________________
વચનામૃત-વિવેચન
૩૦૧ હાથે કરીને કેઈથી ન તરી શકાય. કદાચ તરે તો પણ મહત્ત્વયંભૂરમણ સમુદ્ર તરવાને છે, તે બહુ મુશ્કેલ છે. એ મોહને પાર આવે નહીં. અનંતકાળથી જીવ મોહમાં છે. જ્ઞાની મોહને હાથથી એટલે પિોતે જાતે તરીને કહે છે કે તમે એ રસ્તે આ. કરવું તે પિતાને પડશે. પ્રભુશ્રીજી કહેતા કે “કરશે તારો ભા !” આ શરીરનું કામ તે કઈ કરી આપે. આત્માનું કામ તે પોતે જ કરવું પડશે. કેઈ કરી આપે નહીં. તીર્થકર સ્વયં બુદ્ધ કહેવાય છે. તેમણે આલંબન લીધા વગર દીક્ષા લીધી, મેહને દૂર કરવા વિચાર કર્યા, કેવળજ્ઞાન પામ્યા, તેમનું બળ અગાધ છે. એવા ભગવાનને નમસ્કાર છે. નમસ્કારમાં કંઈ કામના નથી, નિષ્કામ ભક્તિથી કરે છે. .
સહજ વિચારને અર્થ એટલે જ્ઞાનીને કંઈકે પૂછીએ એમ સહજભાવે લખેલા પ્રશ્નોવાળે પત્ર પ્રાપ્ત થયો છે, એમ કૃપાળદેવ સેભાગભાઈને લખે છે.
અત્યારે જે ઉદયમાં આવ્યું તે પતાવવું છે. ગમે તે ઉદયમાં આવે તે સમભાવે વેદવું છે. ગૃહસ્થઅવસ્થાને ઉદય છે, તે વહેલે ભેગવાઈ જાય તો સારું. આ વ્યવહારમાં રહી એકધારાએ પ્રારબ્ધ વેદતાં પરમાર્થ સંબંધી પ્રવૃત્તિ કરવી કૃત્રિમ લાગે છે. તેથી પહોંચ પણ તમને લખી નથી. સભાગભાઈને નિરાશા ન આવી જાય, તે માટે દયા આવવાથી આ પત્ર લખ્યો છે. નહીં તો પરમાર્થ સંબંધી લખવું તે કૃત્રિમ જેવું લાગે છે. મહાપુરુષે કેવળજ્ઞાન થતાં સુધી મૌન રહે છે. મેહ છે ત્યાં સુધી કંઈ કરવું નથી, એમ કરી ઊંધ્યાય નહીં, શરીરની સંભાળ પણ ન લીધી, રાત્રિદિવસ પુરુષાર્થ કર્યો એવા ભગવાનને યાદ કરી આ પત્ર લખે છે. તેવા અમારે થવું છે એમ મનમાં છે, પણ દયા આવવાથી આ પત્ર લખ્યો છે.
સૂક્ષ્મસંગ એટલે ચાર કષાય, નવ નેકષાય અને એક મિથ્યાત્વ એ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ધનધાન્યાદિ બાહ્યપરિગ્રહ દશ પ્રકારે છે; એ બન્ને પ્રકારના સંગ જેણે તજી દીધા છે તે ભગવાનને નમસ્કાર છે. બાહ્ય સંગ ત્યાગી અત્યંતર સંગ ટાળવા મુખ્ય પુરુષાર્થ કરવાનું છે. જીવને સંગ છોડવો ગમતું નથી અને છોડ્યા વિના છૂટકે નથી. ક્રમે ક્રમે અસંગ થવાનું છે. જે મહાપુરુષેએ કર્યું તે જ કરવાનું છે. મહાપુરુષોનાં જીવનચરિત્ર તપાસતાં કહી ન શકાય એવું આશ્ચર્ય ઊપજે છે.
પ્રશ્ન–પુરુષાર્થ શે સંભારો?
ઉત્તર–મહાપુરુષેએ જે પુરુષાર્થ કર્યો, મેહમાં ફસાયા નહીં, તે. પડવાનાં કારણે માંથી પુરુષાર્થ કરી, શુકલધ્યાન પ્રગટ કરી કર્મને બાળી નાખ્યાં. ખરે પુરુષાર્થ તો એમની પાસે જે સામગ્રી (શક્તિ) હતી તે નિષ્ફળ ન જવા દીધી. શક્તિ વાપરે તે શક્તિ વધે. કર્મનો ઉદય એવો છે કે એની સાવધાની ન રહે તે મેહમાં તણાઈ જાય. કૃપાળુદેવને ધર્મ સંબંધી કોઈ જાણે નહીં એવી રીતે રહેવું હતું. સમજ્યા સમાયા. જેમ બને તેમ શમાવું છેજેટલું શમાવે તેટલું સમાય. જેમ જેમ રિદ્ધિસિદ્ધિ વિશેષ થાય છે તેમ તેમ વિશેષ ગોપવે છે. ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થતાં સુધી જાણવા ન દીધું. એક ભિક્ષકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org