________________
વચનામત-વિવેચન કર્મ બંધાય નહીં. ક્રિયામાં જીવને અભિમાન થાય છે કે મેં કર્યું, હું કહું છું પરંતુ તે તે પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. “મેહનવરને માન સંગાથે વેર જે” એટલે “હું પણું હોય ત્યાં પ્રભુ ન હોય. ક્ષણેક્ષણ સુધારી લેવી એટલે મરણ સુધી જ જશે, કારણ કે જે જે કરવામાં આવે છે તેની રહસ્યભૂત મતિ મરણ સમયે આવી જાય છે.
રૂઢિધર્મ પ્રમાણે સર્વે સાધન કરે છે, પરંતુ તેમાં જ્ઞાની પુરુષ કલ્યાણ જતા નથી. કલ્યાણ એ જ કે કષાયે ઘટે. પરમાર્થભાવ એટલે સમ્યફભાવ. તે પણ કવચિત્ કવચિત કઈ વિરલા જીવોને હોય છે. જે તે ભાવને માટે જ જીવન જીવે છે તેવા મુનિઓથી પણ બે ઘડીથી વધારે શુદ્ધભાવમાં રહી શકાતું નથી. હીંચકાની માફક પ્રમત્તમાંથી અપ્રમત્તમાં એમ થયા કરે છે અને એ જ ખરે પુરુષાર્થ છે. પૂજ્ય પ્રભુશ્રીજી આગળ સ્તવન બેલાનું હતું તે બંધ રખાવી પ્રશ્ન પૂછયો કે સમ્યગ્દષ્ટિ જીવ ભક્તિ શા માટે કરે છે? જવાબમાં પછી તેઓએ કહ્યું કે એક માણસને ફાંસીની સજા થઈ હોય પરંતુ જે એક હજાર રૂપિયા દંડ ભરે તે ફાંસી માફ થાય, એમ કહેવામાં આવે તે હજાર રૂપિયા ખુશી થતે થતું ભરે છે. જો કે હજારનું નુકસાન તે છે, છતાં ફાંસીની સજા માફ થઈ તેથી દંડ ભરીને ખુશી થશે. તેમ સમ્યગ્દષ્ટિને શુદ્ધ ધ્યેય હોય છે પરંતુ તેમાં ન ટકી શકે તેથી શુભમાં રહે છે. પરંતુ તે ભક્તિ વગેરે સાધન કરતા હોવાથી અશુભમાં જ નથી. ખરી ઉદાસીનતા તે જ્ઞાનીની જ છે. સમ્યગ્દર્શન થાય ત્યારે તે આવે છે. કોઈને દૂધના ઉભરાની માફક ક્ષણિક વૈરાગ્ય આવી જાય અને માને કે મને ઘણે વૈરાગ્ય રહે છે, પણ જ્ઞાની તે સ્વીકારે નહીં. તેવું તે અનંત ભવથી થયા કર્યું છે. પણ જ્ઞાનીની આજ્ઞામાં વતે તો મનુષ્ય દેહનું સાર્થક થઈ શકે તેવું છે. ઘણા પુણ્ય આપણને જોગ મળે છે તે વૃથા જવા દે નહીં તે આપણા હાથની વાત છે.
બાહ્યક્રિયાના વિધિનિષેધ એટલે મુનિ વગેરેએ અમુક પ્રકારે રહેવું, તેમણે અમુક જગ્યાએ ચોમાસું કરવું, પૂજા આમ જ કરવી, કરાવવી વગેરે વાતોમાં બાહ્ય લક્ષ રાખી વખત પસાર કરે છે. મારે આત્મા માટે જ કરવું છે એ લક્ષ જ્ઞાની પુરુષના આશ્રય વગર થઈ શકે તેમ નથી. કોઈને એમ લાગે કે અધ્યાતમી પુરુષો તો એમ જ કહે કે કંઈ કરવાનું નથી, એમ તેમની વાતને એકાંતિક ગણુ લક્ષમાં લે નહીં તે કલ્યાણ થાય નહીં. મહાપુરુષને જીવે ઉપર કેટલી કરુણા હોય છે ! માત્ર અનુકંપાબુદ્ધિએ તેમણે નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિભતાથી અને હિતાર્થે લખ્યું છે. આ પત્ર તેમના ઉપર જ લખેલ છે એમ ગણવાનું નથી. બધું આપણા માટે જ કહ્યું છે એમ સમજવું.
૨૪૫
શ્રી. રા૦
૦ અગાસ, કારતક સુદ ૧૧, ૨૦૦૯
વિ. ૭૦૭)
પ્રશ્ન–વૈજનાથ કોણ હતા? પૂજ્યશ્રી—વૈજનાથ કાઠિયાવાડના એક એગી હતા. પણ એમને આત્મસાક્ષાહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org