________________
૩૦
બધામૃત “કામ એક આત્માર્થનું, બીજે નહી: મનરોગ.” મેક્ષ સિવાય બીજી ઈચ્છા એને ન હોય. જ્ઞાનીને બેધ લઈ સુવિચારણા પ્રગટાવે તે આત્માથી કહેવાય.
- કૃપાળુદેવે પ્રશ્ન પૂછેલો કે આ કાળમાં મોક્ષ હોય કે ન હોય ? તે સંબંધી શ્રી ડુંગરે સોભાગભાઈ પાસે લખાવ્યું કે વેદાંતમાં હા કહી છે અને જૈનમાં આ કાળમાં મોક્ષ ન થાય એમ કહ્યું છે. આ કાળમાં સંઘયણનું બળ ઓછું છે તેથી આ કાળમાં કેવળજ્ઞાન નથી, નિશ્ચયથી જોઈએ તો કેવળજ્ઞાનની આ કાળમાં હા કહેવાય અને વ્યવહારથી ખરાબ નિમિત્તો છે તેથી ના કહેવાય એમ લહેરાભાઈએ લખાવ્યું. કૃપાળુદેવ તે વિષે કંઈક સ્પષ્ટતાથી લખે છે. આત્મસિદ્ધિમાં બધા ઘણા ખુલાસા કર્યા છે.
વર્તમાનમાં કેવળજ્ઞાનનો અર્થ જૈનીઓમાં ચાલે છે તે જ છે કે બીજો છે? એમ કૃપાળુદેવ પૂછે છે. વેદાંત, સાંખ્ય, બધાય કેવળજ્ઞાન માને છે પણ દરેક જુદે અર્થ માને છે. ભ્રાન્તિ ગઈ ત્યાં કેવળ આત્મા રહ્યો એમ વેદાન્ત માને છે. સાંખ્ય એમ માને છે કે જ્ઞાન એ જ ઉપાધિ છે અને બધાય ગુણ છૂટી નિર્ગુણ થઈ જાય તો મોક્ષ થાય છે. કેવળજ્ઞાન થતાં મતિ શ્રત આદિ જ્ઞાનના પર્યાય ભેદ છે તે છૂટી જાય છે અને એક કેવળ જ્ઞાન જ હોય છે. શાસ્ત્રમાં જે જ્ઞાનના ભેદ પાડયા છે તે કેવળજ્ઞાન થાય ત્યારે ન રહે. એક અખંડ આત્મા રહે છે. કૃપાળુદેવ કહે છે કે તમને કંઈક વિશેષ વિચાર કરવા આ લખ્યું છે.
મન વચન અને કાયા કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે, પછી અગી થાય ત્યારે ન હોય. કેવલીભગવાન આહાર લે છે એમ તાંબર માને છે, તે આહાર વખતે કેવલીને ઉપગ આહારમાં રહે છે કે લોકાલેક જાણવામાં? કેવળજ્ઞાન તે નિરંતર હોય છે. આહારમાં ઉપયોગ જાય ત્યારે જાણવાનું પડયું રહે ને ? એક વખતે બે ઉપગ તે હોય નહીં. વિચાર કરવા માટે આ બધું લખ્યું છે.
કેવળજ્ઞાનના બે ભેદ છે : ૧. લેગ સહિત કેવળજ્ઞાન અને ૨. અાગી કેવળજ્ઞાન. એમ કેવળજ્ઞાનમાં ભેદ શા માટે પાડયા છે? કંઈક જુદું હોય તો ભેદ પાડવા પડે, પણ કેવળજ્ઞાન તે નિર્વિકલ્પ છે તેમાં ભેદ પાડવાનું કારણ શું ? એને વિચાર કરે, એમ કહે છે. “કર વિચાર તે પામ.” એમ કહ્યું છે.
પૂજ્યશ્રી-મહાપુરુષનું કેટલું બળ છે, તે બતાવવા માટે મેહને સ્વયંભૂરમણસમુદ્રની ઉપમા આપી છે. પહેલો લવણસમુદ્ર બે લાખ ચેાજન પહોળો છે એના કરતાં બીજે કાલેદધિસમુદ્ર ચાર ગણે પહોળો છે. દ્વીપ પછી સમુદ્ર એમ બમણ બમણું થતાં થતાં અસંખ્યાત દ્વીપસમુદ્રો પછી છેલે સ્વયંભૂરમણસમુદ્ર છે, તે બધા દ્વીપસમુદ્રની પહોળાઈને સરવાળો કરીએ અને તેમાં ઉપરથી એક લાખ જન ઉમેરીએ એટલે પહોળે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org