SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ વચનામૃત-વિવેચન દેઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ આત્મસિદ્ધિ નડિયાદ મુકામે લખી, ત્યારે સોભાગભાઈ પ્રભુશ્રીજી, અંબાલાલ અને માણેકલાલ એ ચાર જ જણ માટે ચાર નકલ કરવાની અંબાલાલભાઈને આજ્ઞા કરી હતી. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે જેટલે ત્યાગવૈરાગ્ય હોય તેટલું જીવનું કલ્યાણ થાય. જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં અજ્ઞાની હાથમાં આવે છે. કેઈક ઠેકાણે અને કઈક જ વેળા જ્ઞાનીપુરુષ હાથમાં આવે છે. તે જ્યારે મળશે ત્યારે કલ્યાણ થશે. કેઈક જ એવા છે કે શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે. તેઓ કહે છે કે બંધ મોક્ષ એ બને મનની કલ્પના છે. આત્માને બંધ મોક્ષ હોતા જ નથી. આત્મા સિદ્ધ સમાન છે, એમ માત્ર મુખથી બેલે છે અને તે છે પાછા મોહમાં. એમ વર્તનારા શુષ્કજ્ઞાની છે. કેઈક છે માત્ર ક્રિયાને જ વળગી રહ્યા છે અને કહે છે કે ક્રિયાથી જ મેક્ષ છે. એમ કહેનારા કિયાડ છે. એ બેયમાં જીવનું કલ્યાણ થાય એવું નથી. ભગવાને કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા બેય હોય તો મોક્ષ થાય, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સશુરુ લક્ષણ યોગ્ય. ” એ લક્ષણે જેમાં હોય તે સદ્ગુરુપદને ચગ્ય છે. વિનયથી મોક્ષ છે. સ્વચ્છેદે ચાલી કઈ મોક્ષે ગયા નથી. આત્માથી છે તે મોક્ષના માર્ગમાં છે અને મતાથી છે તે મોક્ષમાર્ગની બહાર છે. મતાથનાં લક્ષણો કહ્યાં પણ તેમાં સર્વથી મેટાં લક્ષણે એ છે કે “ નહીં કપાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ ભતાથી દુર્ભાગ્ય.” આત્મસિદ્ધિશાસ્ત્ર માત્ર ગાવાનું જ નથી, પણ વિચારવાનું છે. આત્માથીનાં લક્ષણે કહ્યાં, પછી એમાં છ પદની વાત શરૂ થાય છે. પહેલાં શિષ્ય શંકા કરે છે કે “આત્મા નથી.” પાછું સદ્ગુરુ તેનું “આત્મા છે' એમ સમાધાન કરે છે. એવી રીતે આ છ પદ શંકાસમાધાનરૂપે સમજાવ્યાં છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ' જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કઈ શાસ્ત્ર નથી. તેનું જીવને માહાસ્ય નથી. આત્માને જાણવા માટે કેટલી બધી ગડમથલ કરી છે. આત્મા છે, નિત્ય છે, કરે છે તે જોગવવું પડે છે અને ઉપાય કરી મોક્ષે જાય છે. આત્મા જાણવાની ગરજ જાગે તે આ જગતનું દુઃખ પણ સારું છે. પાંચમા આરામાં સમ્યક્ત્વ થાય તે પાંચમે આરે પણ સારો છે– આરો સા રે મુજ પાંચમ, જિહાં તુમ દરિસણ દીઠ વાલહેસર.” (ય. ૧૯) આત્માની શ્રદ્ધા કરવા માટે છ પદ કહ્યાં છે. મોક્ષમાર્ગે ચઢાવે એવાં છે. સમ્યગ્દર્શનનાં મુખ્ય નિવાસભૂત છે. એક વાર આત્મસિદ્ધિ મેઢે કરવી, પછી વિચારવી. સત્સંગ કરે ખરે લાગ આવ્યું છે. આ લાગ ફરી મળવાનું નથી. આયુષ્ય કયારે છૂટશે તે ખબર નથી, માટે કરી લેવું. મારે જગતનાં સુખ નથી જોઈતાં પણ આત્મા એાળખવાને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy