SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૯૭ વિચાર થઈ શકે છે. વર્તમાનમાં આ ક્ષેત્રેથી નિર્વાણની પ્રાપ્તિ થાય કે નહીં? એ વિષે વેદાંત અને જિન શું કહે છે? તે લખશે, એમ કૃપાળુદેવ શ્રી ડુંગરને લખે છે. આ કાળમાં ૧ નિર્વાણ, ૨ કેવળજ્ઞાન, ૩ મન:પર્યવજ્ઞાન, ૪ અવધિજ્ઞાન, ૫ પૂર્વજ્ઞાન, ૬ યથાખ્યાતચારિત્ર, ૭ સૂક્ષ્મસં૫રાયચારિત્ર, ૮ પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ૯ ક્ષાયિક સમ્યકત્વ અને ૧૦ પુલાલબ્ધિ એટલે ચક્રવર્તીના લશ્કરને પણ નાશ કરી શકે તેવી લબ્ધિ –એ દશ બેલ વિચ્છેદ કહ્યા છે. એક મુમુક્ષુ–ક્ષાયિક સમ્યક્ત્વ પણ આ કાળમાં ન હોય? પૂજ્યશ્રી—એમ શાસ્ત્રમાં આવે છે. દશ બાલ વિચ્છેદ કહ્યા હોય, તેમ છતાં વિચારવા ઘટે છે. મોક્ષ ન હોય એમ કહ્યું, પણ મેક્ષ શું? એ વિચારવાનું છે. બધાનો ભાવ સમ્યક્ત્વ થયા પછી સમજાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાની જાણે છે. આપણાથી થાય એટલે વિચાર કરે, પણ દ્વાર ખુલ્લું રાખવું કે જ્ઞાની જાણે છે. વિચાર કરવાની ના નથી કહી. સમતિ થાય એ ક્ષયે પશમ તે બધાને છે, પશુને પણ છે, પણ જ્ઞાનીનાં વચન નેને જીવ વિચાર નથી કરતે. આ બધાને નિર્ણય થાય એવું કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બધું ખુલ્લું કહી દીધું. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” લેકે કલ્પનાથી અર્થ કરે છે. ચૌદપૂર્વન જ્ઞાન એ લબ્ધિ છે. જેમ જેમ લબ્ધિ પ્રગટે તેમ તેમ બધું જણાય, આત્મામાં બધું છે, જેમ જેમ આત્મા નિર્મળ થાય તેમ તેમ બધું જણાય. | કઈ ઉત્કૃષ્ટ આધકારી જવ હોય તે આ કાળમાં કેટલા ગુણસ્થાન સુધી મોક્ષમાર્ગે જઈ શકે? તે શ્રી ડુંગરે વિચારીને લખવું એમ કૃપાળુદેવ લખે છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનું છે. મોક્ષ નથી એમ કરવાનું નથી. શું કરવાથી મોક્ષમાર્ગે આગળ વધાય? તે વિચાર કરવાની જરૂર છે. બધાય પ્રશ્નો લખીને કહેવું એ છે કે સ્વરૂપસ્થિરતા શાથી થાય છે? એ વિચારીને કરવાનું છે. અંબાલાલભાઈએ પ્રભુશ્રીજીને કરમાળા પત્ર લખ્યું હતું કે તમે કૃપાળુદેવના સમાગમમાં હતા તે કરતાં હમણાં વિશેષદશા વધી છે? કેમ વતીએ તે વિશેષદશા વધે ? સસંગે ચઢેલી દશા હોય તે જે સત્સંગ ન કરે તે ઉતરી પણ જાય. વિશેષ વિશેષ સતસંગ કરે તો વિશેષદશા વધે. સત્સંગ કરવો, એ કરીને આત્માનો લક્ષ રાખવે. વિ. ૬૯૨] ૨૪૦ શ્રી રા. આ અગાસ, કાર્તિક સુદ ૩, ૨૦૧૦ - પૂજ્યશ્રી–ખુશાલભાઈ અંબાલાલભાઈના સાળા હતા. એ વિશેષ બિમાર હતા તેથી અંબાલાલભાઈ ત્યાં ગયા અને ખબર પૂછી. બીજા તે બધા જતા રહ્યા પણ અંબાલાલભાઈ ત્યાં થોડી વાર બેઠા. સાધારણ જ ખબર પૂછવા જાય અને એક મુમુક્ષુ જાય તેમાં ઘણો ફેર છે. અંબાલાલભાઈ ત્યાં બેઠા અને ખુશાલભાઈના ભાવ કેવા રહે છે, તે જેવા ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy