________________
વચનામૃત-વિવેચન
૩૦૯ તે શંકા કરે કે “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.” એમ કહે છે, પણ આ કાળમાં તે મોક્ષ નથી. ઉપકારનો ઉપકાર એળવવો એ દોષ છે. લોકોને દેખાડવા નહીં પણ લેકસંબંધી ભય ત્યાગી પછી “આત્મસિદ્ધિ” શ્રી દેવકરણજીએ અવગાહવી, એમ કૃપાળુદેવે લખ્યું છે. દરેક જીવને એટલી તૈયારી આત્મસિદ્ધિ અવગાહવામાં જોઈ એ.
સપુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણું છે એટલું માન્ય કરવું. એમની આજ્ઞામાં વર્તવું છે, એ દઢ નિશ્ચય કરી વર્તે તેને જ્ઞાન સમ્યફપરિણામી થાય છે. જ્ઞાન કેમ પરિણામ પામતું નથી તેને આ ઉત્તર છે. ખરેખરી વાત કહી બતાવી છે. બધાને કામની છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્યા સિવાય કદી જ્ઞાન થાય નહીં. પિતાની મેળે જ્ઞાન ન થાય.
આત્મસિદ્ધિ તે અપૂર્વ વસ્તુ છે. વૈરાગ્યની ખામી છે. સાચી વસ્તુને બધાય જ્ઞાનીઓ સાચી કહે છે. બધા જીવોને સપુરુષ પ્રત્યે જ્ઞાની પુરુષ કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થાય, વૈરાગ્ય થાય એમ કરવું.
પ્રશ્ન-આત્મસિદ્ધિ તે બોલીએ છીએ, પણ જ્ઞાન કેમ પરિણમતું નથી ?
ઉત્તર–“જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના ચેગ વિના સમજાતું નથી.” સટુરુષને યોગ હોય તો સમજાય. મનને ચેકખું રાખવા કાળજી નથી. અસત્ વાસનાનું બળ છે તેથી પુરુષાર્થ ન રાખે તે કંઈનું કંઈ થઈ જાય. માટે ચેતતા રહેવું. સારાં નિમિત્તે રહે ત્યારે જીવ ઉપર સારા સંસ્કાર પડે છે, પણ એ પાછું ભૂલી, જે સવપ્ના જેવું છે. તેને સાચું માને છે. ખાવા બેસે ત્યારે અહો! આ ખાવાનું કેવું સારું છે! વૈરાગ્યની વૃદ્ધિ થવાને બદલે વૈરાગ્યને ઈ બેસે છે. લોકો એમ કહે કે સત્સંગમાં કેમ જવાય? સત્પરુષ ગમે તેવા હોય પણ લકે તો બીજી બીજી વાતો કરે. એ લોકોથી દબાઈન જતાં, આત્માનું કલ્યાણ કરવું છે, એમ વિચારી સત્સંગ કરવા જવું. “લેક મૂકે પિક, તું તારું કરી લે” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગથી મારા આત્માનું કલ્યાણ થશે એવું માહાસ્ય જોઈએ. તરવાના કામી ઘણા છે, પણ પુરુષને એગ તેમને બાઝતે નથી એમ સભાગભાઈએ કૃપાળુદેવને લખ્યું હતું. જ્ઞાની પુરુષે તો એમ માને છે કે
હું પામર શું કરી શકું?” અહંભાવ છેડવાને છે. આ જીવ “હું કરું છું” એમ અહંભાવ કરે છે.
માત્ર એક આત્માનું કલ્યાણ કરવા દેહ મળે છે, એ મુમુક્ષુ જીવે લક્ષમાં રાખવું. ભલે માંદે હાય, પણ આત્માનું હિત થતું હોય તે સારું છે. યોગ્યતા વિના આત્મસિદ્ધિ ધ્યાનમાં આવતી નથી.
[વ. ૭૨૧]
રપ૦ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી-સભાગભાઈને આત્મસિદ્ધિ મેઢે કરવાની આજ્ઞા થઈ તે જોઈ ડુંગરસીને પણ કરવાનું મન થયું. તેથી આજ્ઞા માગી. કૃપાળુદેવે આજ્ઞા તે આપી પણ બીજી પ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org