________________
૩૦૬
બોધામૃત અત્યંત નિર્મલ, સર્વ પરસંગથી રહિત, બધી વસ્તુઓને બાદ કરતાં રહે એવો અખાધ્ય અનુભવ તે આત્મા છે. અથવા સર્વને જાણે, સર્વ પદાર્થને અને તેને સ્વરૂપને જાણે તે આત્મા છે. આત્માનું લક્ષણ ઉપગ છે. આત્મા સુખસ્વરૂપ છે. જીવ સિવાય બીજા દ્રવ્યોમાં સુખ ન મળે. આત્મા ઈન્દ્રિયોથી જણાય એવું નથી, આંખથી દેખાય કે કાનથી સંભળાય એ નથી; એ તે સ્વસંવેદનગોચર છે.
આત્મા ત્રણે કાળ રહે એવે છે. આમા નિત્ય છે એમ શાથી કહેવાય ? આત્મા ઉત્પન્ન થતું નથી. અસંચગી છે, તેથી નિત્ય છે. આત્મા વિભાવમાં વર્તે તે કર્મને કર્તા કહેવાય અને સ્વભાવમાં વતે તે સ્વભાવને કર્તા કહેવાય. જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય તે સ્વભાવમાં રહે. સહજ સ્વરૂપમાં નિરંતર સ્થિર રહેવું એનું નામ મોક્ષ છે. તે મોક્ષનાં સાધન સદ્દગુરુ, સલ્લાસ, સુવિચાર, સંયમાદિ છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, તે કર્મને ભક્તા છે, મેક્ષ છે, મોક્ષને ઉપાય છે. આ છ પદ સાચાં છે.
જીવ કર્મ બાંધે છે તે જોગવવાનાં ક્ષેત્રો પણ છે. નિશ્ચયથી આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. નિજસ્વરૂપમાં આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તે સ્વરૂપની પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. તે પ્રતીતિ નિરંતર રહે તેનું નામ ક્ષાયિક સમ્યક્ત્વ છે. કવચિત મંદ, કવચિત્ તીવ્ર એમ ફેરફાર થાય તે ક્ષપશમ સમ્યકત્વ છે. થોડીક વાર શુદ્ધ પ્રતીતિ રહે તે ઉપશમ સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યફત્વ થવાનું હોય છે તે વખતે વેદક સમ્યક્ત્વ હોય છે. પડતી વખતે સાસાદન સમ્યકત્વ હોય છે. - જીવને સમ્યગ્દર્શન થાય ત્યારે તેને પછી હર્ષશેક ન થાય. સંસારમાં “હું, મારું” થાય નહીં. જે ભાવપૂર્વક ચારિત્રને આરાધે તે મેક્ષ પામે. સ્વરૂપ-રમણતાનું નામ ચારિત્ર છે.
[વ. ૭૧૮ આત્મસિદ્ધિ
૨૪૮
મૈસુર, માગશર સુદ ૫, ૨૦૦૮ - પૂજ્યશ્રી–આત્મસિદ્ધિશાસ્ત્ર જ આપણે બોલીએ છીએ તે આત્મસિદ્ધિ આ જમાનામાં લખાયેલ છે. માગધિભાષામાં ઘણાં શાસ્ત્રો છે, પણ તે સમજવા જેટલી જીવની બુદ્ધિ નથી. તે માટે કૃપાળુદેવે જીવને સમજાય એવું આ લખ્યું છે. આત્મસિદ્ધિમાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભક્તા છે, આત્માનો મોક્ષ થઈ શકે છે અને તેના ઉપાયે છે–આ છ પદનું વિસ્તારપૂર્વક વિવેચન કરેલું છે. આમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ આવી જાય છે. પ્રભુશ્રીજીએ કૃપાળુદેવ ઉપર એક પત્ર લખે કે સમગ્દર્શન થાય એવું કંઈક આપો. તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે છ પદને પત્ર લખી મોકલ્યો અને તે મુખપાઠ કરવા આજ્ઞા કરી. પછી સેભાગભાઈ ઉપર પણ મોકલ્યું. જ્યારે કૃપાળુ દેવ ૧૫રમાં ખંભાત પધાર્યા ત્યારે ભાગભાઈ પણ ત્યાં આવેલા ત્યારે પ્રભુશ્રીજીની પ્રેરણાથી સૌભાગભાઈએ વિનંતિ કરી કે આ છ પદને પત્ર યાદ નથી રહેતે માટે કંઈક ગાવાનું હોય તે મઢે થાય. એ વાતને વીસેક દિવસ થયા બાદ કપાળ કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org