SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બધામૃત છેડા પણ સત્સંગ મહાપુરુષને થાય તે બહુ શાંતિ થાય. સત્સંગ થાય અને બે હૃદયમાં ઠરે તે પછી એને સમકિત થતાં વાર ન લાગે. ગુરુગમ જોઈએ. આપણે આ બધું સમજવાનું છે. આત્માને લાભ થતો હોય તે પછી લેકે ગમે તે કહે, પણ આત્માનું કામ કરી લેવું. નિવૃત્તિમાં લાભ થયેલ હોય તે મરતી વખતે પણ સાંભરી આવે. [વ. ૭૫૧] ૨૫૪ પૂજ્યશ્રી–આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત કહ્યાં છે– “ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સશુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ” તે નિજ સ્વભાવનો, અનભવ લક્ષ પ્રતીતઃ વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમતિ થઈ ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ. ” પહેલા સમકિતમાં જે સદૂગુરુને બોધ થાય તેની પ્રતીતિ થાય, અને પછી તેને વિચાર કરે, તે પહેલું સમકિત છે. આજ્ઞાની અપૂર્વતા અને આપ્તપુરુષની ભક્તિ એ પણ પહેલું સમકિત છે. એમાં જ્ઞાનીની આજ્ઞાથી જ મારું કલ્યાણ છે, જ્ઞાની મને આજ્ઞા કરે તે જ મારે કરવું છે એવી આજ્ઞાની અપૂર્વતા હોય છે, પિતાની ઈચ્છાએ સ્વચ્છેદે વર્તવાનું મૂકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે પ્રથમ સમકિત છે. પ્રથમ સમકિત છે તે બીજા સમક્તિનું કારણ છે, પરમાર્થની અશે અનુભવથી પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર છે. આત્માનું મનન કરતાં, આત્માને નિદિધ્યાસતાં એટલે ભાવના કરતાં તેમાં અંશે અનુભવ થાય છે. તે બીજો પ્રકાર છે. ત્રીજા સમકિતમાં વિકલ્પ રહિત થાય છે. જો કે શ્રતનું અવલંબન તે ૧૨માં ગુણ સ્થાન સુધી છે. અણુ માંડે ત્યાં પણ વિતર્ક એટલે જ્ઞાનીના વચનનું-શ્રુતનું અવલંબન હોય છે. પૃથકુત્વ-વિતર્ક-વિચાર શુકલધ્યાનમાં મેહનીય ક્ષય થાય છે અને એકવ-વિતર્કઅવીચાર શુકલધ્યાનમાં એટલે ૧૨માં ગુણસ્થાને બધાં ઘાતિકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટાવે છે, ત્યાં સુધી જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો છે તે એને આધારભૂત છે. પહેલી પુરુષપ્રતીતિ એટલે જ્ઞાની સાચા છે, એનાં વચને સાચાં છે, એની આજ્ઞા જ મારે ઉપાસવી છે એવી રુચિ પહેલા સમકિતમાં થાય છે, બીજામાં જ્ઞાનીનાં વચનને વિચાર, મનન થાય તેથી અજ્ઞાન દૂર થાય છે અને આત્મા આ જ છે એવું સમજાય છે. ત્રીજામાં નિર્વિકલ્પતા છે. પરમાર્થે સમકિત કહ્યું તેમાં અંશે પરમાર્થને અનુભવ છે. ત્રીજી દશા મને ક્યારે આવશે? એવી ભાવના કરવાગ્યા છે. ત્રણે સમકિતની ભાવના રહ્યા કરે કે મારે એ દશા આણવી છે, તે સમકિત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy