SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન વચનનાં અને કાયાનાં એમ અનેક પ્રકારનાં દુઃખ છે. વિચાર કરે તો દુઃખ સમજાય એવું છે. એનો ઉપાય શું કરે? તે કે જ્ઞાની જાણે છે. એને શરણે જાય તે જરૂર દુઃખમુક્ત થાય. એમ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. ભવ ટાળવા હોય તે દેહની ચિંતા ન કરતાં, આત્મા સુખી થાય એવું કર. દેહની ચિંતા રાખે છે તેને ગૌણ કરી નાખ. દેહના સુખે તું સુખી નથી. દેહ તે વેદનાની મૂર્તિ છે માટે એની ચિંતા મૂકી આત્માની ચિંતા કર. આ મનુષ્યભવમાં થાય એવું છે. મિથ્યાત્વનું બળ એવું છે કે અનંત કાળ સુધી એને રઝળાવે છે. એ જે હજુ સુધી ન ખસ્યું તે અનંતકાળ સુધી રઝળાવશે. પિતાના સુખનું જ જીવને ભાન નથી. ખરું દુખ તે એ જ છે. કંઈ ન બને તે તું સાંભળ સાંભળ કર અને આ સાચું છે, મારાથી નથી થતું પણ કરવા જેવું આ છે, એમ રાખ. હું કરું છું એનું ફળ શું આવશે? એને વિચાર કરી પગલું મૂક. ફળ ખરાબ આવશે એમ લાગે તો એ ન કરવું. જેનાથી કંઈ ચઢિયાતું નથી એ આત્મા છે. તેની તું વર્તન કર. ઉત્તમમાં ઉત્તમ તે આત્મા જ છે. અનુત્તરવાસી થઈને વર્ત, એ લક્ષ રાખો. “આત્માથી સૌ હીન” એમ લક્ષ રાખ. પિતાને આ જગતને મેહ છે તેથી દુઃખી થાય છે. જ્ઞાની પુરુષની દષ્ટિ ઊંડી હોય છે. દુઃખનું કારણ મેહુ, અજ્ઞાન છે એમ જ્ઞાની કહે છે. [વ. ૮૫] - ૧૪ શ્રીરાઆ અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ વિચાર કરીને બોલતા હોય તે પશ્ચાત્તાપ કરવો ન પડે. જેને વાની ટેવ પડી હોય તે ગમે તેની વાત કરે. બીજાને કેટલું ખોટું લાગશે તેને વિચાર ન કરે. “વચન નયન યમ નાંહિ” રોજ બોલીએ છીએ. વચનથી કેટલું ય વેર બંધાઈ જાય છે. વચનથી ઘણાં પાપ બંધાય છે, આંખથી પણ ઘણાં પાપ બંધાય છે. એ બેને સંયમમાં લાવે તે ઘણાં પાપથી બચાય. એથી પાછો વળે તે આત્મામાં રહેવાય. નરકમાં દુઃખ છે. તેમાં બધી નરકો કરતાં સાતમી નરકમાં ઘણું દુઃખ છે, તે તે સહન થાય પણ મેહનું દુઃખ સહન થતું નથી ! એમ કૃપાળુદેવ કહે છે. ખરું દુઃખ તે જીવને મોહનું છે. મોહનીયને લીધે પિતાનું ભાન રહેતું નથી, એ દુઃખ વધારે છે. ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર.” બધા દુઃખનું મૂળ શેધતાં શોધતાં આ મોહનીય મળ્યું. મેહ છૂટતે નથી, પાછળ પાછળ છે. કર્મ બંધાયા પછી તે ઉદય આવે તે વખતે દુઃખ આપવાનાં. ઉદયમાં આવેલું તે ભેગવવું પડશે. માટે જે વખતે બંધાય તે વખતે ચેતવાનું છે. નવાં ન બંધાય તેમ ચેતીને વર્તવું. દુઃખ ન ગમતું હોય તો દુઃખ ઉત્પન્ન થાય એવાં કારણે એકઠાં ન કર. પાપને લઈને જીવ માંદો પડે અને વળી પાપ વધારે બંધાય એવી દવા કરે તેથી મટયું હાય તોય મટયું ન કહેવાય. ભવિષ્યની વાતને વિચાર કરીને પગલું ભરવું કે એનું શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy