________________
વચનામૃત-વિવેચન
૩૦૫ ૪. જાંતિપણે પરભાવને કર્તા છે, તેના ફળને ભોક્તા છે.
પ. ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. એમ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મો કર્યા છે, આત્મા કર્મને ભક્તા છે, મોક્ષ છે, એ પાંચ પદનું સ્વરૂપ કેવી રીતે સમજવું તે બતાવ્યું.
૬. હવે મોક્ષને ઉપાય શ કરે તે કહે છે. સદ્દગુરુ, સત્સંગ, સસ્સારા, સદુવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. એમ છ પદની શ્રદ્ધા કરવી. તે અત્યંત સાચા છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
૭. તે આત્મા સંસાર અવસ્થામાં કેવો છે અને તેની શુદ્ધદશામાં કે હેય તે બતાવે છે–જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. તે ભેગવવા માટે તેવા ભવ ધારણ કરવાના આવે છે અને તેથી તે માટેનાં સ્થાને પણ નિર્માણ થયેલાં છે. એ એની સંસારદશા છે.
૮. “નિજસ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજસ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.” એ એની મોક્ષદશા છે. એમ પિતાના શુદ્ધસ્વરૂપમાં નિરાવરણપણે સ્થિર થવું તે કેવળજ્ઞાનદશા છે.
૯. તે દશાની યથાર્થ પ્રતીતિ સહિત પરિણમવું તે સમ્યક્ત્વ છે. તેને પ્રકાર કહે છે–નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. બીજું ક્ષપશમ સમકિત તે
જ્યારે અનુભવમાં હોય ત્યારે તીવ્ર પ્રતીત હોય, અન્ય કાર્યમાં રોકાય ત્યારે મંદ પ્રતીત હેય, નિદ્રા આદિમાં વિસર્જનપણે હોય અને ફરી સ્મૃતિ થતાં સ્મરણરૂપ થાય. એમ ફેરફાર થવામાં સમ્યકૃત્વમોહનીયને ઉદય એ મુખ્ય કારણ છે. ત્રીજું ઉપશમ સમકિત તેમાં સત્તામાં આવરણ હોય પરંતુ સમ્યફવાહનીયને પણ ઉદય ન થાય. સાતે પ્રકૃતિને ઉપશમ થાય છે, પણ તે અલ્પકાળ રહે છે. ચોથું સાસાદન સમ્યકત્વ. ચાર અનંતાનબંધીમાંથી કોઈ એકનો ઉદય થતાં સમ્યકત્વથી પડવાને વખત આવે ત્યારે મિથ્યાત્વમોહનીયને ઉદય ન થાય ત્યાંસુધી સમ્યકત્વને કંઈક સ્વાદ આવે તે સાસ્વાદન કે સાસાદન સમ્યક્ત્વ બીજે ગુણસ્થાનકે હોય છે. મિશ્રમેહનીયને ઉદય આવે તે ત્રીજું મિશ્ર ગુણસ્થાનક કહેવાય, પણ તેમાં પ્રતીતિ ડામાડેળ હોય છે તેથી ગણત્રીમાં લીધું નથી. પાંચમું વેદક સમ્યક્ત્વ-તે સમ્યક્ત્વથી પડવાનું નથી, ઉત્તરોત્તર શુદ્ધ થતાં બાકી રહેલા અ૫ પુદ્ગલ વેદીને લાયક સમકિતરૂપે થવાનું છે.
સમ્યફત્વ એટલે શુદ્ધસ્વરૂપની તથારૂપ પ્રતીતિ થાય, તે કેવળજ્ઞાનનું બીજ છે. કારણ કે તે સમ્યક્ત્વથી અહં મમત્વાદિ હર્ષશેકરૂપ ચારિત્રમોહને કેમે કરીને ક્ષય થાય છે.
વિ. ૭૧૦].
ગુડિવાડા, પોષ સુદ ૩, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપી છે. કાલેકવ્યાપક, શુદ્ધસ્વરૂપી,
- ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org