SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ બેધામૃત કહ્યાં છે. અર્થસમય એટલે (૧) પુદ્ગલ પદાર્થોને સમૂહ (૨) છ દ્રવ્યને સમૂહ અથવા (૩) એ શબ્દો સાંભળી આત્માનું જ્ઞાન થાય તે પણ અર્થ સમય છે. લેક છ દ્રવ્યયુક્ત છે. પાંચ અસ્તિકાય અને કાળ મળી છ દ્રવ્ય થાય છે. લોકની બહાર માત્ર આકાશ છે. ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો ત્યાં નથી તેથી અલેકમાં કોઈ જઈ શકે નહીં. આકાશ અરૂપી છે. જે વસ્તુને અવકાશ આપે તે આકાશ છે. ૪. જીવને સ્વભાવ ઊર્ધ્વગમન છે. સમતા રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ” પાંચે ઈન્દ્રિય પુગલને ગ્રહણ કરે છે. મન અરૂપી રૂપી બનેને જાણે છે. સંસારી જીવને વધારે સંબંધ પુદ્ગલની સાથે છે. ધર્મ-અધમ ગતિ–સ્થિતિમાં સહાય કરે છે. આકાશ તદ્દન નિર્મળ છે. એનું કામ અવકાશ આપવાનું છે. બધાને આધાર જીવન ભાવ છે. ભાવ પુદ્ગલને આકર્ષે છે. નહીં તે પરાણે કંઈ ન આવે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે. જીવને સ્વભાવ જાણુવાને છે. તે નિરંતર જાણ જાણ કરે છે. કર્મને આધીન હોવાથી સાધન હોય તો જાણે. કર્મ બંધાયાં છે તે અનાદિકાળથી છે. જીવ ક્યારેય કર્મ રહિત ન હતો. પિતાની સ્થિતિ પરાધીન લાગે તે સંતેષ ન થાય. વૈરાગ્ય આવ્યા વિના વૃત્તિ આત્મામાં ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” અજ્ઞાનમાંથી જાગે તે આત્માને રંગ લાગે. શ્રુતજ્ઞાનના બળથી આખા લેકનું જ્ઞાન થાય છે. જીવને પુદ્ગલનું અભિમાન છે. પુદ્ગલ એક પરમાણુરૂપ છે, પણ તેવા અનંતાનંત પરમાણુઓ છે. તેના વિવિધ પ્રકારે સ્કંધ થવાથી બહુ પ્રદેશ અસ્તિકાય કહેવાય છે. જીવને પુદ્ગલને અધ્યાસ પડી ગયો છે. આખા લેકમાં આ છ દ્રવ્ય છે. - પ. અનેક ગુણ અને પર્યાય સહિત અસ્તિત્વવાળું તે દ્રવ્ય છે. એક પરમાણુમાં પણ અનંત ગુણે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ લેકનું સ્વરૂપ છે. પાંચે અસ્તિકાયને કાળની સહાય લેવી પડે છે. જીવ અને પુદ્ગલ એ બે અટપટા સ્વભાવવાળા છે. ૨. પાંચે અસ્તિકાયના પર્યાય સમયે સમયે પલટાય છે. અસ્તિકાય પાંચ છે અને પરિણમન સ્વભાવવાળ કાળ છે, તે સર્વજ્ઞ ભગવાને જે છે. ૭. આત્માને કર્મ સિવાય કઈ નડે નહીં. કર્મને લઈને જીવને અનેક અવસ્થાઓ થઈ છે, પણ કર્મરૂપ થયો નથી. જુદે છે. કર્મને નાશ થાય ત્યારે પિતાનું ભાન થાય. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૯) મોક્ષ, સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન પિતાની પાસે છે. ભાન નથી. તે થવા સદૂગુરુની જરૂર છે. ૮. છ પદાર્થ અસ્તિત્વવાળા છે, દ્રવ્ય છે. આત્માની સત્તા છે. તેને જાણવાને ગુણ છે. બધાય પદાર્થોની સત્તા જુદી જુદી છે. એ સત્તામાં અનંત ગુણપર્યાય છે. ઉત્પાદન વ્યયવ દરેક સત્તામાં છે. દરેકમાં સામાન્યપણું અને વિશેષપણું છે. ચેતના બે પ્રકારે છે. સામાન્યપણે વસ્તુને જાણે તે દર્શન અને વિશેષપણે વસ્તુને જાણે તે જ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy