________________
૩૧૬
બધામૃત તે શાસ્ત્ર છે. શાસ્ત્રને આશય જ્ઞાની પાસે સમજાય છે. કૃપાળુદેવને પ્રભુશ્રીજીએ પૂછ્યું કે સૂયગડાંગવાંચું ? કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષ દ્વારા એ શીખવાનું છે.
૪ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સશુરૂગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ” પ્રત્યક્ષ સદ્દગુરુનો વેગ ન હોય તો સુપાત્રને શા ઉપકારી છે. મહાપુરુષએ શા લખ્યાં છે એનું કારણ કે પુરુષનો યુગ ન હોય ત્યારે જીવને કામ આવે. પુરુષની ગરજ સારવા શાસ્ત્ર લખાયાં છે, પણ પુરુષને ભૂલવા નથી લખાયાં.
મૂળ ભગવાને કહ્યાં છે તે મૂળશાસ્ત્ર છે. ગણધરેએ બાર અંગ રચ્યાં છતાં પિતે તે ભગવાનની પાછળ પાછળ ફરતા. બારે અંગમાં ભગવાનનાં બધાં વચને આવી જાય છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુગ સમજાવે કે આત્મા નથી મરતે તો અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા ક્યાં મરે છે ? મેઢે વાતો આત્માની કરે અને તે મેહમાં, તે શુષ્કજ્ઞાની છે.
આ પ્રમાણે સુપ્રતીત થાય તે સમ્યગ્દર્શન છેઃ હિંસારહિત ધર્મ, અઢાર દૂષણરહિત દેવ, નિગ્રંથ ગુરુ. એ ત્રણ તની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. જેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયે હોય તેની શ્રદ્ધા થાય તે મોક્ષ થાય. તેના અનુકરણથી એટલે ભગવાને વીતરાગદર્શનમાં કહ્યા પ્રમાણે વર્તવું. વીતરાગ ભગવાને જેવું તત્ત્વનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે, તેવું કઈ પણ દર્શનમાં નથી.
[વ. ૭૫૬]
૨૫૭ શ્રી ર૦ આહાર, ફાગણ સુદ ૩, ૨૦૦૮ પૂજ્યશ્રી–જેનમાર્ગ સ્વાદુવાદ છે. જે દ્રવ્ય છે તેને છે એમ માને છે અને જે નથી તેને નથી એમ માને છે. જડ અને ચેતન બે વસ્તુઓ છે. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય. સમ્યક્ઝારિત્રથી કમની નિવૃત્તિ થાય છે. જીવ સંકોચ વિકાસનું ભાજન છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષમાં વર્તે છે. પરના નિમિત્તે રાગદ્વેષ થાય છે, પણ એ એને સ્વભાવ નથી. “દેહ તે હું એમ થઈ રહ્યું છે, એ મોટી ભૂલ છે. પુદ્ગલના ગુણે આત્માના નથી.
[વ. ૭૫૭]
૨૫૮ પૂજ્યશ્રી–ભગવાનની વાણી ચાર પ્રકારે છે–(૧) દ્રવ્યાનુગ, (૨) કરણાનુગ, (૩) ચરણનુગ, (૪) ધર્મકથાનુગ, દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્યમાં મુખ્યપણે બધી આત્માની વાતે આવે છે. કરણાનુગમાં કમ સંબંધી વાત આવે છે. ચરણાનુગમાં ચારિત્રની વાત આવે છે. ધર્મકથાનુગમાં જીવનચરિત્રે વાર્તારૂપે આવે છે. પાંચ પરમેષ્ઠી છે તે બધાયમાં પૂજવાયેગ્ય તે ‘સહજાન્મસ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org