SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃતવિવેચન ૩૧૩ [વ. ૭૫૪] ૨૫૫ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ ૬, ૨૦૦૮ પૂજ્યશ્રી–આ અવસર્પિણ કાળમાં આયુષ્ય, પુણ્ય ઓછાં છે. જેમ જેમ કાળ જાય છે, તેમ તેમ બધા હીન પુણ્ય જીવ થતા જાય છે. ભગવાનની આજ્ઞા માં બધું સત્ય શમાયા છે, પણ આ કાળના જીને કેમ સમજાય? કેટલાંક શાસ્ત્રો નાશ પામ્યા, કેટલાંક અનેક પ્રકારના કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સૂત્રે મૂળથી ખંડવાં. ધ્યાન કરવાથી કેવી દશા પ્રાપ્ત થાય છે, તે પ્રતિમા જેવાથી ખ્યાલમાં આવે. પ્રતિમા જોતાં જીવને સમ્યગ્દર્શન થાય છે, તેને એક પથરા તરીકે માનીને મૂકી દીધી. ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનું કારણ એવી ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમા તેને એલંઘી એનું કારણ કે સદ્વિચાર નહીં અને આરાઘકપણું નહીં. જે ભગવાને કહ્યું તે જ આચાર્યોને કહેવું છે. મુનિ હોય તે પણ ભગવાનના કહેલા આશયથી જ કહે છે. પરમાર્થથી મુનિના અને ભગવાનનાં વચનોમાં અભિન્નતા હોવાયેગ્ય છે. સ્વાદુવાદમાગને ન સમજવાથી ઘણા એકાંત પકડી આગ્રહ કરવા લાગ્યા. જ્યાં જીવને આગ્રહ, મતમતાંતર થાય છે ત્યાં ત્યાં પરમાર્થમાર્ગમાં તકરાર થતી જાય છે, ભિન્ન ભિન્ન થતું જાય છે. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે” (પ૬૮) સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે બોધિ છે. દરેક તીર્થંકરના વખતમાં એક શાસનદેવ અને એક શાસનદેવી થાય છે. દેવ શાસનની પ્રભાવના કરે છે. આ કાળમાં હીન પુણ્ય જ છે. પુણ્ય હોય તો દેવે ઉન્નતિ કરે. કેઈ મહાપુરુષે કૃપાળુદેવ જેવા પ્રગટે ત્યારે શાપનની ઉન્નતિ થાય છે. કૃપાળુદેવનું આયુષ્ય ઓછું, નહીં તે શ્વેતાંબર, દિગંબર બધાને એક કરી નાખત. પણ પાછા પ્રભાવના કરવા બીજા પુરુષ પણ સાથે જોઈ એને? કઈ પુસ્તક લખનારા, કેઈ ઉપદેશ કરનારા એમ બીજા પુરુષે પણ જોઈએ, તો પ્રભાવના થાય. ઘણું તે કૃપાળુદેવને ઓળખી પણ ન શક્યા. વિ. ૭૫૫] ૨૫૬ જાલેર, ફાઇ સુદ ૩, ૨૦૦૮ મહાપુરુષને જગતનું સ્વરૂપ દુઃખરૂપ લાગે છે. એ વ્યાકુળતા કેમ મટે? જગતમાં અનંતાનંત છ છે, તેમાંથી કોઈક મોક્ષે જાય છે. ઘણુ જ છૂટવાની ઈચ્છા છતાં છૂટી શકતા નથી, સંસારમાં જ રહે છે. એ વિચારથી વૈરાગ્ય આવે છે. વિચાર હોય તે વૈરાગ્ય આવે, પણ સમાધાન થવું દુર્લભ છે. જગતનાં દુઃખ જોઈને ઘણાને એમ થાય છે કે આ દુઃખ કેમ જતું નથી? પણ એનું સમાધાન કેઈક જ પામે છે. ઘણા બધથી, શ્રતથી સમાધાન થાય છે. રેગનું કારણ ન જાણે અને દવા કરે તે કેમ મટે? તેમ જ દુઃખનું કારણ ન જાણી તેના ઉપાય કરે તે દુઃખ કેમ મટે ? દુઃખ તો કોઈને ગમતું નથી. પણ ભેગવ્યા વિના છૂટકે નથી. જેથી રોગ ટળે એવી દવા કરવી. સંસાર રોગરૂપ છે. અકલભૂલી જીવ છે. છૂટવાની ઈચ્છા હોય તે માર્ગ મળે. છૂટવાનો રસ્તો જીવને સારો લાગતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy