________________
૩૨૦
બધામૃત જ છે માટે ભલે રહો. પછી ભગવાન ત્યાં ચોમાસું રહ્યા. ત્યાં દેવે વાંદવા આવતા તે દેખી બ્રાહાણને વિચાર આવ્યો કે જગતમાં જાણવા યોગ્ય શું છે? તે આ પુરુષને પૂછું. પછી તે ભગવાન પાસે આવ્યો અને પૂછ્યું કે “આત્મા છે ? તે શું છે?” ભગવાને કહ્યું કે તને હું બોલું છું એમ થાય છે? એ “હું છું” એમ થાય છે તે જ આત્મા છે. બ્રાહાણને તરત “આત્મા છે' એમ શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાનીનાં વચનથી આત્માની ઓળખાણ થાય છે.
૧૭. જી બધી ગતિમાં છે. મારણ છે તે અવસ્થા છે, પણ જીવ મરી જતો નથી. જીવની અવસ્થા પલટાય છે. જેમ દેવમાં જાય ત્યારે અવધિજ્ઞાન થાય. એ પલટાયું ને ? મનુષ્ય હતું. ત્યારેય જીવ હતું અને દેવ થયે ત્યારેય જીવ છે. જીવ છે તે ધ્રુવ છે. જીવની અવસ્થાઓ ફરે છે.
૧૮. જેમ નાટકમાં એકને એક માણસ રાજા બની આવે, પછી તે જ રાણી બની આવે. એમ જીવની અવસ્થા પલટાયા કરે છે. પર્યાયદષ્ટિથી જેવાથી રાગદ્વેષ થાય છે. દ્રવ્યદષ્ટિથી જુએ તે દ્રવ્ય પર લક્ષ રહે ને રાગ ન થાય. માટે દષ્ટિ ફેરવવી. દ્રવ્યાર્થિક નયથી કંઈ ઉપજતું વિનશતું નથી. એક સમયે એક પર્યાય હોય, બાકીના પર્યાય સત્તારૂ૫ રહે. એક જીવમાં નિગદથી સિદ્ધ સુધીના પર્યાય છે, છતાં જે વખતે જે ગતિ હોય તે પર્યાયરૂપ કહેવાય છે.
૧૯. જે દ્રવ્ય ન હોય તેની ઉત્પત્તિ ન થાય અને જે હોય તેને નાશ ન થાય. જીવ કદી નાશ ન પામે એવી અટપટી વસ્તુ છે. તે સ્યાદ્વાદથી સમજવાયોગ્ય છે. પર્યાય-ગતિ બદલાય છે તેને જીવ નાશ થયે, ઉત્પન્ન થયો કહેવાય છે તે કમજનિત વિભાવથી છે. મનુષ્ય મર્યો, દેવ ઉપ એ બધા કર્મ જનિત વિભાવપર્યાય છે. અન્ય જીવ ઉપજતું નથી, પણ જીવની અન્ય અવસ્થા ઉપજે છે. બે અવરથામાં આધારરૂપ જીવ હતો તે તે તે જ છે. જીવનું અસ્તિત્વ સળંગ છે પણ પર્યાય તેને ભિન્ન ભિન્નરૂપે બતાવે છે. જીવન, મરણ, પર્યાયની અપેક્ષાથી છે. આત્મા દ્રવ્યરૂપે ટંકેત્કીર્ણ છે. સંસારી જીવ પર્યાયને જુએ છે તેથી દુઃખી થાય છે. દ્રવ્યદષ્ટિને ભૂલી ગયા છે. જગતને દ્રવ્ય અને પર્યાય બને દષ્ટિથી જુએ અને સમતા રાખે. પર્યાય વિના વ્યવહાર ન ચાલે અને દ્રવ્યદષ્ટિ વિના સમતા ન રહે. “જગત આત્મારૂપ માનવામાં આવે” (૩૦૧). જગતમાં જડ ને ચેતન બને છે. જે જેના અથી છે તે તેરૂપ લક્ષ રાખે છે. આત્મા છે તો જગત જેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી જગત નિત્ય છે, પર્યાયથી બધું પલટાય છે. નામકર્મને લઈને શરીર ઉત્પન્ન થાય છે.
૨૦. આઠે કર્મને અભાવ થાય તે પછી ચાર ગતિરૂપ સંસારમાં ન જાય, સિદ્ધ થાય. રાગદ્વેષથી કર્મ બાંધે છે, પણ રાગદ્વેષ ન કરે તે સિદ્ધ થાય. જ્ઞાન, સમ્યકત્વ દેખાતું નથી તેથી તેનું માહાસ્ય લેકેને નથી. ક્રિયા જપતપનું માહામ્ય છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણુએ છીએ.” (૨૫૫). એ દ્રવ્યદષ્ટિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org