________________
૩૧૪
બધામૃત નથી અને બંધાવાના રસ્તામાં રસ લાગે છે. ખૂબ પુરુષાર્થ કરતો હોય પણ રસ્તે બીજે હોય તે ઠેકાણું ન પડે. જીવ મુઝાઈ જાય છે કે મને મારગ નથી મળતું. જીવ દિશા ભૂ છે. આણંદ આ બાજુ હોય અને પેલી બાજુ જાય તે કેમ આવે? તેમ દુઃખનું કારણ અને ઉપાય જાણ્યા વિના દુઃખ મટે નહીં.
દુઃખ મટાડવાના ઉપાય કરતાં છતાં ન મટે ત્યારે અનેક પ્રકારના વિકલપ થયા કરે છે. સુખની ઇચ્છા અને દુઃખને દૂર કરવું એવું બધાને હોય છે, પણ એ હાથમાં નથી. દુઃખ મટાડવાના ઉપાય કરે છે, છતાં દુઃખ કેમ મટતું નથી ? એમ જીવોને વિચાર આવે છે. જેને મન હોય તેને સંકલ્પવિકલ્પ થયા કરે અને જેને મન નથી તે દુઃખને અવ્યકતપણે સહે છે. મનનો દુરુપયેગ કરે ફરી મન ન મળે.
સુખ બધાને જોઈએ છે. આત્મા છે ત્યાં બધું છે. સુખના વિચારો જીવને થાય છે, પણ સુખને માર્ગ પુરુષના હાથમાં છે. “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા” (૭૬). સત્પરુષથી કલ્યાણ છે. વિચારવાનને છૂટવાની ઈચ્છા જાગે છે. સાચે માર્ગ હાથમાં આવે ત્યારે મોક્ષ થાય. દુઃખનું મુખ્ય કારણ અજ્ઞાન છે. તેની જીવને ખબર નથી. અજ્ઞાનને લઈને આ બધું દુઃખ ઊભું થયું છે, માટે એને પહેલાં દૂર કરવું. એમ વિચારી જેણે પુરુષાર્થ કર્યો તે મોક્ષે ગયા. મોક્ષમાર્ગે ચઢશે તે વહેલું કે મોડે મેક્ષે જશે.
જીવને શરીરનું દુઃખ લાગે છે, સગાંવહાલાં દુઃખી હોય, માંદાં હોય તેનું દુઃખ લાગે છે. એ બધું મટી સુખ થાય એમ ઈચ્છે છે. એને માટે ઔષધ કરે છે, એ માટે પણ દુઃખ તે જતું નથી. પૈસા નથી તેથી દુઃખ માને, પણ પૈસા મળે ત્યારે દુઃખ તે જતું નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ એ દુઃખનાં કારણ છે. પૈસાથી મનની શાંતિ નથી. જીવ મનના દુઃખથી દુઃખી થાય છે, શરીરના દુઃખથી દુઃખી થાય છે અને બહારની ઉપાધિથી પણ દુઃખી થાય છે. જગત જે ઉપાય કરે છે તેથી દુઃખ નથી જતું તે રસ્તે બીજો હોવો જોઈએ એમ વિચારવાનને લાગે છે. વિચારવાન જીવો પણ થોડા છે. જગતમાં સુખ નથી, દુઃખ છે. એ દુઃખ ટાળવા શોધ કરનારા કોઈક વિરલા જ નીકળે છે.
ઘણા વિચારવા જેવો જગત દુઃખી છે, તેને સુખી કરવું એમ વિચારતાં ધર્મથી સુખ થાય છે એ તેમને લાગ્યું પણ તેમાં ભેદ પડયા. એ મતભેદ જોઈ ઘણું છો નાસ્તિક થઈ ગયા. દુઃખનું મૂળ કારણ શું? એ વિચારવાનું ચૂકી ગયા. મિથ્યાત્વને લઈને ઘણા અવળા વિચારે ચઢી ગયા. આપણે આટલાં વર્ષ સુધી શોધ કરી તપ કર્યું માટે આપણે જાણી ગયા એમ વિચારી બીજાને ઉપદેશ કરવા લાગ્યા.
બધા કહેવા લાગ્યા કે ધર્મ કરે, ધમ કરે, પણ શા માટે ધર્મ કરે એ લક્ષ ચૂકી ગયા. - જે પુરુષો મેક્ષે ગયા તેમણે સાચે માર્ગ બતાવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ સાચે માર્ગ છે. એ માર્ગથી બધાંય દુઃખ મટી મોક્ષ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org