત્રી. વ્યવહારકાલ પુગલના પરિણમનને આધારે છે, નિશ્ચયકાલ સ્વાધીન છે. કેવલી ભગવાને જેમ છે તેમ કહ્યું છે. શ્રદ્ધાનું માહાભ્ય છે ૨૬. અઢી દ્વિપમાં સૂર્યચંદ્ર વગેરે બાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. અઢી દ્વીપની બહાર જ્યોતિષ બધા સ્થિર છે. વિમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નારકમાં નિરંતર અંધારું છે. પરંતુ અવધિજ્ઞાનથી અને આયુષકર્મના પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે. છ દ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે દરેકનું વિશેષ વર્ણન કરે છે– - ૨૭ છવદ્રવ્યનું વર્ણન ૭૩મી ગાથા સુધી કેવી રીતે કરશે તે આ ગાથામાં સાંકળીઆરૂપે ટૂંકામાં કહ્યું છે. જીવ છે તે જાણે છે, તે ચારે ગતિમાં ભમે છે અને મોક્ષે ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy