SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત ફળ આવશે ? જ્ઞાનની આજ્ઞા વગર જે કંઈ કરે તે બધું ઊંધું જ થાય છે. “પુદ્ગલ અનુભવ-ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત.” (દે. ૪) પુદ્ગલને જે અનુભવ થાય છે તેને ત્યાગ કરે તે પછી આત્મા શું છે? તે સમજાય. “આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.” છેલી શિખામણ છે. તેને જીવ લક્ષ રાખતું નથી. જેણે આત્મા એાળખે હોય તેને પરિચય કરે, તો આત્મા એાળખાય. તે બધાને મોટા થવાનું મન થાય છે, પણ એ મોટાઈ કામની નથી, મોટા તે સિદ્ધભગવાન છે. પિદુગલિક મોટાઈ છે તે તે એને અધોગતિમાં લઈ જનાર છે. “હલકે હે ચાલે સે નિકસે, બૂડે જે શિરભાર.” માથે ભાર હોય તે બૂડે. આત્મામાંથી વૃત્તિ ઊઠી પુદ્ગલમાં જાય, તે પછી આત્મામાં રહેવાય નહીં. પુદ્ગલને પરિચય થઈ ગયું છે. એના વિના ચાલે જ નહીં એમ થઈ ગયું છે. કૃપાળુદેવને કેઈએ પૂછ્યું કે તમારું શરીર કેમ સુકાઈ ગયું? કૃપાળુદેવે કહ્યું, અમારે બે બાગ છે. એકમાં પણ વધારે ગયું તેથી બીજે બાગ સુકાઈ ગયે. ભગવાનના ગુણેને વિચાર કરે. તેમનું સ્મરણ ભજન કરે. સપુરુષનું સ્મરણ, ભક્તિ, સ્તુતિ કરે. જ્ઞાની પાસેથી એને જે સાધન મળ્યું તેમાં વૃત્તિ રાખે તે જ્ઞાની થઈ જાય. [વ. ૮૬] ૧૫ શ્રી રા. આ. અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ સપુરુષનું મુખ્ય લક્ષણ નિઃસ્પૃહપણું છે અથવા વીતરાગતા છે. અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી?” આ વાક્યને ઘણુ કાળ સુધી વિચાર કરવાનું છે. અનંતકાળથી જન્મમરણ થયા કરે છે, પણ તે માટે એવું કરવાનું સૂઝતું નથી. જીવને તેમાં શું સ્વાદ આવે છે કે ફરી ફરી તેમાં ને તેમાં જાય છે? અનંતવાર મનુષ્યભવ મળે, છતાં જીવ પિતાનું કલ્યાણ કરી શક્યો નથી. ઘણે ખેદની વાત છે. શી ભૂલ છે અને એ ભૂલ કેમ છે? એને માટે શું કરું? એને માટે રાતદિવસ ઝર્યા વિના માર્ગનું ભાન થતું નથી. બધેથી વૃત્તિ ઉઠાવી આ એક વિક૯૫ કરે કે જન્મમરણ કેમ છૂટે? શું કરું તો છૂટે? બીજા વિચાર છેડી આ જ એક વિચાર કરવાનું છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ ન બને. કેઈ દેહ લઈ મોક્ષે ગયા છે? આ દેહ છે, તે જ સંસાર છે. - આખું જગત બધું સુખી થાઓ એવી ભાવના કરવી. “મોક્ષને માર્ગ બતાવે તે મિત્રી.” (મો. ૨૪) કોઈના પણ ગુણ જોઈને રાજી થવું. ઈર્ષા કરે તે પાપ બંધાય. ગુણવાનને જોઈને રાજી થવું. ઉલ્લાસિત થવું. એ ક્યારે થાય કે દષ્ટિ સારી થઈ હોય તે. પિતાના આત્માને તારવાની ઈચ્છા છે, તેવી રીતે બીજા છ તરે એવી ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy