________________
વચનામૃત-વિવેચન
૨૯૯ ઠેકાણું નથી. બધા લેકે કરે તેમ આપણે પણ કરવું એમ જીવ કરે છે. જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ તે આપણી સાથે આવશે. વારંવાર સમાધિમરણની ભાવના કરીએ. જ્ઞાની પુરુષોના વચનોમાં જેટલું ચિત્ત રહેશે તેટલે ધર્મથી જીવ રંગાશે.
આત્માની ભાવના કરવા મનુષ્યભવ મળ્યો છે, તેને બદલે ધનની, કુટુંબની ભાવના કરે છે. હું શુદ્ધ આત્મા ક્યારે થઈશ ? એ ભાવના કરવાની છે. શું કરવાથી સુખી થવાય ? એ સત્સંગે જણાય છે. ત્રણ ભવથી કેઈ અપૂર્વ ભક્તિથી પુણ્યનો સંચય કરતાં કરતાં સપુરુષ તીર્થંકર થાય છે. જેને સારા થવું હોય તેણે મનમાં નકકી કરવું તે તેવું થવાય. ધ્યેય નકકી કર્યું હોય તે તેવા થવાય છે. ભાવના એ અપૂર્વ વસ્તુ છે. પણ જીવને કિંમત નથી. પૈસાની, હોશિયારીની, કુટુંબની કિંમત છે. ભાવના કેમે ક્રમે જીવ સુધારતો જાય તે સારો થાય. એ ભાવના જેવું ધ્યેય હોય તેવી થાય છે. જેવી ભાવના તેવું ક્રિયાનું ફળ આવે છે.
પ્રશ્ન–-ભાવને કેવી કરવી ?
પૂજ્યશ્રી–“માત્ર મોક્ષઅભિલાષ” એ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. મિક્ષ શું હશે? તીર્થકર આદિ મોક્ષે ગયા, તેમણે પ્રથમ શું કર્યું હશે ? એ વિચાર કરી ભાવના કરવી. બીજા પૈસાટકાની ભાવના જેવી જીવને છે તેવી આત્માની નથી. મેક્ષ જીવને સાંભરતું નથી. નિમિત્તાધીન જીવે છે. એક જ લક્ષ રાખે કે મોક્ષ પોષાય એવું જ કરવું છે, તે મોક્ષ થાય. એક દિવસ પણ કષાયથી ગયે તો નિષ્કષાયભાવ લાવતાં વધારે સમય લાગે. રાગદ્વેષ રહિત નિષ્કષાયભાવ લાવવો છે. થયું તે થયું પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” છૂટવું હોય તે છૂટવાની કળા તે શીખવી પડશે. પહેલામાં પહેલી રુચિ કરવાની છે. સંસાર ને સંસારનાં કારણે પ્રત્યે રુચિ છે તે પલટાવી મોક્ષ અને મોક્ષનાં કારણે પ્રત્યે રુચિ કરવાની છે. મેક્ષની રુચિ જાગે તો પછી ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ રુચિ ન પલટાય. રુચિ રુચિમાં ફેર હોય છે. સાચી મોક્ષની રુચિ જ્ઞાનીને વેગે થાય છે. અંતરાત્મા જાગે ત્યારે મોક્ષની રુચિ જાગે. અંદર ભૂખ લાગી હોય તે બેસી રહે નહીં, પણ ઉપાય કરે છે, તેમ જેને સાચી રુચિ જાગી હોય તે મોક્ષને ઉપાય કરે છે. કલ્યાણ જેને કરવું છે તેને હું કંઈ જાણતું નથી એવો પહેલામાં પહેલે દઢ નિશ્ચય કરે, પછી જ્ઞાની પાસે જવું તે જરૂર મેક્ષ થાય. સાચી રુચિ જગાડવાની જરૂર છે. પૈસા જતા હોય, કંઈ ન મળતું હોય, તે પણ મેક્ષ સિવાય કશું ઈચ્છવું નથી, એવી ભાવના કરવાની છે.
[વ. ૬૮૪]
૨૧ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–પરમાર્થ જેને પામે છે તે આત્માથી છે. સાચા ગુરુ કરે તે પરમાર્થ પમાય. મોક્ષને માર્ગ એક જ હોય એવો એને લક્ષ હોય છે. બીજી ઈચ્છા એને ન હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org