SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન આત્મસિદ્ધિ ચમત્કારી વસ્તુ છે. બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે. વિશેષપણે વિચારવા ભાગભાઈને ભલામણ કરી છે. વિ. ૭૩૬] ૨૫૨ પૂજ્યશ્રી–આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનની તારતમ્યતા પ્રમાણે કર્મબંધ પણ થાય છે. તીવ્ર જ્ઞાનદશા આવે તે બંધ થાય નહીં. કેવળજ્ઞાન થતાં પ્રથમ પાર્શ્વનાથ ભગવાનને કમઠે ઉપસર્ગ કર્યો હતો. ભગવાને બધું જોયા કર્યું. ગજસુકુમારને માથે અંગારા બળતા હતા તે જોતા હતા. એ નેમિનાથ ભગવાન પાસે શીખી આવ્યા હતા કે સુખદુઃખને શરીર સાથે સંબંધ છે, આત્મા તો પરમાનંદરૂપ છે. આત્મસ્વભાવને નાશ ન થાય. આત્મા બળે એ કે નાશ પામે એ પદાર્થ નથી. રાગ દ્વેષનાં બળવાન નિમિત્તો છતાં રાગદ્વેષ કે અસ્થિરતા પણ જેના ચિત્તમાં થતી નથી એવા પુરુષ છે. “જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુને નમસ્કાર છે.” (૭૭૯). દેહાતીતદશાવાળા પુરુષે કેમ રહેતા હશે? એવા વિચાર આવે તો પિતાનું ખરું સ્વરૂપ શુદ્ધસ્વરૂપ છે તે સમજાય. એ શુદ્ધસ્વરૂપમાં રાગદ્વેષ નથી, જ્યાં અસંગપણનો વિચાર આવે ત્યાં નિર્જરા થાય. નહીં તે ચિત્ત બીજાતીજામાં કે સંકલ્પવિકલ્પમાં તણાઈ જાય તે કર્મ બંધાય. રાગદ્વેષને સર્વથા ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય. “શુદ્ધભાવ મુજમાં નથી” એ પિતામાં નથી પણ ભગવાનમાં તો છે ને? તેમાં વૃત્તિ રાખે તે નિર્જરા થાય. મહાપુરુષમાં ખરે શુદ્ધભાવ છે. ત્યાં જે ચિત્ત દઢ થયું તે નિજા થાય છે. [વ. ૭૪૧]. ૨૫૩ - પૂજ્યશ્રી–જેવા થવું હોય તેવામાં ચિત્ત રાખવું. સર્વજ્ઞ થવું હોય તે કોઈ પણ કામ કરતાં પહેલાં સર્વજ્ઞને સંભારે, સર્વજ્ઞ થવાને લક્ષ રાખ. લૌકિક વિચારે પરમાર્થને ખાળે છે, એથી પરમાર્થ લાભ અટકી જાય. વિકલ્પ એ એક જીવને અંતરાય છે. લેકે ગમે તેમ કહે પણ આત્માને લાભ થતું હોય તે કરી લેવું. લોકોને સંસાર ગમે. પરમાર્થમાર્ગ એથી ઊલટે છે. લૌકિકભાવ મૂકી આગળ વધવાનું છે; નહીં તે સત્સંગ થાય નહીં. લેક મૂકે પિક, મારે મારા આત્માનું કરવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે ભાલાને વરસાદ વરસતે હોય તોય સત્સંગ કરે અને મોતીને વરસાદ વરસતો હોય તેય કુસંગ ન કરે. નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ક્ષેત્ર હોય તે વખતે જીવમાં સપુરુષને વેગ બહુ ઠરે છે અને પરભવમાં પણ સાથે આવે. “ એનું સ્વપ્ન જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy