________________
વચનામૃત-વિવેચન
૩૧૯ ૯. છ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળાં છે. પિતપિતાના સ્વભાવરૂપે પરિણમે છે. ઉત્પાદન વ્યયપ્રવથી દરેક દ્રવ્યનું અસ્તિપણું જણાય છે. જેમાં અસ્તિત્વ હોય તેમાં ઉત્પાદવ્યયધ્રુવ હોય જ. પિતાના પર્યાય એક પછી એક દ્રિવે છે તેથી દ્રવ્ય કહેવાય છે.
૧૦. પર્યાય ફરે છે પણ વસ્તુ એની એ રહે છે. જેમ બાળક હોય તે યુવાન થાય તેથી બાળક મરી ગયો એમ ન કહેવાય. તેમ દરેક વસ્તુમાં ઉત્પાદવ્યયધ્રુવ થાય છે. વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ–વ્યય-ધ્રુવ છે. તે ઉપર ચૌદ પૂર્વ લખાયાં હતાં. આત્માના વિશેષ ભેદ જેવા ભગવાન સર્વરે કહ્યા છે તેવા બીજા કેઈએ કહ્યા નથી. કેટલીક વસ્તુઓ એવી છે કે ભગવાનની શ્રદ્ધાથી માન્ય કરવાની છે. ૧૧. “હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જય. અવસ્થા પલટાય છે. બધાને સાર કૃપાળુદેવે મૂક્યો છે. આશય સમજાવે મુશ્કેલ છે. એ છ દ્રવ્ય કોઈએ ઉત્પન્ન કર્યા નથી અને કેઈ નાશ પણ ન કરી શકે. જે અવસ્થા ઉત્પન્ન થઈ તે ઉત્પાદ, જે અવસ્થા દૂર થઈ તે વ્યય અને જે અવસ્થા સ્થિર રહી તે ઘવ.
૧૨. વસ્તુ હોય તે અવસ્થા હોય છે. અવસ્થા વગર વસ્તુ ન હોય. દ્રવ્ય અને પર્યાય જુદા નથી. દ્રવ્યને ઓળખવા પર્યાય જોવાય છે. એક સમયે એક પર્યાય હોય.
૧૩. દ્રવ્ય એટલે બધાય ગુણેને સમૂહ. બધાય ગુણોનું એકઠું નામ દ્રવ્ય છે. દ્રવ્યથી ગુણ જુદા છે એમ નથી, પણ સમજાવવા માટે જુદા કહેવાય છે.
૧૪. કઈ પણ પદાર્થને જાણવા માટે સાત પ્રકાર છે. આત્મા પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાઓ છે, પરના દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ નથી. પિતાની અને પરની અપેક્ષાએ અસ્તિ નાસ્તિ બેઉ એક સમયે છે. તે કહી શકાય નહીં માટે અવક્તવ્ય છે એમ સપ્તભંગી થાય છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષોએ કેટલા વિચાર કર્યા છે. બહુ વિચાર કરીને કહ્યું છે.
૧૫. જે દ્રવ્ય હોય તેને નાશ ન થાય અને જેને અભાવ છે તે ન હોય. એક સમયે જુદા હોય તે સદા જુદા જ હાય. સમસ્ત પદાર્થો અનાદિ અનંત છે. કેવળ નાશ કે ઉત્પાદ નથી. ફેરફાર થાય છે તે ગુણના પર્યાયમાં થાય છે. પર્યાયને લઈને હર્ષશેક થાય છે. મરણથી શેક થાય છે, પણ જીવ નિત્ય છે અને પરમાણુ પણ નિત્ય છે. પર્યાયરૂપ અવસ્થામાં મેહ છે તેથી ખેદ થાય છે. તે અવસ્થા હોવાથી પોતાને સ્વાર્થ સધાતે હતે તે સધાતું નથી તેને ખેદ છે. દ્રવ્યના ગુણ તો તે જ રહે છે, માત્ર ગુણના પર્યાયમાં ફેરફાર થાય છે. મોક્ષને કામી થતાં તે માટે પ્રયત્ન કરે તે પરમાર્થ કહેવાય છે. જ્ઞાની પણ કમ ક્ષય કરવા જીવે છે તેને સ્વાર્થ અથવા પરમાર્થ કહેવાય છે.
૧૬. જીવ પહેલે છે. તે ચેતનાથી ઓળખાય છે. જે જાણે છે તે જીવ છે. મહાવીર ભગવાન કેઈ એક ગામે પધાર્યા. તે ગામમાં બ્રાહ્મણની એક ખાલી યજ્ઞશાળા હતી. ભગવાને બ્રાહ્મણને કહ્યું, આ યજ્ઞશાળામાં હું માનું રહું? બ્રાહ્મણે કહ્યુંઃ યજ્ઞશાળા ખાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org