________________
બેધામૃત
૩૬૦ ઉતારવાની ના કહી. તે વખતે કેટલી મેંઘી આત્મસિદ્ધિ હતી! જે અગ્ય જીવ હોય તેના હાથમાં જાય તે આશાતના થાય, જ્ઞાની પુરુષની નિંદા થાય. જ્ઞાની પુરુષને એવો ભાવ નથી કે આ જીવનું કલ્યાણ ન થાઓ, પણ એમને દયા છે, તેથી એને નુકસાન ન થાય એમ કરે છે.
આપણે પણ એ વિચારવાનું છે કે આત્મસિદ્ધિ અચોગ્ય જીવના હાથમાં ન જાય. કેટલાક લ્હાણું કરે છે, પણ લહાણુમાં એ ક્યાંય જાય. આશાતના થાય, બહુ વિચારવા જેવું છે. કેઈએ તત્વજ્ઞાનની લહાણી કરી. તે પુસ્તક કેઈ એક સાધુના હાથમાં આવ્યું. કૃપાળુદેવે મહાનીતિમાં લખ્યું છે કે “પ્રતિમાને પૂજું '' (૧૯-૩૬૬). તે જ વાક્ય પુસ્તક ખેલતાં તેની નજરે ચઢયું. તે વાક્યને તેણે એમ કર્યું કે “પ્રતિમાને પૂજું નહીં.” એમ બધાં તત્ત્વજ્ઞાનમાં લખી દીધું. પછી લહાણી કરનારને ખબર પડી ત્યારે એણે બધાં પુસ્તક પાછાં લઈ લીધાં. અનધિકારી જીવના હાથમાં જવાથી એવું જ થાય છે. બધું ફેરવી નાખે.
“ તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશે.” (આઠમી દૃષ્ટિ)
ગ્ય જીવ હોય તેને એ ગ્રંથ આપવાગ્યા છે. હરિભદ્રાચાર્યે પણ ગદાષ્ટસમુચ્ચયમાં એમ લખ્યું છે. તેમ આત્મસિદ્ધિ માટે પણ છે. જ્ઞાની પુરુષોની બહુ દીર્ધદષ્ટિ હોય છે, કે કેઈને નુકસાન ન થાય. કોઈને “આત્મસિદ્ધિ આપવી હોય તે આજ્ઞાથી આપવી. આજ્ઞાથી કંઈ પણ આગળ વધવા જેવું નથી.
વિ. ૨૨)
૫૧ - પૂજ્યશ્રી—શરીરમાં અસાતા થઈ હોય પણ કેઈ સગાવ્હાલાં દુઃખ લે? કોઈન લે. સગાંવહાલાને અને શરીરને મેહ છેડવાનું છે. એ અસાતા વખતે ઝટ છૂટે. શરીરને તે સડન પડન અને વિધ્વંસન સ્વભાવ છે માટે એને વિશ્વાસ કરવા જેવું નથી. કેણ જાણે ક્યારે પડી જશે! આત્મા મરે નહીં. ઘડીકમાં વેદના વધી જાય તે દેહ છૂટી જાય. મોહ સાથે લઈને પરભવે જવું નથી. બધું મનમાંથી કાઢી નાખવું. મહાવીર ભગવાને દીક્ષા લીધી ત્યાર પછીથી શું કરતા? મેહને ક્ષય કરવાને પુરુષાર્થ કરતા હતા. એને માટે રાતદિવસ ઝૂરતા. માંદગીમાં વેદના વખતે મેહ મંદ કરવાનો વિચાર કરે. થોડીવણ વેદના તે દરેકને હોય. વેદનારહિત શરીર નથી. જ્યારે શરીર છેડવાનું નકકી જ છે તે પછી તે પહેલાં શરીર, કુટુંબ વગેરે ઉપર મોહ છોડ. વેદના વખતે વિચાર કરે તે સહજે વૈરાગ્ય થાય. વૈરાગ્યસહિત વિચાર થાય તે મેહ મંદ થાય. મોહથી દૂર થવું. જ્ઞાની પુરુષનાં વચને જીવને ચેતાવે છે. વેદનામાં નવરાશ હોય તે વિચારમાં વાપરે તે સમકિત પામે. અનાથિમુનિ જેવાને સમકિત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org