________________
વચનામૃત-વિવેચન
૩૧૫ પહેલાં સમ્યગ્દર્શન કહેવાનું કારણ એ કે સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. મિથ્યાત્વ દૂર થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તે વખતે જેટલે ક્ષયોપશમ હોય તેટલું સમ્યજ્ઞાન અને જેટલી સ્થિરતા હોય તેટલું સમ્મચારિત્ર છે. સમ્યગ્દર્શન એ પહેલો પાયો છે. જેટલી મોક્ષની રુચિ છે તેટલું સમ્યગ્દર્શન છે. મેક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. એથી સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર પ્રત્યે ઉલ્લાસ પરિણામ થાય છે. સમ્યગ્દર્શનથી જે સત્ય જાણ્યું તે ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. આત્માને અનુભવ છે તે જ સુખને સમુદ્ર છે. તેમાં જે લીનતા તે સમ્યક્રચારિત્ર છે.
જ્ઞાની અને તેમનાં વચને એ બેય જીવને સમ્યગ્દર્શનનાં કારણ છે. પુરુષના બધે સંસાર દુઃખરૂપ લાગે તે પછી સમ્યગ્દર્શનથી એ દુઃખ મારે છોડવું છે એમ ઉલાસ આવે છે. જ્ઞાનીના સમાગમથી અને તેમના વચનેથી જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેનું ફળ ચારિત્ર આવે. સ્થિરતા થવામાં બે વસ્તુ છે–-વીતરાગ શ્રત અને ઉલ્લાસભાવ. સમ્યદર્શન જેને થયું હોય તેને પુરુષ અને સન્શાસ્ત્ર અને ઉપકારક છે. મુખ્ય સન્દુરુષ છે. - તથારૂપ જે શ્રમણભગવાન તેની પ્રાપ્તિ દુર્લભ છે. ઘણું પુણ્ય જીવે કર્યું હોય ત્યારે મહાપુરુષને વેગ થાય છે. મહાપુરુષ કેમ વર્તે છે? એ સમજાય ત્યારે ઓળખાણ પડે છે. કોઈને કર્મને લઈને બીજી પ્રવૃત્તિ હોય, પણ તીવ્ર મુમુક્ષુ તેની પરીક્ષામાં ભૂલો ન પડે. પુરુષ અને સત એ બેની જરૂર છે.
સદ્ભૂત તે ઘણુય વાંચે છે, છતાં કલ્યાણ કેમ નથી થતું? જે મહાપુરુષો કષાયથી રહિત થયા તેમણે શ્રત ઉપશમને અર્થે પ્રરૂપ્યાં છે, પણ કષાયવાળા જીને તે કષાયરૂપે પરિણમે છે. પુરુષના જેગે જે ઉલાસ આવે છે તે મોટા શાસ્ત્રોમાંથી પણ ન આવે. જ્ઞાનીનાં વચને આત્માને સ્પશીને નીકળે છે. મોટા પંડિતેને પૈસા આપીને રાખ્યા હોય, પણ તેથી ઉલાસ ન આવે. મહાપુરુષની દુર્લભતા છે.
મહાપુરુષના યોગે અલ્પકાળમાં પણ ઘણે લાભ થાય છે. મોટા ચક્રવતી પણ રાજ્ય છોડીને ગયા. આત્માનું કલ્યાણ કરવું છે એ તેઓને ચાટી ગયું.
સારા કાળમાં ઘણા મહાપુરુષે વિચરતા. તે વખતે પણ સત્સંગ દુર્લભ હતો. જેને સત્સંગ મળે તેણે બધું છોડીને મહાપુરુષ સાથે રહેવું. સર્વસંગપરિત્યાગની શક્તિ ન હોય તો તેની ભાવના રાખીને શક્તિ પ્રમાણે દેશ ત્યાગ કરવો. એવા મહાપુરુષો અપ્રતિબદ્ધવિહારી હોય છે. તેમના યોગે દિવસે દિવસે સારી વૃત્તિ થતી જાય છે. તેમના જ્ઞાનના અતિશયપણાથી, શાંતિથી, વીતરાગતાથી, ચારિત્રથી અને નિવૃત્તિથી છાપ પડે છે. એથી મુમુક્ષુને શુભ ભાવ થાય, એથી સ્થિર વૃત્તિ થાય અને તેથી શુદ્ધભાવ થાય છે. - નિરંતર એવા પુરુષોને વેગ હોય તો શાસ્ત્રની જરૂર નથી. પણ એમ બનવું મુશ્કેલ છે, તેથી સારા શાસ્ત્રમાં વૃત્તિ રાખવી એ જીવને જરૂરનું છે. સારા ભાવ રહેવા માટે સલ્લાસ છે. એ વાત જીવનરૂપે આવે ત્યારે જીવને શાંતિ થાય. શ્રત એટલે જ્ઞાની પુરુષ પાસે સાંભળ્યું હોય તે. શ્રતમાં શ્રવણની મુખ્યતા છે અને શ્રેણીબદ્ધ કેમપૂર્વક લખ્યું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org