SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ બધામૃત ઘણુંય ખાધું, ઘણું પીધું પણ કલ્યાણ થયું નથી. આત્માને મિત્ર થાય, આત્માને મેક્ષ માગે વાળે તે અંતરદયા છે, પોતાની ખરી દયા છે. બધેથી ફરી હવે આત્માનું કામ કરી લેવાનું છે. નહીં તે ફરી એવો મનુષ્યભવ નહીં મળે. કૃપાળુદેવે ઘણું કામ થઈ જાય એવું કહ્યું છે. સાગરમાંથી ગાગર ભરાય એવું એ આત્મસિદ્ધિશાસ્ત્ર કૃપાળુદેવે આપણને આપ્યું છે. શાસ્ત્ર ઘણાં મતિ શેડલી, મન મોહન મેરે; શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મન મોહન મેરે. ” (બીજી દષ્ટિ) આત્મસિદ્ધિમાંથી મારે આત્મા પ્રગટ કરવાનું છે એ લક્ષ રાખે તે ઘણું કામ થાય એવું છે. ખરા સુખને માર્ગ બતાવે છે. [વ. ૭૧૯]. ૨૪૯ શ્રી. રાવ આહર, ફાગણ વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્માથી અને મુનિથાભ્યાસી એટલે આત્માર્થીના લક્ષણવાળા અને મુનિમાર્ગે ચાલવાને અભ્યાસ કરનારા. જીવની જેટલી યોગ્યતા હોય તેટલી સપુરુષની કૃપા થાય છે. આત્મસિદ્ધિ તમારે એકાંતમાં અવગાહવાયેગ્ય છે એમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવે લખ્યું છે. એક ભાઈ અવગાહવું એટલે શું? પૂજ્યશ્રી—ઊંડા ઉતરવું. અવગાહના એટલે જ્યાં સુધી પદાર્થ હોય ત્યાંસુધી વ્યાપવું. જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે? તેની શોધ કરવા આ આત્મસિદ્ધિશાસ્ત્ર અલૌકિક દષ્ટિએ વિચારવાયેગ્ય છે. જગતને ભૂલીને મુખ્ય કામ આત્મસિદ્ધિ અવગાડવી. પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ લઈને જંગલમાં એકાંતમાં જતા અને ત્યાં ગાઈને સ્વાધ્યાય કરતા. મોહનલાલજી મહારાજ ત્યાં છાનામાના જઈને ઝાડને એથે ઊભા રહી સાંભળતા અને કંઈક ગાથા શીખી લીધી. એટલી ગરજ હતી. જ્યાં ઈન્દ્રિયે વશ રહે, માત્ર એક આત્માને લક્ષ રહે, એકતાર થવાયત્યાં આત્મસિદ્ધિ અવગાહવી જોઈએ. આત્મસિદ્ધિમાં આત્મા જ ગમે છે. કૃપાળુદેવને ઘણા ભવનું જે જ્ઞાન હતું તે બધું વલોવી, “આત્મસિદ્ધિરૂપી માખણ કાઢયું. દર્શન પટે શકાય છે, આ પર્ સ્થાનક માંહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ” આત્મસિદ્ધિ વિચારે તો બધા સંશય મટી નિ સંશય થઈ જાય. પ્રત્યક્ષ સન્દુરુષની જેને શ્રદ્ધા નથી તેને ગ્રહણ ન થાય. જેને શ્રદ્ધા થઈ હોય તેને જ એ આત્મસિદ્ધિ સમજાય. પુરુષ જે મારા પ્રત્યે કેઈએ ઉપકાર કર્યો નથી. મરતાં સધી એ ન ભૂલું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી. સંસારની કલ્પના છેડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું. આત્મસિદ્ધિ વાંચવા જેટલી શ્રદ્ધા જોઈએ, નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy