SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત વૈરાગ્ય ભણી વૃત્તિ તે કરી નાખે છે. મારે કશામાં મારાપણું માનવું નથી. મારાપણું જે અંતરંગમાં લાગતું હોય તે ત્યાગ કર. આનું ફળ ખેડું આવશે. જે એવા ભાવ ભરતી વખતે આવ્યા તે સમાધિમરણ ન થાય. મરણ આવશે ત્યારે કઈ બચાવે એમ નથી. આ બધા સંગ છે તે તુચ્છ છે. આત્માથી સૌ હીન.” આ અનિત્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. મારું મારું મનાતું હોય તો તું એને મરણ પહેલાં છોડ. આખી જિંદગી મારું મારું કરીશ, તોય તારું થવાનું નથી. મારું મારું કરવાથી મારું થવાનું નથી, એમ વિચારવાન વિચારે છે. કેઈ કેઈને શરણે રાખે એમ નથી. માથે મરણ છે. જેટલો મોહ વસ્તુઓમાં થાય છે તેટલે અવિચાર છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે. એને મૂકી બીજાને લેવા જાય છે. એજ એનું મિથ્યાત્વ છે, ગાંડપણ છે. મેહ ગયા વિના મોક્ષ થાય નહીં. અનંતકાળ સુધી ભ્રમણ કરાવે એવો મોહ છે. દુઃખી થવું હોય તે મોહ કરે. સમજીને મેહ છેડી દે. કેઈપણ પ્રકારે મેહથી દૂર થવું. એના જે એકે સુખને રસ્તો નથી. એવા વિચારથી વિચારવાન વિરાગ્યભાવ કરે છે. વિચાર કરે તે બધાને એવું જ લાગે. મરણ એ વૈરાગ્યનું કારણ છે. માથે મરણ છે તેય જીવ મોહમાં ફસાઈ રહ્યો છે, તે મરણ ન હોત તો તો ધર્મને કેઈ સંભારત પણ નહીં. ભેગભૂમિના મનુષ્યોને મરણને વિચાર આવતો નથી. આપણે કેઈને મરતાં દેખીએ, ત્યારે લાગે કે માથે મરણ છે. એવા વખતે પણ વિરલા ચેતે છે. ચેતવાના પ્રસંગે થોડીક વાર સ્મશાનવૈરાગ્ય પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે. હળુકર્મીને ધર્મ સાંભરે છે. નહીં તે એવા પ્રસંગે ભૂલી જાય છે. મરણને ડર લાગે તે અધર્મને રને જીવ ચડે નહીં. નહી તો સાધુ થાય અને માગી ખાતો હોય તો પણ કંકાસ કર્યા વિના રહે નહીં. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે” (આ. ૧૪) કેઈન મરણપ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરો. કેઈ ઘડપણમાં, કોઈ બાલઅવસ્થામાં, કેઈ યુવાવયમાં, કેઈ પાંચ વર્ષે, કોઈ પચીસ વર્ષે એમ મરી જાય છે. ગમે ત્યારે મરણ આવે છે, એથી ચેતવાનું છે. ઘણું મહાપુરુષ એવા થઈ ગયા છે કે વહેલો દેહ છોડી ગયા પણ આત્માનું કામ કરીને ગયા છે. તીર્થકર જેવા ત્રણ જ્ઞાનના ધર્તા ત્રીસ વર્ષની યુવાવયમાં સંસાર છોડી ચાલી નીકળ્યા. મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું, એ સુખનું કારણ છે. મારું કોઈ નથી એમ વિચારવું. મરણના પ્રસંગમાં ખેદને પલટાવી જ્ઞાનીના વચનમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીના વચને વિચારવાં. [વ. ૬૯૧] ૨૩૯ શ્રી. રાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–નિશ્ચયથી વેદાંતની રીતે અને વ્યવહારથી જિનની રીતે એમ બેય પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy