________________
વચનામૃત-વિવેચન નથી. આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે વૃત્તિ રહે છે, તેથી બીજા પ્રત્યે વૃત્તિ નથી, ભેદજ્ઞાનની પ્રગટતા હોય તેને એવી દશા હેય છે.
જ્ઞાનીને “હું કરું છું એમ ન થાય. જ્યારે પિતાના ભાનમાં ન હોય ત્યારે જીવને હું કરું છું” એમ થાય છે. જ્ઞાનીને એવું હોય નહીં.
ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ
વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” પરમાર્થમાર્ગમાં જેના વિશ્વાસે વતી શકાય તે આપ્તપુરુષ છે. એવા જ્ઞાનીને વ્યવહારનું કામ પ્રારબ્ધને લઈને હોય, તે ને એ પુરુષ છે એમ કેવી રીતે ઓળખાય? બધા સાંભળવા મળે તે ઓળખાણ કરાય, પણ આ તો ધંધા વગેરેમાં પ્રવર્તે છે તો કેમ ઓળખાય? જ્ઞાની હોય અને રાતદિવસ સંસારમાં પ્રવર્તતા હોય તે આ જ્ઞાની પુરુષ છે એમ કેવી રીતે ઓળખાય? કયા લક્ષણથી ઓળખાય? એમ કૃપાળદેવ સોભાગભાઈને પૂછે છે. બહારની ચેષ્ટા પરથી તે કંઈ ઓળખાય એવું નથી. જેમ ભાગભાઈ એ બોટાદવાળા મણિલાલને કહ્યું કે મુંબઈમાં જ્ઞાની પુરુષ છે. પણ કૃપાળુદેવે એને આવવા ના લખી (૪૧). કારણ ત્યાં જાય ત્યારે જુએ કે એ તે વેપારી છે, એ શાના જ્ઞાની? એમ ભાવ પલટાઈ જાય. એણે જેવા જ્ઞાની કલ્પ્યા હોય તેવું હોય નહીં, તેથી મુમુક્ષુઓના સત્સંગે જે ભાવ થયા હોય તે પણ નાશ થઈ જાય. બહુ અઘરું છે. પોતાની ક૯૫ના મૂકે અને જ્ઞાની ગૃહસ્થ અવસ્થામાં પણ હોઈ શકે છે, એવું વિચારીને નક્કી કર્યું હોય તો એાળખાય. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે, બીજાને ખબર પડે એવું નથી. જ્ઞાની અંતરમાં કેવી રીતે વર્તે છે, તે મુમુક્ષુને ખબર પડે, બીજા જ તે સામા આઘા જાય કે આ તે વેપારી છે.
જેને ઉદાસીનપણું વર્તે છે, અહંભાવ મમત્વભાવ સમ્યકત્વ થવાથી છૂટી ગયા છે, માત્ર ચારિત્રમોહના ઉદયથી સંસારની પ્રવૃત્તિ થાય છે, અનંતાનુબંધીની પ્રકૃતિથી રહિત છે, એવા જ્ઞાની એમ જાણતા હોય કે આ એવું પ્રારબ્ધ છે જે મુમુક્ષુઓને સંદેહને હેતુ છે તેમણે કેમ વર્તવું તો મુમુક્ષુઓને હાનિ ન થાય? ગૃહસ્થ અવસ્થામાં જ્ઞાનીએ કેમ વર્તવું? એમ કૃપાળુદેવ પૂછે છે. જ્ઞાની સાચવી સાચવીને વર્તે છે. આ કાળના જ ધર્મ કેમ પામે? એને વિચાર કરી આ બધું લખ્યું છે. એમની કેટલી બધી કાળજી!
[વ. ૬૮૯]
૨૩૮ શ્રી. રાવ આ૦ અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૮ - પૂજ્યશ્રી–મરણના પ્રસંગે એટલે કે યુવાન મરી જાય ત્યારે લાગે કે સંસાર અસાર
છે, અનિત્ય છે, અશરણ છે. ખેદના સંગમાં ખેદ કરે તે કર્મ બંધાય, માટે એને બીજે રસ્ત લે. મેહથી ખેડ કરે તો કર્મ બાંધે. એ જ ખેદ જે વૈરાગ્ય સહિત હોય તે છૂટે. મેહ સહિત ખેદ હોય તે કર્મ બંધાય છે.
મારાપણું જેને થતું હોય તે વિચારવાની હોય તે વિચારે કે મારું શાનું? મારું કરીને કેઈ મોક્ષે ગયા નથી. વિચારવાન હોય તો વારંવાર એ પ્રસંગે સંભારે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org