________________
વચનામૃત-વિવેચન
૩૧૭ સાગરમાંથી ટીપું રહે તેટલાં શાસ્ત્રો આ કાળમાં રહ્યાં છે. ગહન વાતે લેકે ભૂલી ગયા છે. સ્થૂલ સ્કૂલ વચને રહ્યાં છે. આ કાળમાં મેક્ષ નથી એમ ન ચિંતવવું. જેને ભવનો ભય લાગે તે ભગવાનના એક વચનને પણ ઉત્થાપે નહીં. ભવભીરુ જે ખંડનમંડન કરતા નથી. ખંડનમંડન કરવાથી ભગવાનનાં વચને વિરાધાય.
૨૫૯
વિ. ૭૬ ૬]
શ્રી ર૦ આહાર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પંચાસ્તિકાય ( ત્રણ દિવસ ફાગણ વદ ૩ સુધી )
ૐ સર્વત્તાય નમઃ, નમઃ સશુર પૂજ્યશ્રી–પહેલાં સર્વશને અને સદ્ગુરુને નમસ્કાર કરે છે. ગુરુના બોધથી ભિન્ન આત્મા મનાય છે. આ દેહથી હું ભિન્ન છું એમ સદ્ગુરુને બધે મનાય છે. કર્મને લઈને બીજું બધું છે, કર્મને લઈને આત્મા ઢંકાય છે. એને છોડવા સદ્દગુરુને બેધ છે. એ ઉપકારને લઈને મથાળે સદ્ગુરુને નમસ્કાર કર્યો છે.
૧. સર્વને ઈન્દ્ર જેવા પણ નમસ્કાર કરે છે, તે પણ તેઓને માન ન થાય. તે સર્વને દેવે પણ નમસ્કાર કરે છે. જેના ઉપદેશથી બધાય નું કલ્યાણ થાય, જેના વાક્યમાં કઈ પણ પ્રકારને દોષ નથી એવા અતિશયવાળી અરિહંત ભગવાનની વાણી છે. અનંત દો ટળી અનંત ગુણે પ્રગટયા છે. હવે એમને સંસાર નથી. એવા ભગવાનને નમસ્કાર. ભગવાનનાં વચને ત્રણે લેકને કલ્યાણકારી છે, કારણ કે સર્વજ્ઞ ભગ વાને કહ્યું છે કે કેઈ ને હણવા નહીં. એવા દયાના ઉપદેશથી બીજા જીવને દુઃખ ન થાય. મહાપુરુષો થાય છે તે જગતને કલ્યાણકારી હોય છે. સારા નિમિત્તથી જીવને કલ્યાણ થાય છે. એમણે ભવના બીજને આત્યંતિક નાશ કર્યો છે. ભગવાનના દર્શન કરીને એમના ગુણેમાં વૃત્તિ રાખવાની છે. ભગવાનના અનંત ગુણો છે. પોતાનું માન દૂર કરવા નમસ્કાર કરવાના છે.
૨. ભગવાને અનંત કૃપા કરીને જે વાણી વરસાવી તે જેટલી આપણી પાસે આવી તેટલું આગમ કહેવાય. જીવની પાસે મૂડી પ્રેમની છે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.” પ્રેમ ભગવાન ઉપર થાય તો આગમનું રહસ્ય આવીને હૃદયમાં વસી જાય. ભગવાનમાં શું છે તે બધું ખબર પડે. આગમની ઉત્પત્તિ કેવળજ્ઞાનથી થઈ છે. પંચાસ્તિકાય એ દ્રવ્યાનુયોગ છે. એ સાંભળી કલ્યાણ કરવું છે એવી ભાવના કરવાની છે. ભગવાનના વચનથી સમ્યગ્દર્શન થાય છે અને પછી મોક્ષ થાય. ભાવથી કલ્યાણ છે.
૩. જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ આકાશ એ પાંચ અસ્તિકાય છે. દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ અને અનંત પર્યાય હાય છે. ઘણા પ્રદેશમાં વ્યાપે તેથી અસ્તિકાય કહેવાય છે. એથી આખે લેક થયો છે. એ સાંભળી આત્માને ભૂલી જવાને નથી. સર્વથી પિતાનું સ્વરૂપ ભિન્ન છે એમ જણાવવા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org