SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ધામૃત નહતો. એમણે કહેલું કે કૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે “એમણે તમને મિથ્યા કહ્યું નથી.” (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રેકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાને ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું. આત્મા જાણ્યા વગર મોહ એ છે ન થાય, કોઈ પણ પ્રકૃતિ ક્ષય ન થાય. મેહ જેથી મંદ થાય તે તરવાનું સાધન છે. બધા ગુણસ્થાનકો જેમ જેમ મેહ ઘટે તેમ તેમ વધે છે. એમ કહ્યું નથી કે અવધિજ્ઞાન થાય કે અમુક ભાસ થાય ત્યારે અમુક ગુણસ્થાન આવે. ભક્તિ વગરનું જ્ઞાન શા કામનું? જગતના ભાવ ખાવું પીવું, મોજશોખ ન ગમે ત્યારે ભગવાન ગમે. સમ્યજ્ઞાન હોય તે સહજે વૈરાગ્ય રહે. મિથ્યાત્વ હોય તો વૈરાગ્ય પણ ઉલટો સંસાર વધારે. સમજ્યા તે સમાયા. કૃપાળુદેવને કેટલું જ્ઞાન હતું ! પણ કઈ જાણે નહીં. સમજે તે શમાય. વાતચીત કરવાનું એને ગમે નહીં. આત્મભાવ રાખે તે કર્મ ન બંધાય. વિ. ૭૧૦] ૨૪૬ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧, ૧૯૯૮ ૧. સર્વવ્યાપક જ્ઞાન અપેક્ષાઓ. સત એટલે હેવારૂપ. તેમાં જીવ અજીવ બધાં દ્રવ્ય સમાય. ચિત્ એટલે ચિતન્ય, જ્ઞાનદર્શનારૂપ. તેમાં સંસારી અને મુક્ત સમાય. આનંદ એટલે આત્મિક સુખવાળા. તેમાં સમાધિસ્થ ગીથી માંડીને સિદ્ધ સુધીના જ્ઞાનીઓ સમાય. એમ એક રીતે અર્થ થાય. અથવા સચિદુઆનંદ એટલે દર્શનજ્ઞાનચારિત્ર (સુખ) જેમાં છે એ પદાર્થ શુદ્ધાત્મા હું એક છું. ઉપરના ગુણે પિતાના આત્મામાં શી રીતે ઘટે છે? વેદાંતમાં એક આત્મા કહ્યો છે. શુદ્ધ અનુભવમાં આત્મા પોતાના સ્વરૂપ સિવાય અન્ય કેઈનો અનુભવ કરતા નથી. અન્ય વસ્તુનું હોવાપણું ન હોવાપણું એને કંઈ કાર્યકારી નથી, એ અપેક્ષા એ આત્મા એક છે. આ વાક્યમાં કહેલું પોતાનું સ્વરૂપ વિચારવું, ધ્યાવવું. શબ્દ વેદાંતના વાપર્યા છે, પરંતુ ભાવ સ્યાદ્વાદપૂર્વક સમજવાને છે. ૨. એમ વિચારતાં કે આત્મા અનુભવમાં આવે છે? તે કહે છે–અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચેતન્યઘન આત્મસ્વરૂપ પ્રગટ અનુભવાય છે. સંક૯૫વિકલ્પ વગેરે સર્વને આત્માથી પર જાણ દૂર કરે પરંતુ તેને જાણનાર ને અનુભવ કરનારો આત્મા છે તેને કઈ રીતે બાદ કરી શકાતો નથી. ઉપગમય આત્મા છે. તે દર્શનઉપયોગ અને જ્ઞાનઉપગ એમ બે પ્રકારે છે. ઉપગ એ આત્માનું લક્ષણ છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્માન સમાધિસુખમાં સ્થિર થઈને “આત્મા છે એ પ્રથમપદને નિશ્ચય કર્યો. અત્યંત પ્રગટ અનુભવાય છે તેથી આત્મા છે. ૩. તે આત્મા નિત્ય છે. કોઈ પદાર્થના સંગથી ઉત્પન્ન થતા નથી અને કેઈ અન્ય પદાર્થમાં મળી જતો નથી એમ ઉત્પત્તિ અને નાશ રહિત હોવાથી આત્મા નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy